________________
ઉત્તરઝયણાણિ
૬૦૨
અધ્યયન-૨૫ : આમુખ
આસક્તિથી ભરેલો છે તેને કર્મ-પુદ્ગલો ચોટે છે અને જે અનાસક્ત છે, કર્મ તેને ચોંટતાં નથી.” (ગ્લોર ૩૮-૪૧)
‘બાહ્ય-ચિહ્ન, વેષ વગેરે આંતરિક પવિત્રતાનાં દ્યોતક નથી. બાહ્ય ચિહ્ન માત્ર સંપ્રદાયગત અસ્તિત્વનાં દ્યોતક છે. મુંડિત હોવા માત્રથી કોઈ શ્રમણ બની જતો નથી. ૐકારનો જાપ કરવા માત્રથી કોઈ બ્રાહ્મણ બની જતું નથી, અરણ્યમાં રહેવા માત્રથી કોઈ મુનિ બની જતું નથી, દર્ભ–વલ્કલ વગેરે ધારણ કરવામાત્રથી કોઈ તાપસ બની જતું નથી.' (શ્લોક ૨૯)
સમભાવથી સમણ બને છે, બ્રહ્મચર્યનું પાલન કરવાથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપસ્યાથી તાપસ બને છે.” (ગ્લો ૩૧)
“જાતિવાદ અતાત્ત્વિક છે, પોતપોતાના કાર્યથી વ્યક્તિ બ્રાહ્મણ વગેરે બને છે, જાતિ કાર્યના આધાર પર વિભાજિત છે. જન્મના આધારે નહીં. મનુષ્ય કર્મથી બ્રાહ્મણ બને છે, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને કર્મથી શૂદ્ર.” (ગ્લો. ૩૧)
વેદ, યજ્ઞ, ધર્મ અને નક્ષત્રનું મુખ કયું છે? પોતાના તથા બીજાઓના આત્માને સુધારવા માટે કોણ સમર્થ છે?—આ પ્રશ્નોનું સમાધાન મુનિ જયધોષે વિસ્તારથી આપ્યું છે. (શ્લોક ૧૬-૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org