________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૪૩ રાષ્ટ્રીય આંદલને તેમને કંઈક કરવાની પ્રેરણા આપી. ઈ.સ. ૧૯૨૮માં કેગ્રેસના સક્રિય કાર્યકર બન્યા. મુંબઈમાં ચાલતી અસહકારી ભૂગર્ભ પ્રવૃત્તિઓગાં જોડાયા. ત્યારબાદ તેઓ જામનગર આવ્યા. - ૧૯૫૩થી મુંબઈને કથાનકવાસી જૈનના મુખ્ય ઉપાશ્રય કાંદાવાડીના માનદ મંત્રી તરીકે, મહાસંઘના માનદ મંત્રી તરીકે સાધુસંતે તથા સમાજની સેવા આપી તેમ જ મુંબઈના ભારત જૈન મહામંડળના પ્રબંધ-મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી. ૧૯૯૮માં મિનરલસને વિપુલ પ્રમાણમાં ફાયદાકારક ધંધે હોવા છતાં તેમણે ધંધાદારી ક્ષેત્રે સંન્યાસ લીધો.
ઈ. સ. ૧૯૬૭થી શ્રી છોટાલાલભાઈ ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર સાથે સંકળાયા. શરૂઆતમાં તેમણે કમિટી–મેમ્બર અને આસિસ્ટેટ સેક્રેટરી તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓશ્રી ૧૯૬૮માં માનદ મંત્રી બન્યા અને ૧૯૭૭થી તેઓ ટ્રસ્ટી તરીકે માનવરાહત તથા પશુરાહતમાં અવિરત સેવા કેન્દ્ર દ્વારા આપે છે. આ સંસ્થાનું સંચાલન છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ સંભાળી રહ્યા છે. દેશના કેઈપણ ભાગ જેવા કે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઓરિસા, તામિલનાડુ, બંગાળ કે રાજસ્થાન હોય ત્યાં દરેક સ્થળે જાતે જઈને માનવસેવા તથા પશુસેવાનું કાર્ય નિઃસ્વાર્થ ભાવથી કરે છે. તેઓશ્રી ખરેખર ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રના “વન–મેન–આમિ”—એકલવીર છે.
તેઓએ આંધ્રની ૧૧૦થી ૧૧૫ ડિગ્રી માથું ફાડી નાખે તેવી ગરસીમાં, જેસલમેરની ઠંડીમાં, બિહારમાં પાણીમાં સર્પોની વચ્ચે ચાલીને તથા ઉત્તરપ્રદેશમાં પણ અભૂતપૂર્વ સેવાકાર્ય કર્યું છે. આ ઉપરાંત કાંદાવાડીમાં કાન્વેસ્ટ જૈન કિલનિકમાં અને ભરૂચમાં અ. ત્રી. આયુ. સાર્વજનિક હોસ્પિટલમાં તેની સ્થાપનાથી હજુ સુધી સેવા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org