SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] || ર૧૯ - શ્રી દેલતરાય જયંતીલાલ પારેખ મુંબઈમાં મહુવા યુવક સમાજના તંભ ગણાતા શ્રી દોલતભાઈ અનેક સામાજિક સંસ્થાઓના સૂત્રધાર છે. મહુવા યુવક સમાજના મંત્રી છે. મહુવા તેમનું વતન છે. ઉદ્યોગક્ષેત્રે મૂળજી જેઠા મારકેટમાં કાપડના ધંધામાં સંપૂર્ણ પ્રગતિ સાધી. એમણે આ દિશામાં આત્મસંતોષ તે મેળવ્યું જ, પણ તેમની ઉત્કંઠા સમાજને ઘણે ઊંચે દરજજે લઈ જવાની હતી. સદ્ભાગ્યે વતનમાં શૈક્ષણિક સંસ્થા ઊભી કરવામાં તેમણે તન, મન, ધન વિસારે મૂક્યું. એમની સેવાની કુચ વણથંભી રહી છે. દષ્ટિબિંદુ માત્ર ઉદ્યોગ કે વ્યાપાર તરફ જ નહિ પણ કેળવણીને વિકાસ માટેના પ્રયત્નમાં સફળતા મળે તેવા તેમના રચનાત્મક વિચારોને કારણે અને સૌમ્ય ઉદાર અને નમ્ર સ્વભાવને કારણે મહુવામાં સંખ્યાબંધ સામાજિક સેવા આપતી ગગનચુંબી ઈમારત ઊભી કરવામાં દાતાઓ પાસેથી દાને મેળવવામાં તેમનું કૌશલ્ય ૫ણ તરી આવ્યું છે. aureus - શ્રી ધરણુંધર ખીમચંદ શાહ જૈન શાસન, જૈન ધર્મભક્તિમાં શ્રદ્ધા ધરાવનાર વિનય–વૈયાવચ્ચ અને સમર્પિતતા જેવા ગુણોને લઈને જેમનું વ્યક્તિત્વ હંમેશાં ઉજજવળ રહ્યું છે તેવા શ્રેષ્ઠીવર્ય શ્રી ધરણીધરભાઈ શાહ મૂળ સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસેના પ્રાચીન સ્થળ કેળિયાકના વતની છે. હાલ મુંબઈ રહે છે. ૧૯૫૮ થી શરૂ કરેલા ધંધાકીય પુરુષાર્થમાં કમેકમે આગળ આવતા રહ્યા. નોન-ફેરસ મેટલ એક્સપોર્ટ અને કન્સ્ટ્રકશનની લાઈનમાં એક પછી એક કદમ માંડ્યાં. પૂર્વ ભવના પુણ્યોદયે ધંધામાં બે પૈસા કમાયા છતાં પણ શિક્ષણને ઉત્તેજન આપવાની અને ધર્મ તરફની તેમની અભિરુચિ સતતપણે ટકી રહી છે. ધંધામાં પડતીના પ્રસંગો આવ્યા છે તે પણ મિત્રોએ તેમનું સાચું મૂલ્ય આંકી હંમેશાં સહકાર આપે છે. તેમની પિતાની વિશિષ્ટ અને આગવી શક્તિથી મુંબઈમાં તેમણે ઘણું જેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy