________________
ગરવી ગુજરાતની ભવ્ય ગૌરવગાથા “ભારતીએ કંઈ ફૂલકુવાર,
અંજલિમાં શું લીધ! દિશદિશમાં ફૂલધાર ઉડાવી,
દિલના પરિમળ દીધ! હિન્દમાતાની લાડીલી બાળ !
ગુજરી! જય! જય! તવ ચિરકાળ ! ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશે! અમારે ગુણિયલ ગુર્જર દેશ ! )
– કવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ. કવિ શ્રી ન્હાનાલાલે જેને ગુણિયલ ગુજરાત કહી છે, અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદે “જય જય ગરવી ગુજરાત” કહીને જેનાં ગુણગાન ગાયાં છે, કવિ ખબરદારે “જ્યાં જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' એમ કહીને ગુજરાતની ભવ્ય પરંપરાનું ગૌરવ કયું છે; કવિ ઉમાશંકરે “મળતાં મળી ગઈ
ઘેરી ગુજરાત, ગુજરાત મેરી મેરી રે” કહીને ગુજરાતની વિશિષ્ટતાને સર્વોત્કૃષ્ટ ગણી છે, તે ગરવી ગુજરાતની લાક્ષણિકતાઓ ગણવા બેસીએ તે પાનાંનાં પાનાં ભરાય તેમ છે. ભારતમાતાની એક લાડલી આ ગુજરી માત્ર ભારત પૂરતી જ વિશિષ્ટ નથી; પરંતુ વિશ્વના નકશામાં પણ ઘણી બાબતમાં એનું સ્થાન અદ્વિતીય છે. એક વેપારી પ્રજા તરીકે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયેલી ગુર્જર પ્રજાને ચન્દ્રકાન્ત બક્ષીએ જ નહીં, જગતના ઘણા વિદ્વાનોએ
મહાજાતિ” તરીકે બિરદાવી છે. પરંતુ એક જમાનામાં આરબ પણ મહાન સેદાગર તરીકે પંકાયા હતા અને આજના જમાનામાં યુરોપિયને, અમેરિકન અને જાપાનીઓ પણ સાહસિક વેપારીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org