________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૧૯
છસ્સો માણસ જમાડ્યા. માનવતાનાં કાર્યોમાં શ્રી ચીનુભાઈ ને હુમેશાં લિપી રહે છે. ઘેઘા, તણસા અને વાળુકડ જેવાં નાનકડાં ગામે કે જ્યાં સામાન્ય રીતે દાક્તરી સેવાઓ ઉપલબ્ધ નથી હાતી ત્યાં તેઓએ નેત્રયજ્ઞ કરાવી સેંકડા માણસાને આંખની મફત સારવાર અપાવી. ખરેખર, તેઓ જિનહિતાર્થે કામ માટે અન્યને પ્રેરણારૂપ બન્યા છે, લોક સ્વમાનભેર રોટલા કમાતા થાય એ માટે જરૂરિયાતવાળાને અમ્બર ચા વસાવી આપ્યા. તેમનાં માતુશ્રીની અંતિમ ઇચ્છાને માન આપીને તેમણે ભાવનગરમાં ઘેઘા—સલ પર એક વૃદ્ધાશ્રમની સ્થાપના કરી છે. અહીં વૃદ્ધ ભાઈ બહેનેાની કુટુંબની જેમ સંભાળ રખાય છે. આ સંસ્થા આજના યુગનાં ઘણાં કુટુ ંબ માટે આશીર્વાદ સમાન થઈ પડી છે.
શ્રી ચીનુભાઈ એ લગ્ન વગેરે પ્રસંગે દબદબા અને આડંબરભર્યો ખેાટા ખર્ચો બંધ કરાવવા માટે પણ સફળ ઝુ ંબેશ કરી છે. સમાજના ગરીબ વર્ગને તેમના તરફથી નિયમિત દાન પણ મળ્યા કરે છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન પણ શ્રી ચીનુભાઈના દરેક સામાજિક, ધાર્મિક અને માનવતાનાં કાર્યોમાં ઊંડા રસ લઈ સહયોગ આપી રહ્યાં છે.
આમ, ઘેઘા તાલુકામાં તબીબી ક્ષેત્રે સારા ફાળા આપેલ. નેત્રયજ્ઞ મેડીકલ કેમ્પ વગેરે તેઓએ કરાવ્યા છે. શિક્ષણક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્યમાં દાન આપેલ છે. યાદી-નેાંધ મુજબ મુંબઈમાં ઘેધારી વીશાશ્રીમાળી જૈન જ્ઞાતિના ટ્રસ્ટી છે. વિધવા બહેનેાની સહાય માટેના વિશાળ ટ્રસ્ટના તથા કેળવણી માટેના વધુ માન ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તથા ઘાઘારી જૈન સહાયક ટ્રસ્ટના પ્રમુખ છે. શ્રી ચીનુભાઈ સમગ્ર ગુજરાતના ગૌરવસસી અમરગઢ ( જીથરી )ની કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલની સલાહકાર સમિતિના સભ્ય છે. વીશાશ્રીમાળી જ્ઞાતિના વિકાસલક્ષી પાક્ષિકના સપાદક મંડળના અગ્રણી છે.
આવી બધી શુભ પ્રવૃત્તિઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે તેઓશ્રીને સ્પેશ્યલ એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટની પદવી આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org