________________
અભિવાદનગ્રંથ ]
[ રર૧ કર્યા હતા. ભાવનગરના રમતગમત-જગતને આજ પણ એમનું માર્ગદર્શન મળે છે.
સામાજિક સેવા પ્રત્યેની એમની અભિરુચિ પણ નાનપણથી જ હતી. ભાવનગરમાં જ્યારે જયારે કે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે ત્યારે શ્રી ધનુભાઈ સ્વચ્છતા અને દવાનાં સાધને લઈ ઘરે ઘરે ફરતા જોઈ શકાય છે. સમાજ શિક્ષણ એ એમનો પ્રિય વિષય છે. સમાજ શિક્ષણના અધિકારી તરીકે પણ તેમણે કામ કર્યું છે. નિરક્ષર પોલીસને સાક્ષર બનાવવાના કાર્યમાં પોતે પણ જોડાયા હતા. સ્વતંત્રતાની લડતમાં અભ્યાસ છોડે પડેલો પરંતુ પછી ફરી તંતુ જેડીને એમ. એડ સુધીની પરીક્ષાઓ ઉત્તમ રીતે પાસ કરી છે.
ભાવનગર કેળવણી મંડળના સ્થાપનાકાળથી (૧૯૫૯થી) તેનું મંત્રીપદ શોભાવે છે. એક શાળાથી શરૂ થયેલું આ મંડળ અત્યારે શાળાઓ અને કોલેજનું એક સંકુલ ચલાવે છે. વિદ્યામંદિર હાઈસ્કૂલના આચાર્યપદેથી આફ્રેડ હાઈસ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું અને નિવૃત્તિવય થતાં મંડળનું મંત્રીપદ સંભાળે છે. આચાર્ય સંઘના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુક્યા છે. - ભાવનગર જિલ્લામાં માધ્યમિક શિક્ષણની સંસ્થાઓ-સંચાલકનું મંડળ સ્થાપવામાં તેઓ પહેલેથી જ સક્રિય રહ્યા છે. આ મંડળના મંત્રી અને પ્રમુખ તરીકે તેમણે વર્ષો સુધી સેવા આપી છે. નગર કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પ્રદેશ કક્ષાએ વિવિધ યોજનાઓને સાકાર કરવાને પુરુષાર્થ ખેડવામાં તેમણે ભાગ્યે જ કોઈ બાકી રાખ્યું હશે. આરામ નહીં, પરિશ્રમ એ એમને મુદ્રાલેખ હોવાને લીધે વિજ્ઞાનમેળ હોય, વિજ્ઞાન-શિક્ષક-મંડળનું અધિવેશન હોય; આચાર્ય મંડળનું અધિવેશન હોય કે સંચાલક મંડળનું અધિવેશન હોય; ધનુભાઈ સફળતા મેળવીને જ જંપે. સૌરાષ્ટ્રમાં સંચાલક મંડળની પ્રવૃત્તિ વિસ્તરે તે માટે પ્રયાસ તેમણે કર્યો છે. સમગ્ર સંચાલક મંડળના ભાવનગર અધિવેશનને સફળ બનાવવામાં તેમને પરિશ્રમ પ્રમુખ હતા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org