SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો હતું. તેમણે અફઘાનિસ્તાન, રશિયા, જર્મની, ઇટાલી, ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, સ્વિટઝરલેન્ડ, અમેરિકા અને પૂર્વ આફ્રિકાના પ્રવાસે પણ કર્યા છે. સેવા-ભાવનાના અંકુશ વારસામાં મળેલા તેને લઇ ને તથા વાંચન-મનન, ચિ'તન, સ’ગીત, સત્સંગ અને નવાનવા સ્નેહસંબંધો વધારવાના પાતાના આગવા શેખને કારણે ઘણી સામાજિક, ધાર્મિક સંસ્થાઓની સાથે સકળાઈ ને સમાજસેવાના કામમાં પણ ઘણું મોટું પ્રદાન કરેલ છે. અખિલ હિંદ શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી શકુન્તલા કાંત્લિાલ ઇશ્વરલાલ ગલ્સ હાઈસ્કૂલ, વિલેપારલે સેવા સમાજ કેળવણી મંડળ, પારલા જૈન સંઘ, મહાવીર જૈન વિદ્યાલય, નાણાવટી હૈસ્પિટલ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, શેવિજયજી જૈન ગુરુકુળ, મુંબઈની જીવદયા મ`ડળી અને અન્ય કેટલીક સંસ્થાઓના મત્રી, પ્રમુખ અગર કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા છે અને ભારતને સ્વરાજ્ય મળ્યા બાદના પ્રથમ જે. પી. અને એનરરી પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટોની નિમણૂક થયેલી ત્યારે તેમની પણ નિમણૂક થયેલી અને ૧૭ વર્ષ સુધી એ પદ ભોગવીને ૬૦ વષે નિવૃત્ત થયેલ. તેએ ૪૨ થી વધુ વર્ષોથી રાટેરિયન અને ફ્રી-મેસન પણ છે. નાની ઉંમરથી કમાતા થયા ત્યારથી તે ખંધારણ પૂર્વક વ્યવસ્થિત રીતે પેાતાની કમાણીના સારા એવા ભાગ શુભ કાર્યોમાં સ્વેચ્છાથી વાપરતા રહેલા. આવી તેમની પાતાની સચ્ચાઈ, સહૃદયતા, ધગશ, મળતાવડાપણું અને નિસ્પૃહ ભાવે સબધ બાંધવા અને નિભાવવાની તેમની ઉચ્ચતમ ભાવનાએ સમાજે તેમને ઘણા ઉચ્ચ સ્થાને બેસાડયા છે. હાલમાં ધંધાદારી ક્ષેત્રે મુંબઈના પ્રખ્યાત અલંકાર સિનેમામાં ભાગીદાર છે. ઘણા જ સેવાભાવી, વ્યવહારકુશળ અને નેકલિ શ્રી સી. ટી. શાહ નામે ઓળખાતા ચંદુલાલભાઈ ટી. શાહ ખરેખર જ આપણા સમાજના ગૌરવરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy