SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ (૪) રાલક–કાંગની પરાળ. (૫) અરણ્ય-તૃણ—શ્યામાક વગેરે.૧ ૧૫. કુતૂહલ શોધનાર (જોમિT) વૃત્તિકાર અનુસાર મૂળ પાઠ ‘છોડાસિયા’ છે. આનો અર્થ છે– કુતૂહલપ્રાપ્ત. તેમણે ‘જો મિ’ને પાઠાંતર માની તેના બે અર્થ કર્યા છે—(૧) કુતૂહલના કારણે મૃગની માફક અજ્ઞાની, (૨) અમિત કુતૂહલવાળું. બીજા અર્થમાં કૌતુક અને અમિત–આ બે શબ્દોનો યોગ સ્વીકારાયો છે. અમે ‘મૃગંળ અન્વેષો’ ધાતુના આધારે ‘જોમિT’નો અર્થ-કૌતુક શોધનાર એવો કર્યો છે. આની ‘જોડાસિયા’ સાથે અર્થસંગતિ થાય છે. ૧૬. બીજા સંપ્રદાયોના .... સાધુ (પાખંડા) પાસંડ શબ્દ શ્રમણનું પર્યાયવાચી નામ છે. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં ‘પસંદ’ શબ્દ શ્રમણ સંપ્રદાયના અર્થમાં પ્રયોજાતો હતો. આવશ્યક (૪)માં ‘પરમંડ પસંસા' અને ‘પરવાસંડ સંથવો'એવા પ્રયોગો મળે છે. ઉત્તરાધ્યયન ૧૭૦૧૭માં ‘પરવાસંદ’ શબ્દ પ્રયુક્ત થયો છે. અહીં ‘પાપહ’ની સાથે ‘પર’ શબ્દ છે, તેનાથી ‘આત્મ-પાષવુ’ અને ‘પરપાપ૬’–એવા બે પ્રકારો સ્વયં ફલિત થાય છે. ૫૭૮ અશોક પોતાના બારમા શિલાલેખમાં કહે છે—‘દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા સર્વ પ્રકારે શ્રમણોની (પાખંડીઓની) પરિવ્રાજકોની અને ગૃહસ્થોની દાન-ધર્મ વડે તથા અન્ય અનેક પ્રકારે પૂજા કરે છે. પણ દેવોનો પ્રિય દાન અને પૂજાને એટલું મહત્ત્વ નથી આપતો જેટલું સહુ પાખંડીઓની સાર-વૃદ્ધિને આપે છે.' સાર-વૃદ્ધિના અનેક પ્રકારો છે. તેનું મૂળ છે વાચા-ગુપ્તિ. ઉદાહરણાર્થ આત્મ-પાખંડીની સરભરા ન કરે અને પરપાખંડીની નિંદા ન થવા દે. જો કોઈ ઝઘડાનું કારણ ઉપસ્થિત થઈ પણ જાય તો તેને મહત્ત્વ ન આપે. ‘પર-પાખંડ’નું માન રાખવું અનેક પ્રકારે યોગ્ય છે. આવું કરવાથી તે ‘આત્મ-પાખંડ’ની નિશ્ચયપૂર્વક અભિવૃદ્ધિ કરે છે અને ‘૫૨-પાખંડ’ ઉપર પણ ઉપકાર કરે છે. ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૬૦૦ : સ્થાનાંગ ૧૦।૧૩૫ માં દસ ધર્મોમાં ચોથો ધર્મ ‘પાખંડ’ ધર્મ છે. અભયદેવસૂરિએ તેનો અર્થ−‘પાખંડીઓનો આચાર' કર્યો છે.’ સ્થાનાંગ ૧૦।૧૩૬માં દસ પ્રકારના સ્થવિરો દર્શાવવામાં આવ્યા છે. તેમની સાથે તુલના કરવાથી લાગે છે કે પાખંડનો અર્થ ‘ધર્મ-સંપ્રદાય’ થવો જોઈએ. ગ્રામધર્મ ગ્રામસ્થવિર નગરધર્મ નગરસ્થવિર રાષ્ટ્રધર્મ રાષ્ટ્રવિર પાખંડધર્મ પ્રશાસ્ત્રસ્થવિર કુલધર્મ કુલસ્થવિર અસ્તિકાયધર્મ સંખ્યાક્રમથી પ્રશાસ્ત્ર-સ્થવિર ચોથો છે. તેનો અર્થ છે—ધર્મોપદેશક. દસ ધર્મોમાં તેની સંખ્યાક્રમથી પાખંડ-ધર્મ સાથે તુલના થાય છે, એટલા માટે તેનો અર્થ ‘ધર્મ-સમ્પ્રદાય' જ હોવો જોઈએ. ૨. गणपणगं पण भणियं जिणेहिं कम्मट्टगठिमहणेहिं । साली वीही कोद्दवरालगरण्णे तिणाई च ।। એજન, પત્ર ૦૧ : hૌતુ ભૂતમ્, આશ્રિતા:-- પ્રતિપન્ના:, ઋતુાશ્રિતા:, પદ્યતે = ‘જોઙામિન'ત્તિ, Jain Education International અધ્યયન-૨૩ : ટિ. ૧૫-૧૬ ૩. ૪. ગણધર્મ સંઘધર્મ શ્રુતધર્મ ચારિત્રધર્મ For Private & Personal Use Only ગણસ્થવિર સંઘસ્થવિર જાતિસ્થવિર શ્રુતસ્થવિર પર્યાયસ્થવિર तत्र कौतुकात् मृगा इव मृगा अज्ञत्वात् अमितकौतुका वा । दशवैकालिक नियुक्ति गाथा १६४, १६५ । દાળ, ૧૦ । ૧૩, વૃત્તિ, પત્ર ૪૮૧ : પહ≤ધર્મ: पाखण्डिनामाचार: । www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy