SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૧૦૨૦ પરિશિષ્ટ ૬: તુલનાત્મક અધ્યયન બ્રાહ્મણ જયઘોષ અને વિજયધોષ નામના બે ભાઈઓ હતા. જયઘોષ મુનિ બની ગયા. વિજયધોષે યજ્ઞનું આયોજન કર્યું. મુનિ જયઘોષ યજ્ઞવાટમાં ભિક્ષા લેવા ગયા. યજ્ઞ-સ્વામીએ ભિક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યું કે આ ભોજન માત્ર બ્રાહ્મણોને જ આપવામાં આવશે. ત્યારે મુનિ જયઘોષે સમભાવપૂર્વક તેને બ્રાહ્મણનાં લક્ષણો બતાવ્યાં. ઉત્તરાધ્યયનના પચીસમા અધ્યયનમાં ૧૯ મા શ્લોકથી ૩૨ મા શ્લોક સુધી બ્રાહ્મણોના લક્ષણોનું નિરૂપણ છે અને (૨૮, ૨૯, ૩૦, ૩૧ સિવાયના) પ્રત્યેક શ્લોકના અંતે ‘ત વયે ગૂમ માહ' એવું પદ આવે છે. આની તુલના ધમ્મપદના બ્રાહ્મણ વર્ગ (૩૬ મો), સુત્તનિપાતના વાસેક્રે સુત્ત (૩૫)ના ૨૪મા અધ્યાય સાથે થઈ શકે. ધમ્મપદના બ્રાહ્મણવર્ગમાં ૪૨ શ્લોકો છે અને તેમાં નવ શ્લોકો (૧, ૨, ૫, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૨) સિવાય બાકીના બધા શ્લોકોનું અંતિમ ચરણ ‘તમદં બ્રિાહા' છે. સુત્તનિપાતનું વાસેટ્ટ સત્ત' ગદ્ય-પદ્યાત્મક છે. તેમાં ૬૩ શ્લોકો છે. તેમાંથી ૨૯ શ્લોકો (૨૭-૪૫)નું અંતિમ ચરણ ‘તમ€ વૃનિ બ્રાહ્મ' છે. તેમાં કોણ બ્રાહ્મણ કહેવાય અને કોણ નહીં તે બન્ને પ્રશ્નોનું સરસ વિવેચન છે. અંતિમ નિષ્કર્ષ એ જ છે કે બ્રાહ્મણ જન્મના નહીં, કર્મણા હોય છે. મહાભારત, શાંતિપર્વ, અધ્યાય ૨૪૫માં ૩૬ શ્લોકો છે. તેમાં સાત શ્લોકો (૧૧, ૧૨, ૧૩, ૧૪, ૨૨, ૨૩, ૨૪)ના અંતિમ ચરણમાં ‘તું તેવા દ્વારા વિદુ:' એવું પદ છે. ત્રણેમાં બ્રાહ્મણના સ્વરૂપની મીમાંસા છે. ઉત્તરાધ્યયન અનુસાર બ્રાહ્મણ (૧) જે સંયોગમાં પ્રસન્ન નથી થતો, વિયોગમાં ખિન્ન નથી થતો, (૨) જે આર્ય-વચનમાં રમણ કરે છે, જે પવિત્ર છે, જે અભય છે, (૩) જે અહિંસક છે, (૪) જે સત્યનિષ્ઠ છે, (૫) જે અચૌર્યવ્રતી છે, (૬) જે બ્રહ્મચારી છે, (૭) જે અનાસક્ત છે, (૮) જે ગૃહત્યાગી છે, (૯) જે અકિંચન છે, (૧૦) જે ગૃહસ્થોમાં અનાસક્ત છે અને (૧૧) જે સમસ્ત કર્મોથી મુક્ત છે – તે બ્રાહ્મણ કહેવાય છે. ધમ્મપદ તથા સુત્તનિપાત અનુસાર બ્રાહ્મણ (૧) જેને પાર, અપાર અને પારાપાર નથી, જે અનાસક્ત છે, (૨) જે ધ્યાની છે, નિર્મળ છે, આસનબદ્ધ છે. ઉત્તમાર્થી છે, (૩) જે પાપ-કર્મથી વિરત છે, (૪) જે સુસંવૃત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy