SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. (અવંતાનH સમૂળસ્ત્ર) અંતનો અર્થ છે ‘છેડો.’ વસ્તુના બે છેડા હોય છે – આરંભ અને અંત. અહીં આરંભ ક્ષણનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તેનો શબ્દાર્થ છે – જેનો આરંભ ન હોય તેવો કાળ અર્થાત્ અનાદિ-કાળ. - ‘સમૂલTH’નો અર્થ છે – મૂળ-સહિતનું. દુઃખનું મૂળ કષાય અને અવિરતિ છે. એટલા માટે તેને ‘સમૂલ’ અર્થાત્ કષાય-અવિરતિ મૂલક કહેવામાં આવેલ છે. ૨. અજ્ઞાન અને મોહનું (માળ મોહH) અજ્ઞાન અને મોહમાં એક આંતરિક સંબંધ છે. જ્ઞાન મોહના કારણે જ અજ્ઞાન બને છે. જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ જ્ઞાન અને અજ્ઞાન – બન્નેમાં થાય છે. જે જ્ઞાનની સાથે દર્શનમોહના પરમાણુઓનો પ્રવાહ મળી જાય છે તે જ્ઞાન અજ્ઞાન બની જાય છે. તેથી તત્ત્વશ્રદ્ધા વિપરીત થઈ જાય છે. જ્ઞાનને અજ્ઞાન બનાવનાર દર્શનમોહ છે. તેનો વિલય મોક્ષનું પ્રથમ સોપાન છે. ૩. ગુરુ અને વૃદ્ધોની (ગુરુવિદ્ધ) ટિપ્પણ અધ્યયન ૩૨ : પ્રમાદસ્થાન ગુરુનો અર્થ છે ‘શાસ્ત્રને યથાવત્ બતાવનાર’. વૃદ્ધો ત્રણ પ્રકારના હોય છે – (૧) શ્રુત-વૃદ્ધ, (૨) પર્યાય-વૃદ્ધ અને (૩) વયો-વૃદ્ધ . ૪. ધૈર્ય (ધિÍ) ધૃતિનો અર્થ છે – મનનું નિયમન કરનારી શક્તિ. આયુર્વેદમાં આ જ અર્થ મળે છે. વૃત્તિકારે આનો અર્થ ચિત્તની સ્વસ્થતા, ચિત્તની અનુદ્વિગ્નતા કર્યો છે.૪ પ્રસ્તુત સૂત્રમાં નિગમન છે કે ચિત્તની સ્વસ્થતા વિના જ્ઞાનનો લાભ લઈ શકાતો નથી. કહ્યું છે – સ્વસ્થ ચિત્તે યુદ્ધય: પ્રક્ષ્રતિ ।’ ૫. (શ્લોક ૫) સરખાવો – દશવૈકાલિક ચૂલિકા, ૨/૧૦. ૬. એકલો જ વિહાર કરે (પો વિ....વિદ્દોન્ન) સામાન્ય સ્થિતિમાં મુનિ માટે એકલવિહાર વિહિત નથી. સ્થાનાંગમાં એકલવિહાર કરનારની યોગ્યતાનો નિર્દેશ છે. નિર્દિષ્ટ યોગ્યતાવાળો મુનિ જ આચાર્યની અનુમતિ પ્રાપ્ત કરી એકલવિહાર પ્રતિમા સ્વીકારી શકે છે. પ્રસ્તુત શ્લોકમાં એકલવિહાર પ્રતિમાનું પ્રતિપાદન નથી. આમાં આપવાદિક સ્થિતિનો ઉલ્લેખ છે. જો એવી સ્થિતિ આવી પડે કે પોતાનાથી અધિક ગુણવાળો અને સમાન ગુણવાળો કોઈ મુનિ ન મળે, તો તેવી અવસ્થામાં મુનિ એકલો રહીને પોતાની સાધના કરે. વૃત્તિકારનું કથન છે કે આ વિધાન ગીતાર્થ મુનિ માટે છે. ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૬૨૬ : અન્તતિાન્તોત્ત્વનો, ....અનાવિ: જાતો યસ્ય સોડ્યમન્ત્યનાનસ્તસ્ય । એજન, પત્ર ૬૨૨ : સહ મૂત્નેન-ષાયાવિત્તિરૂપેળ वर्त्तत इति समूलकः (कः ) प्राग्वत्तस्य, उक्तं हि'मूलं संसारस्स उ हुंति कसाया अविरती य ।" એજન, પત્ર ૬૨૨ : પુરવો—યથાવા શ્રમિધાયા ૨. ૩. Jain Education International ૪. ૫. ૬. वृद्धाश्च - श्रुतपर्यायादिवृद्धाः । એજન, પત્ર ૬૨૨ : ધૃત્તિશ્ન ચિત્તાશ્ર્ચમનુવિનમિત્યર્થ: । દાળ, ૮। ૨ । बृहद्वृत्ति, पत्र ६२३ : ...तथाविधगीतार्थयतिविषयं चैतद्, अन्यथैकाकिविहारस्यागमे निषिद्धत्वात् । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy