SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ (૧) પ્રથમ ચાર વર્ષમાં વિચિત્ર અર્થાત્ અનિયત કાય-ક્લેશો દ્વારા શરીરને કૃશ કરવામાં આવે છે. (૨) બીજા ચાર વર્ષમાં વિકૃતિઓનો પરિત્યાગ કરી શરીરને સૂકવવામાં આવે છે. (૫) બારમા વર્ષના પ્રથમ છ માસમાં અવિસૃષ્ટ તપ– ઉપવાસ, છઠ્ઠ વગેરે કરવામાં આવે છે. (૬) બારમા વર્ષના બીજા છ માસમાં વિત્કૃષ્ટ તપ– અઠ્ઠમ, ચાર ઉપવાસ વગેરે કરવામાં આવે છે. બંને પરંપરાઓમાં સંલેખના વિષયમાં થોડો ક્રમ-ભેદ છે, પરંતુ તે વિચારણીય નથી. આચાર્ય શિવકોટિના શબ્દોમાં સંલેખના માટે તે જ તપ કે તેનો ક્રમ સ્વીકારવો જોઈએ કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને શરીર-ધાતુને અનુકૂળ હોય. સંલેખનાનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, તે જ ક્રમ છે, એવો નિયમ નથી. જેવી રીતે શરીરનું ક્રમશઃ સંલેખન (કૃશતા) થાય, તેવી રીત જ સ્વીકારવા યોગ્ય છે. (૩) નવમા અને દશમા વર્ષમાં આચામ્ય અને વિકૃતિ-વર્જન કરવામાં આવે છે. (૪) અગિયારમા વર્ષમાં માત્ર આરામ્ય કરવામાં આવે છે. રત્નકદંડક શ્રાવકાચારમાં ઉપસર્ગ, દુષ્કાળ, વૃદ્ધાવસ્થા અને અસાધ્ય રોગ પેદા થતાં ધર્મની આરાધના માટે કરવામાં આવતા શરીર ત્યાગને ‘સંલેખના' કહેવામાં આવેલ છે. પ. અવમૌદર્ય (ઊણોરિકા) (હેમોરિય) આ બાહ્ય-તપનો બીજો પ્રકાર છે. આનો અર્થ છે ‘જે વ્યક્તિની જેટલી આહાર-માત્રા હોય, તેનાથી ઓછું ખાવું.’ અહીં તેના પાંચ પ્રકાર દર્શાવ્યા છે -- (૧) દ્રવ્યની દૃષ્ટિએ અવમૌદર્ય, (૨) ક્ષેત્રની દૃષ્ટિએ અવમૌદર્ય, (૩) કાળની દૃષ્ટિએ અવમૌદર્ય, (૪) ભાવની દૃષ્ટિએ અવૌંદર્ય અને (૫) પર્યાયની દૃષ્ટિએ અવમૌદર્ય, ૧. ઔપપાતિકમાં આખું વિભાજન જુદી રીતે કરાયેલ છે – (૧) દ્રવ્ય-અવૌંદર્ય અને (૨) ભાવ-અવમૌદર્ય . દ્રવ્ય અવમૌદર્યના બે પ્રકાર છે – (૧) ઉપકરણ અવમૌદર્ય અને (૨) ભક્ત-પાન અવમૌદર્ય. ભક્ત-પાન અવૌંદર્યના અનેક પ્રકાર છે -- (૧) આઠ ગ્રાસ ખાનાર અલ્પાહારી ગણાય છે, (૨) બાર ગ્રાસ ખાનારનું અપાર્ક અવમૌદર્ય ગણાય છે, (૩) સોળ ગ્રાસ ખાનારનું અર્ધ અવૌંદર્ય ગણાય છે, (૪) ચોવીસ ગ્રાસ ખાનારનું પોણું અવૌદર્ય ગણાય છે અને (૫) એકત્રીસ ગ્રાસ ખાનારનું કિંચિત્ અવૌદર્ય ગણાય છે. . ૭૭૪ આ કલ્પના ભોજનની પૂર્ણ માત્રાના આધારે કરવામાં આવી છે. પુરુષના આહારની પૂર્ણ માત્રા બત્રીસ ગ્રાસ અને સ્ત્રીના પૂર્ણ આહારની માત્રા અઠ્યાવીસ ગ્રાસ ગણાય છે.” ગ્રાસનું પરિમાણ મરઘીના ઈંડા અથવા હજાર ચોખા જેટલું બતાવાયું છે. આનું તાત્પર્ય એ છે કે જેટલી ભૂખ હોય તેનાં કરતાં એક કોળિયો ઓછું ખાવું તે પણ અવમૌદર્ય છે. ક્રોધ, માન, માયા, લોભ, કલહ વગેરેને ઓછાં કરવાં તે ભાવ-અવમૌદર્ય છે. નિદ્રા-વિજય, સમાધિ, સ્વાધ્યાય, પરમ-સંયમ અને ઇન્દ્રિય-વિજય – એ બધાં અવમૌદર્યનાં ફળ છે.૧૯ ૩. ૪. (ક) મૂત્તારાધના, ફાર૩ । (ખ) મૂત્તારાધના વર્ષળ, રૂ।૨૫૪,પૃ. ૪૭૬ : વિકૃતિ: रसव्यंजनादिवर्जितमव्यतिकीर्णमोदनादि भोजनम् । અધ્યયન-૩૦ : શ્લોક ટિપ્પણ પ मूलाराधना, ३।२५४ । એજન, રૂારક ! रत्नकरण्डक श्रावकाचारः १२२ : उपसर्गे दुर्भिक्षे, जरसि रुजायां च निःप्रतीकारे । धर्माय तनुविमोचनमाहुः सल्लेखनामार्याः ॥ Jain Education International ओवाइयं, सूत्र ३३ । मूलाराधना, ३।२११ । ઓવાય, સૂત્ર ૩૨ ) મૂનારાધના વર્ષળ, પૃ. ૪૨૭ । ૫. ૬. ૭. ૮. ૯. વાવ, સૂત્ર રૂૐ । ૧૦. મૂનારાધના, રૂ।૨૧૬, અમિત ત્તિ, પૃ. ૪૨૮ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy