________________
ઉત્તરજઝયણાણિ
૮૨૦
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૯
(૧૯) સુવિધિ - સદ્-અનુષ્ઠાન. (૨૦) સંવર – આશ્રવ-નિરોધ. (૨૧) આત્મદોષપસંહાર – પોતાના દોષોનો નિરોધ. (૨૨) સર્વકામ-વિરક્તતા – સમસ્ત વિષયોથી વિમુખતા. (૨૩) પ્રત્યાખ્યાન - મૂળ ગુણ વિષયક. (૨૪) પ્રત્યાખ્યાન – ઉત્તર ગુણ વિષયક. (૨૫) વ્યુત્સર્ગ – કાયોત્સર્ગ. (૨૬) અપ્રમાદ, (૨૭) લવાલવ – ક્ષણેક્ષણ સામાચારીનું પાલન કરવું. (૨૮) ધ્યાન - સંવર-યોગ. (૨૯) મારણાત્તિક ઉદય – મરણવેળાએ અલુબ્ધ રહેવું. (30) સંગનો ત્યાગ – જ્ઞ-પ્રતિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પ્રતિજ્ઞાથી ત્યાગ કરવો. (૩૧) પ્રાયશ્ચિત્ત કરવું.
(૩૨) મારણાન્તિક આરાધના – શરીર અને કષાયને ક્ષીણ કરવા માટે તપસ્યા કરવી. જુઓ – સમવાઓ, સમવાય ૩૨. ૩૯. તેત્રીસ આશાતનાઓમાં (તેત્તીસાસાયTY)
આશાતનાનો અર્થ છે – અવિનય, અશિષ્ટતા કે અભદ્ર વ્યવહાર. દૈનિક વ્યવહારોના આધારે તેમના તેત્રીસ વિભાગ કરવામાં આવ્યા છે –
(૧) નાના સાધુએ મોટા સાધુની આગળ ચાલવું. (૨) નાના સાધુએ મોટા સાધુની સમશ્રેણીમાં સાથોસાથ) ચાલવું. (૩) નાના સાધુએ મોટા સાધુની અડોઅડ રહીને ચાલવું. (૪) નાના સાધુએ મોટા સાધુની આગળ ઊભા રહેવું. (૫) નાના સાધુએ મોટા સાધુની સમશ્રેણીમાં (હરોળમાં) ઊભા રહેવું. (૬) નાના સાધુએ મોટા સાધુની અડોઅડ ઊભા રહેવું. (૭) નાના સાધુએ મોટા સાધુની આગળ બેસવું. (૮) નાના સાધુએ મોટા સાધુની સમશ્રેણિમાં (હરોળમાં) બેસવું. (૯) નાના સાધુએ મોટા સાધુની અડોઅડ બેસવું. (૧૦) નાના સાધુએ મોટા સાધુની પહેલાં (એક જળપાત્ર હોય એવી સ્થિતિમાં) આચમન કરવું –
શુચિ લેવી. (૧૧) નાના સાધુએ સ્થાનમાં આવી મોટા સાધુની પહેલાં ગમનાગમનની આલોચના કરવી. (૧૨) જે વ્યક્તિની સાથે મોટા સાધુએ વાર્તાલાપ કરવાનો છે, તેની સાથે નાના સાધુએ પહેલાં જ વાર્તાલાપ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org