________________
ચરણ-વિધિ
૮૦૩
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨
- ‘આવસ ! ગૌતમ ! આ રીતે ભેદ કર્યા, આ રીતે વિભક્ત, આ ત્રણ દંડોમાં નિગંઠ નાત-પુત્ત, પાપ-કર્મ માટે કાય-દંડને મહાદોષ-મુક્ત હોવાનું વિધાન કરે છે, એટલો વચન-દંડને નહીં, એટલો મન-દંડને નહીં.”
‘તપસ્વી ! કાય-દંડ કહો છો?” ‘‘આવુસ! ગૌતમ ! કાય-દંડ કહું છું.” ‘તપસ્વી ! કાય-દંડ કહો છો ?” ' આવુસ! ગૌતમ ! કાય-દંડ કહું છું.” ‘તપસ્વી ! કાય-દંડ કહો છો?” ‘આવુસ! ગૌતમ ! કાય-દંડ કહું છું.” આ પ્રમાણે ભગવાને દીર્ધ-તપસ્વી નિર્ગઠને આ કથા-વસ્તુ(=વાત)માં ત્રણવાર પ્રતિષ્ઠાપિત કર્યા. આમ કહેવાથી દીર્ધ-તપસ્વી નિગંઠે કહ્યું – તમે આવુસ! ગૌતમ! પાપ-કર્મ કરવાને માટે ૦ કેટલા દંડ-વિધાન કરો છો?” તપસ્વી ! ‘દંડ’ ‘દંડ” કહેવાનો તથાગતનો કાયદો નથી, ‘કર્મ’ ‘કર્મ' કહેવાનો તથાગતનો કાયદો છે.” “આવુસ ! ગૌતમ! તમે કેટલાં કર્મ વિધાન કરો છો?” તપસ્વી ! હું ત્રણ કર્મ બતાવું છું – જેવાં કે કાય-કર્મ, વચન-કર્મ, મન-કર્મ.” “આવુસ! ગૌતમ ! કાય-કર્મ બીજું જ છે, વચન-કર્મ બીજું જ છે, મન-કર્મ બીજું જ છે?” તપસ્વી ! કાય-કર્મ બીજું જ છે, વચન-કર્મ બીજું જ છે, મન-કર્મ બીજું છે.”
“આવુસ ! ગૌતમ !૦ આ રીતે વિભક્ત ૦ આ ત્રણ કાર્યોમાં, પાપ-કર્મ કરવાને માટે, કોને મહાદોષી ગણાવો છો – કાય-કર્મને કે વચન-કર્મને કે મન-કર્મને ?”
તપસ્વી ! ૦આ રીતે વિભક્ત ૦ આ ત્રણ કર્મોમાં મન-કર્મને હું મહાદોષી બતાવું છું.” “આવુસ ! ગૌતમ ! મન-કર્મ બતાવો છો?” તપસ્વી ! મન-કર્મ બતાવું છું.”
આવુસ ! ગૌતમ ! મન-કર્મ બતાવો છો ?” ‘‘તપસ્વી ! મન-કર્મ બતાવું છું.” “આવુસ! ગૌતમ ! મન-કર્મ બતાવો છો?” ‘તપસ્વી ! મન-કર્મ બતાવું છું.”
આ પ્રમાણે દીર્ઘ-તપસ્વી નિગંઠ ભગવાનને આ કથા-વસ્તુ(=વિવાદ-વિષય)માં ત્રણ વાર પ્રતિષ્ઠાપિત કરી, આસન પરથી ઊઠી જયાં નિર્ગઠ નાત-પુત્ત હતા, ત્યાં ચાલ્યો ગયો.' ૨. ગૌરવોનું (TRવાઇi)
ગૌરવનો અર્થ છે – ‘અભિમાનથી ઉત્તમ ચિત્તની અવસ્થા.” તે ત્રણ પ્રકારનું છે –
(૧) ઋદ્ધિ-ગૌરવ –ઐશ્વર્યનું અભિમાન. ૧. નિવાર, રાશ ૬, પૃ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org