SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૯૩૦ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૦ જઘન્ય સંખ્યય સંખ્યા બે છે. એક સંખ્યા ગણના સંખ્યામાં આવતી નથી, કેમ કે લેણદેણના વ્યવહારમાં અલ્પતમ હોવાના કારણે એકની ગણતરી થતી નથી. “સંધ્યાયતે ત સંધ્યા’ અથ ભક્ત થઈ શકે તે સંખ્યા છે. આ રીતે જઘન્ય સંખ્યા બેથી શરૂ થાય છે. જધન્ય સંખ્યા બે છે અને અંતિમ સંખ્યા અનંત છે. સંખ્યાના બધા વિકલ્પો કલ્પનાના માધ્યમથી આવી રીતે સમજી શકાય છે ચાર પ્યાલા છે – અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકા. ચારે પ્યાલા એક લાખ યોજન લાંબા, એક લાખ યોજન પહોળા, એક હજાર યોજન ઊંડા, ગોળાકાર અને જંબુદ્વીપની જગતિના માપ જેટલા ઊંચા છે. પહેલા અવસ્થિત પ્યાલાને સરસવના દાણાથી એટલો ભરો કે એક દાણો પણ તેમાં વધુ નાખો તો તે સમાઈ શકે નહીં. તે પ્યાલાનો પહેલો દાણો જેબૂદ્વીપમાં, બીજો લવણસમુદ્રમાં, ત્રીજી ધાતકીખંડમાં –એ પ્રમાણે દ્વીપ અને સમુદ્રમાં ક્રમથી દાણા નાખતા જાઓ. (જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો-પહોળો છે, લવણસમુદ્ર તેનાથી બમણો અને ધાતકીખંડ તેનાથી બમણો છે – આ રીતે દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્ર પછી દ્વીપ એકબીજાથી બમણા છે.) અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્રો છે. અંતિમ દાણો જે સમુદ્ર કે દ્વીપમાં નાખો, તે માપનો બીજી વાર અનવસ્થિત પ્યાલો બનાવો. વળી પાછું તેનાથી આગળ એ જ રીતે અનવસ્થિત પ્યાલાનો એક એક દાણો પાડતા જાઓ. (એક વાર અવસ્થિતિ પ્યાલો ખાલી થઈ જાય તો એક દાણો શલાકા પ્યાલામાં નાંખો). આ ક્રમે એક એક દાણો નાખી શલાકા પ્યાલો ભરો. શલાકા પ્યાલો એટલો ભરાઈ જવો જોઈએ કે તેમાં એક દાણો પણ વધુ નાખવામાં આવે તો તે ન ટકી શકે. એક વાર શલાકા પ્યાલો ભરાઈ જાય એટલે પ્રતિશલાકામાં એક દાણ નાખો. જ્યારે આ કમ પ્રતિશલાકા પ્યાલો ભરાઈ જાય ત્યારે એક દાણો મહાશલાકા પ્યાલમાં નાખો, આ ક્રમે મહાશલાકા પ્યાલો ભરાયા બાદ પ્રતિશલાકા ભરો, પછી શલાકા પ્યાલો ભરો, પછી અનવસ્થિત પ્યાલો ભરો. બીજી રીતે આ વસ્તુ સરળતાથી આવી રીતે સમજી શકીએ અનવસ્થિત પ્યાલો – એક દાણો શલાકા શલાકા પ્યાલો – એક દાણો પ્રતિશલાકા પ્રતિશલાકા પ્યાલો – એક દાણો મહાશલાકા. ચારે પ્યાલા ભરાઈ ગયા પછી બધા દાણાનો એક ઢગલો કરો, તે ઢગલામાંથી બે દાણા હાથમાં લો, બાકીનો ઢગલો મધ્યમ સંખ્યાત છે. હાથનો એક દાણો ભેળવવાથી ઉત્કૃષ્ટ સંખ્યાત બને છે. હાથનો બીજો દાણો ભેળવવાથી જઘન્ય પરીત અસંખ્યાત થાય છે. જધન્ય પરીત અસંખ્યયની રાશિને જઘન્ય પરીત અસંખ્યયની રાશિ વડે જઘન્ય પરીત અસંખ્યય વાર ગુણો. જે રાશિ આવે તેમાંથી બે બાદ કરો. બાકીની રાશિ મધ્યમ પરીત અસંખ્યય થાય. એક વધુ ભેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અસંખ્યય બને છે. એક વધુ ભેળવવાથી જધન્ય યુક્ત અસંખ્યય બને છે. જધન્ય યુક્ત અસંખ્યયની રાશિને જધન્ય યુક્ત અસંખેય રાશિ વડે જઘન્ય યુક્ત અસંખ્યય વારે ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે બાદ કરવાથી બાકીની રાશિ મધ્યમ પરીત અસંખ્યય થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અસંખ્યય થાય છે. જધન્ય અસંખ્યય અસંખેય રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે બાદ કરો. બાકીની રાશી મધ્યમ અસંખ્યય થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ અસંખ્યય થાય છે. વળી એક વધુ મેળવવાથી જઘન્ય અસંખ્યય અસંખ્યય બને છે. જઘન્ય અસંખેય અસંખેય રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો, જે રાશિ મળે, તેમાંથી બે કાઢી લો. બાકી રાશિ મધ્યમ અસંખેય અસંખ્યય થાય છે. એક વધુ મેળવવાથી ઉત્કૃષ્ટ અસંખેય અસંખ્યય બને છે. વધુ એક મેળવવાથી જધન્ય પરીત અનંત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy