SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ ८४४ અધ્યયન-૩૨ : ટિપ્પણ ૧૧-૧૭ દૂધ વગેરેનું સર્વથા સેવન ન કરવાથી શરીર શુષ્ક થઈ જાય છે, બળ ઘટી જાય છે અને જ્ઞાન, ધ્યાન કે સ્વાધ્યાયની યથેષ્ટ પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમનું પ્રતિદિન કે અતિમાત્રામાં સેવન કરવાથી વિષયની વૃદ્ધિ થાય છે, એટલા માટે આચાર્યે એ જોવું જોઈએ કે તે પોતાના શિષ્યને ક્યારેક સ્નિગ્ધ અને ક્યારેક રક્ષ આહાર આપે. ૧૧. (gg) આ દેશી ધાતુ છે. આનો અર્થ છે – અંત કરવો. ૧૨. (શ્લોક ૨૩) ચક્ષુ રૂપનું ગ્રહણ કરે છે. ચક્ષુનો વિષય છે રૂપ. ચક્ષુ અને રૂપ – આ બન્ને વચ્ચે ગ્રાહ્ય ગ્રાહક ભાવ છે. રૂપ છે ગ્રાહ્ય અને ચક્ષુ છે ગ્રાહક. આનાથી એ સ્પષ્ટ થાય છે કે રાગ-દ્વેષની ઉત્પત્તિમાં બન્નેનો સહકારી ભાવ છે. જેવી રીતે રૂપ રાગ-દ્વેષનું કારણ છે તેવી જ રીતે ચક્ષુ પણ રાગ-દ્વેષનું કારણ છે. પ્રસ્તુત શ્લોકમાં મનોજ્ઞના સ્થાને ‘સમનોજ્ઞનો પ્રયોગ કરવામાં આવ્યો છે –સમપુત્રાદુ. વૃત્તિકારે આની અર્થ-સંગતિ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઈર્ષા, રોષ, દ્વેષ – આ બધા દૈષના પર્યાયો છે. અમનોજ્ઞ રૂપ પ્રત્યે જે ઈર્ષા, રોષ થાય છે તે બધો વૈષ જ છે. ૧૩. આસક્તિ (વિ...) વૃત્તિકારે ગૃદ્ધિનો અર્થ રાગ કર્યો છે તથા વાચક' પ્રવરનો એક શ્લોક ઉદ્ધત કરી રાગના પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. રાગના પર્યાયવાચી શબ્દો છે – ઈચ્છા, મૂચ્છ, કામ, સ્નેહ, ગાર્બ, મમત્વ, અભિનંદ, અભિલાષ વગેરે. ૧૪. (મિ) પૃ" શબ્દના અનેક અર્થો છે– પશુ, મૃગશીર્ષ નક્ષત્ર, હાથીની એક જાતિ, હરણ વગેરે. અહીં મૃગનો અર્થ ‘પશુ' છે.” ૧૫. ઔષધિઓ (મોહ) વૃત્તિકારે ઔષધીને ‘નાગદમની’ વગેરે ઔષધીઓનો સૂચક માન્યો છે." ૧૬. ભાવ મનનો (મગસ માd) કર્મના ઉદય અથવા ક્ષયોપશમથી નિષ્પન્ન ચિત્તની અવસ્થાનું નામ છે ભાવ. મનોવર્ગણાના આલંબનથી કરવામાં આવનાર ચિત્તનો વ્યાપાર છે – મન. ૧૭. ઈન્દ્રિય રૂપી ચોરોનું (વિથ વોર...) ઈન્દ્રિયો જ્ઞાનના સ્રોતો છે. તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષાયોપથમિક ભાવો છે. તેમને ચોર સાપેક્ષ દૃષ્ટિએ કહેવામાં આવેલ છે. જ્યારે તે રાગ-દ્વેષાત્મક પ્રવૃત્તિઓમાં લિપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્યનું ધર્મરૂપી સર્વસ્વ છિનવાઈ જાય છે. આ અપેક્ષાએ તેમને ચોર કહેવામાં આવેલ છે. ૪. ૧. વૃત્તિ , પત્ર દ૨૮ : કુંતિ–સાર્વત્થાન ક્ષોત્તિ - विनाशयन्ति । એજન, પત્ર ક્રૂ૦ ૩. એજન, પત્ર ક્રૂ૦: કુદ્ધિાર્થ રામચર્થ: ૩ દિ વાવ:इच्छा मूर्छा कामः स्नेहो गायं ममत्वमभिनन्दः । अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ।। એજન, પત્રદરૂ૪:મૃતપિપશુર, ૩“શીર્વે પ્તિનાત, મૃr: પશુવ્યો : " એજન, પત્ર ધરૂ૪: તથૌષધયોના Iિ: એજન, પત્ર દર૬ : ડુંદિયા વીરા રૂવ થર્વવાહરણ इन्द्रियचौराः। ૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy