________________
૨૩૨ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો તેમના પ્રત્યેક કાર્યો સફળ થાય અને પ્રભુ તેમને હજી વધુ સારા કાર્યો કરવાની પ્રેરણા આપે તેવી અમારી અભ્યર્થના છે.
શ્રી નરભેરામ રૂગનાથભાઈ મહેતા સૌરાષ્ટ્રમાંથી દેશના અન્ય પ્રાંતોમાં જઈ વસેલા આગેવાન સામાજિક કાર્યકરોમાંના એક શ્રી નરભેરામભાઈને સાવરકુંડલા પાસે ભૂવા ગામે જન્મ થયે. નાની ઉંમરે મુંબઈમાં તેમનું આગમન થયું. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શ્રી નરભેરામભાઈ મુંબઈમાં ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સમાજના જાજરમાન વ્યક્તિ તરીકે સૌના દિલમાં સન્માનિત બન્યા. - ધંધાની ભરચક પ્રવૃત્તિમાંથી પણ સમય કાઢીને તેઓ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યા. શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના કરવા તેઓશ્રીએ અગત્યને ભાગ ભજવ્યું. પ્રારંભથી જ સંસ્થાના મંત્રી તરીકે રહીને યશસ્વી સેવા આપેલ. તેમના પિતાશ્રી રૂગનાથ જીવણલાલ મહેતા પણ અનેક સંસ્થાઓના પ્રાણ હતા. શ્રી ગેડીજી જૈન દેરાસરના સંનિષ્ઠ અને નીડર કાર્યકર્તા તરીકે યશસ્વી કારકિર્દી હાંસલ કરી હતી. આવા મહાન પિતાને પગલે પગલે શ્રી નરભેરામભાઈ પણ ધર્મ અને શાસનસેવાનાં પ્રત્યેક કાર્યોમાં લેકેને પ્રેમ સંપાદન કરવાની સાથે અનેકેને પ્રેરણારૂપ બન્યા. તેઓશ્રી ગોડીજી જેન દેરાસર (મુંબઈ)ના ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂક્યા છે. સંઘ અને સમાજનાં કાર્યો માટે હંમેશાં તત્પર રહેતા.
તેમના પ્રત્યેક કાર્યોમાં ગુણાનુરાગી એવાં એમનાં ધર્મપત્ની કંચનબહેન પણ પ્રેરણારૂપ બન્યાં છે. હમણાં જ થોડા સમય પહેલાં શ્રી નરભેરામભાઈને સ્વર્ગવાસ થયો. વિશાળ સમાજને મેટી પેટ પડી. તેઓ યુવાને અને વડીલો વચ્ચેની સાંકળરૂપ હતા. બીજાને પ્રેરણા આપે તેવું ઉજજવળ જીવન જીવી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org