SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૮૨૬ અધ્યયન-૩૨ : આમુખ કરતો કરતો લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. (શ્લોક ૧૦૬, ૧૦૭, ૧૦૮) સાધનાની દૃષ્ટિએ આ અધ્યયનનું બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અપ્રમાદ જ સાધના છે. સાધકે પ્રતિપળ અપ્રમત્ત કે જાગરૂક રહેવું જોઈએ. નિર્યુક્તિકારે બતાવ્યું છે કે ભગવાન ઋષભ સાધનામાં પ્રાય: અપ્રમત્ત રહ્યા હતા. તેમનો સાધના-કાળ હજાર વર્ષનો હતો. તેમાં પ્રમાદ-કાળ એક દિવસ-રાતનો હતો. ભગવાન મહાવીરે બાર વર્ષ અને તેર પખવાડિયા સુધી સાધના કરી હતી. તેમાં પ્રમાદ-કાળ એક અંતર્મુહૂર્તનો હતો. બન્ને તીર્થકરોના પ્રમાદ-કાળને નિર્યુક્તિકારે ‘સંકલિત-કાળ” કહ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે એક દિન-રાત અને એક અંતર્મુહૂર્તનો પ્રમાદ એક સાથે થયો ન હતો. પરંતુ તેઓના સાધન.કાળમાં જે પ્રમાદ થયો, તેને સંકલિત કરવામાં આવે તો તે એક દિન-રાત અને એક અંતર્મુહૂર્તનો થાય છે.' શાજ્યાચાર્ય બતાવ્યું છે કેટલાક આચાર્યો અનુપપત્તિના ભયથી ભગવાન ઋષભ અને મહાવીરના પ્રમાદને માત્ર નિદ્રાપ્રમાદ માને છે. પરંતુ નિયુક્તિકાર અને શાન્તાચાર્યનો આવો મત નથી અને તે સંગત પણ છે. નિર્યુક્તિકારના નિરૂપણનો ઉદ્દેશ્ય એ છે કે જે રીતે ભગવાન ઋષભ અને મહાવીર અધિકાધિક અપ્રમત્ત રહ્યા છે, તે જ રીતે બધા શ્રમણો પણ અધિકથી અધિક અપ્રમત્ત રહે. ૧. (ક) ઉત્તરધ્યયન નિકુંત્તિ, થા ૬૨૩, ૨૪ : वाससहस्सं उग्गं तवमाइगरस्स आयरंतस्स । जो किर पमायकालो अहोरत्तं तु संकलिअं॥ बारसवासे अहिए, तवं चरंतस्स वद्धमाणस्स । जो किर पमायकालो, अंतमुहुत्तं तु संकलिअं॥ (५) बृहद्वृत्ति, पत्र ६२० : किमयमेकावस्थाभाविनः प्रमादस्य काल उतान्यथेत्याशंकयाह-संकलितः, किमुक्तं भवति?-अप्रमादगुणस्थानस्यान्तमौहूर्तिकत्वेनानेकशोऽपि प्रमादप्राप्तौ तदवस्थितिविषयभूतस्यान्तर्मुहूर्त्तस्यावयेयभेदत्वात्तेषामतिसूक्ष्मतया सर्वकालसङ्कलनायामप्यहोरात्रमेवाभूत् । तथा द्वादश वर्षाण्यधिकानि तपश्चरतो वर्द्धमानस्य यः किल प्रमादकालः प्राग्वत्सोऽन्तर्मुहूर्तमेव सङ्कलितः, इहाप्यन्तर्मुहूर्तानामसङ्ख्येयभेदत्वात्प्रमादस्थितिविषयान्तर्मुहूर्तानां सूक्ष्मत्वं, संकलनान्तर्मुहूर्तस्य च बृहत्तरत्वमिति भावनीयम् । बृहद्वृत्ति, पत्र ६२० : अन्ये त्वेतदनुपपत्तिभीत्या निद्राप्रमाद एवायं विवक्षित इति व्याचक्षते । ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy