________________
જીવાજીવવિભક્તિ
૯૩૧
અધ્યયન-૩૬: ટિપ્પણ ૧૧-૧૨
જઘન્ય પરીત અનંત રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે કાઢી લો. બાકીની રાશિ મધ્યમ પરીત અનંત થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અનંત બને છે. એક વધુ મેળવવાથી જાન્યયુક્ત અનંત થાય છે.
જઘન્ય યુક્ત અનંત રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે બાદ કરો. બાકીની રાશિ મધ્યમ પરીત અનંત થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અનંત બને છે. એક વધુ મેળવવાથી જધન્ય અનંત અનંત બને છે, જઘન્ય અનંત અનંતથી આગળની સંખ્યા બધી મધ્યમ અનંત અનંત હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ અનંત અનંત હોતી નથી. ૧૧. સંસ્થાનની અપેક્ષાથી (સંતો ) પુલના જે અસાધારણ ધર્મો છે, તેમાં સંસ્થાન પણ એક છે. તેના બે ભેદ છે – (૧) ઈત્યસ્થ અને (૨) અનિત્યસ્વ.
જેના ત્રિકોણ, ચતુષ્કોણ વગેરે આકાર નિયત હોય, તેને ઈન્થસ્થ’ કહેવામાં આવે છે તથા જેનો કોઈ નિર્ણાત આકાર ન હોય તેને “અનિત્થસ્થ' કહે છે.
ઇન્વેસ્થના પાંચ પ્રકાર છે – (૧) પરિમંડલ – ચૂડીની માફક ગોળ, (૨) વૃત્ત –દડાની માફક વર્તુળાકાર, (૩) વ્યગ્નત્રિકોણ, (૪) ચતુરગ્ન – ચોખ્ખણ અને (૫) આયત-દોરડાની માફક લાંબો. ૧૨. (શ્લોક ૪૮-૫૦)
સિદ્ધ થયા પછી બધા જીવો સમાન સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેમનામાં કોઈ ઉપાધિ-જનિત ભેદ રહેતો નથી. છતાં પણ પૂર્વઅવસ્થાની દષ્ટિએ તેમના ભેદ કરવામાં આવ્યા છે – (૧) શ્રી સિદ્ધ,
(૮) જઘન્ય અવગાહનાવાળા સિદ્ધ, (૨) પુરુષ સિદ્ધ,
(૯) મધ્યમ અવગાહનાવાળા સિદ્ધ, (૩) નપુંસક સિદ્ધ,
(૧૦) ઉર્વ દિશામાં થનાર સિદ્ધ, (૪) સ્વ-લિંગ સિદ્ધ,
(૧૧) નિમ્ન દિશામાં થનાર સિદ્ધ, (૫) અન્ય-લિંગ સિદ્ધ,
(૧૨) તિરછી દિશામાં થનાર સિદ્ધ, (૬) ગૃહિલિંગ સિદ્ધ,
(૧૩) સમુદ્રમાં થનાર સિદ્ધ, (૭) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ,
(૧૪) નદી વગેરેમાં થનાર સિદ્ધ. આ રીતે ચૌદ પ્રકાર થાય છે. તેમાં પહેલા ત્રણ પ્રકાર લિંગની અપેક્ષાએ છે. તેનું તાત્પર્ય એ છે કે સ્ત્રી, પુરુષ, અને નપુંસક (કૃત નપુંસક) એ ત્રણે સિદ્ધ થઈ શકે છે.
પછીના ત્રણ વેશની અપેક્ષાએ છે, તેનું તાત્પર્ય એ છે કે જૈન-સાધુઓના વેશમાં, અન્ય સાધુઓના વેશમાં અને ગૃહસ્થ વેશમાં પણ જીવ સિદ્ધ થઈ શકે છે.
ત્રીજા ત્રિના ત્રણ ત્રણ પ્રકાર શરીરની લંબાઈની અપેક્ષાએ છે. તેનું છે કે નિર્દિષ્ટ અવગાહનાવાળા જીવો જ સિદ્ધ થાય છે.
TITI-શરીરની ઊંચાઈને અવગાહના' કહે છે. સિદ્ધ થનાર જીવોની અધિકમાં અધિક ઊંચાઈ ૫OOધનુષની હોય છે. ઓછામાં ઓછી ઊંચાઈ ૨ હાથની હોય છે. ૨ હાથથી વધુ અને ૫૦૦ ધનુષથી ઓછી ઊંચાઈને ‘મધ્યમ અવગાહના' કહે છે. સિદ્ધોની અવગાહના જઘન્ય, ઉત્કૃષ્ટ, અને મધ્યમ –ત્રણે પ્રકારની હોય છે.
અંતિમ પાંચ પ્રકાર ક્ષેત્રની અપેક્ષાએ છે. તેનું તાત્પર્ય એ છે કે જીવ કદાચ વિશેષ સંયોગોમાં ઉર્ધ્વલોક (નવસો યોજન ઉપર), નિમ્ન લોક (નવસો યોજન નીચે) અને જળાશય વગેરેમાં પણ સિદ્ધ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org