________________
૧૭૨ }
[ આપણું શ્રેષ્ઠીવર્યો સ્વ. શેઠશ્રી જેશીંગભાઈ કાલીદાસ શેરદલાલ
શ્રી જેશીંગભાઈને જન્મ સં. ૧૯૨૯ના ચૈત્ર વદ ૮ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ કાલીદાસ ભીખાભાઈ અને માતાનું નામ જેકેરબાઈ હતું.
પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ નિષ્ઠાવાન ભક્ત અને આજ્ઞાંતિ ગૃહસ્થ-શિષ્ય હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક મંદિરેમાં ઘણાં જિનધિઓ ભરાવવામાં તેમ જ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીના મમત્વને ત્યાગ કરીને ઘણું પુણ્ય કાર્યો કર્યા છે. - શ્રી કદંબગિરિની બાવન જિનાલયની ભમતીમાંની મોટી દેરી, રહીશાળામાની મૂળ નાયકની પ્રતિમા અને તેમની બાજુની જિન પ્રતિમા તેમ જ બહારની બાજુમાં શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકા વગેરે કાર્યો એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મજીવનનાં પુણ્ય પ્રતીક છે.
પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રી કૃતજ્ઞાન ભક્તિમાં પણ ઊંડો રસ હતે. ટૂંકમાં પ્રતિમા એટલે અહિંસાદિ ધર્મોની સ્થાપત્યકલા અને શ્રુતજ્ઞાન એટલે અહિંસાદિ ધર્મોનું સંસ્કારસાહિત્ય એમ તેમના જીવનમાં કળા અને સંસ્કાર-સાહિત્યને સુભગ સંગમ જોવા મળતો હતો.
શ્રી જેશીંગભાઈએ પિતાની મિલક્તના અમુક ભાગની રકમનું ટ્રસ્ટ કર્યું છે અને સાહિત્યસમ્રાટ આચાર્ય મહારાજશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા છે. આ ટ્રસ્ટમાંથી અલભ્ય એવા ગ્રંથરને સિદ્ધહેમ શબ્દાનુશાસન આદિ પુસ્તકો પ્રકાશિત થાય છે. તેઓશ્રી તત્વવિવેચક તથા સભાના અધ્યક્ષ હતા.
તેઓશ્રીએ મહામંગળકારી શ્રી નવકારમંત્રને જાપ પૂર્ણ કર્યો હતે. તેઓએ સાધમિકેના ઉદ્ધાર વગેરેમાં પણ ગુપ્તદાન કરવામાં કચાશ રાખી ન હતી. સં. ૧૯૯૫માં શ્રી સિદ્ધગિરિની શીતળ છાયામાં ચાતુર્માસ કર્યું હતું. તેઓ પુણ્યરાશિ પુષ્પ હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org