SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૧૦૫ યુગવીર આચાર્યશ્રી વલ્લભસૂરિજીના પરમ ભક્ત સ્વ. શ્રી ખીમજીભાઈ હેમરાજભાઈ છેડા જૈન સમાજના અડીખમ થંભ, સામાજિક આગેવાન નેતા, યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિજીના અનન્ય ગુરુભક્ત, પ્રખર માનવતાવાદી, કચ્છ પ્રદેશની ગરીબ જનતાનાં આંસુ લૂછનાર, મૂંગા પશુઓના સંરક્ષક શ્રી ખીમજીભાઈ છેડાનું ૫૮ વર્ષની વયે તા. ૧૨-૧૨-૭૭ને રોજ સમાધિમરણ થયું. શ્રી ખીમજીભાઈ છેડા છેવટની ઘડી સુધી કર્મયોગી રહ્યા. તેમની ખોટ જૈન સમાજને વર્ષો સુધી સાલશે. તેમની કર્તવ્યપરાયણતા તથા શ્રાવકત્કર્ષ માટે બજાવેલી તેમની સેવાભક્તિ ઉપરાંત તેઓ કચ્છમાં સેંકડો પશુઓને પાળતા અને તેના દૂધની છાશ બનાવરાવી ગામડાઓના ગરીબ પરિવારને નિયમિત પહોંચાડતા. આ માટે તેમણે કદી કેઈન પાસેથી નથી ફંડ એકઠું કર્યું તેમ ઊપજ પણ કરી નથી. સંવત ૨૦૦૮માં વિજય વલ્લભસૂરિજી મહારાજ મુંબઈ પધાર્યા ત્યારે શ્રાવકેત્કર્ષ માટે રૂપિયા પાંચ લાખની પૂ. આચાર્યશ્રીની ટહેલ શ્રી ખીમજીભાઈએ ભારે જહેમત લઈને પૂરી કરાવી આપી. આત્માનંદ જેન સભાને માટે ધનજી ટ્રીટમાંથી પિતાની જગ્યા કાઢી આપી. સંસ્થાઓ પ્રત્યેની તેમની આત્મીયતાના આ પ્રસંગથી દર્શન થાય છે. કેન્ફરન્સના અધિવેશનમાં તેમણે જે કામ કર્યું છે તેમ જ થાણામાં પૂ. આચાર્યશ્રીએ ઉપધાન કરાવેલાં ત્યારે મતમતાંતરોનું સમાધાન કરાવી ઉપધાનની ઉપજની રકમની ફાળવણીમાં નવી ક્રાંતિ લાવ્યા હતા. - શ્રી ખીમજીભાઈને અંત સમયે કે મમતા કે આસક્તિ ન રહી ન હતી. સામાજિક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રે પિતાની સેવા આપી જીવન સમર્પણ કરી ધન્ય બની ગયા છે. છે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy