________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૦૧ સ્વ. કંચનબેન કુંવરજીભાઈ મહેતા - તપસ્વી સુશ્રાવિકા વ. કંચનબેન મહેતા, કુંવરજી છગનલાલ મહેતા “જૈન ડેરીવાલા”નાં ધર્મપત્ની હતાં. તેઓએ પૂજ્ય આચાર્ય મહારાજ, ઉપાધ્યાય મહારાજ, સાધુ-મુનિરાજ અને સાધ્વીજી મહારાજની નિશ્રામાં તપ-જપ-ઉપધાન વગેરેની સુંદર આરાધના કરી છે.
એમણે બે ઉપધાન, વર્ષીતપ, વર્ધમાનતપ, નવપદ તપની ઓળીઓ, ચતુવિશતિ ભગવંતતપ, સાત-આઠ-નવ-અગ્યાર ઉપવાસ અને પર્વ દિને પૌષધની આરાધના કરી હતી. ભાઈન્દર, તળાજા અને શ્રી શત્રુંજય ઉપર પ્રભુ બિરાજમાન કર્યા છે. શ્રી કેટ શાંતિનાથજી દેરાસરમાં પટ ચિતરાવે છે. ઉજમણું પણ કરાવેલ છે. ઘોઘા, જૂનાગઢ, પ્રભાસપાટણ, કદમ્બગિરિ, શિવ, ચેંબુર, જેસર વગેરે અનેક તીર્થસ્થળોમાં આયંબિલ ખાતાં તથા ભેજનશાળામાં તિથિઓ નેધાવી હતી. સન્મેદશિખરજી જેવાં મોટાં મોટાં તીર્થોની યાત્રાઓ પણ કરી છે. શત્રુંજયગિરિ ૯૯ યાત્રા કરી અને દર વરસે શત્રુંજય તીર્થની યાત્રા પણ કરતાં હતાં.
સુપાત્રે દાન દેવું, સાધર્મિક ભક્તિ કરવી અને ગુપ્તદાન દેવું તે એમના જીવનની ટેક હતી. તપસ્યા સદા ચાલુ જ રહેતી. તેઓ તપ સાથે સંપૂર્ણ શાંતિ ને સમતા રાખી શકતાં હતાં. સદાચાર ને સંસ્કારથી તેમનું જીવન ભરપૂર હતું. - તેમના જીવનના ગુણમાંથી પતિ કુંવરજીભાઈ પુત્ર ચંદુભાઈ, હેમન્તભાઈ, પુત્રવધૂ રમાબેન પ્રેરણા મેળવી જીવનયાપન કરી રહ્યાં છે. અંતમાં તેમના કુટુંબીજનોને વધુ ધર્મકાર્યો કરવાની શક્તિ મળે તેવી શાસનદેવને પ્રાર્થના. પૌત્ર દીપકભાઈ દિવ્યેશભાઈ, પરાગભાઈ પ્રપૌત્ર રાહુલ, પૌત્રી સ્વાતિ, ફાલ્ગની, મનિષા.
સ્વ. કંચનબેનની શુભ સ્મૃતિ નિમિત્તે “વિધિ સંગ્રહ” પુસ્તકમાં તેઓએ કિંચિત લાભ લીધો હતે.
સ્વર્ગવાસ સં. ૨૦૨૫ માગરસ સુદ ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org