SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સવ-પરાક્રમ ૭૪પ અધ્યયન-૨૯: ટિપ્પણ ૬૧-૬૪ કાયાની ઋજુતા– યથાર્થ અર્થની પ્રતીતિ કરાવનારી કાયાની પ્રવૃત્તિ. વેષ-પરિવર્તન, અંગ-વિકાર વગેરેનું અકરણ. ભાષાની ઋજુતા–યથાર્થ અર્થની પ્રતીતિ કરાવનારી વાણીની પ્રવૃત્તિ. ઉપહાસ વગેરે નિમિત્તે વાણીમાં વિકાર ન લાવવો. ભાવની ઋજુતા- જેવો આંતરિક ભાવ હોય તેવો જ બહાર પ્રકાશિત કરવો. ભાવનો શાબ્દિક અર્થ છે–હોવું. પરિણમન. હોવું. અહીં ભાવ શબ્દનો અર્થ– ચેતનાનું પરિણામ, કર્માવૃત ચૈતન્યનું એક પ્રકાશ-રશ્મિ. જેનામાં ભાવ-ઋજુતા હોય છે તેની વાણી અને કાયાની પ્રવૃત્તિ અંતક્ષેતનાને અનુરૂપ હોય છે. અવિસંવાદન-યોગ– કોઈ કાર્યનો સંકલ્પ કરી તેને પાર પાડવું. બીજાઓને ઠગવા નહિ. આ સૂત્રના આધારે કહી શકાય કે ઋજુતાનું પરિણામ સત્ય છે. ૬૧. મૃદુ-માર્દવથી (મિડમર્વ) મૃદુનો અર્થ છે–વિનમ્ર. માર્દવનો અર્થ છે–વિનમ્ર સ્વભાવ અથવા વિનમ્રતાપૂર્ણ આચરણ. જે વ્યક્તિનું આચરણ મૃદુતાપૂર્ણ હોય છે તેને જ મૃદુ કહેવાય છે. અતિશય મૃદુતા દર્શાવવા માટે “મૃદુ-માર્દવ બંનેનો સંયુક્ત પ્રયોગ કરવામાં આવ્યો છે. ૬૨. (સૂત્ર ૫૦) શાન્તિ, મુક્તિ, આર્જવ અને માર્દવ–આ ચારેય ક્રમશઃ ક્રોધ, લોભ, માયા અને માનના વિજયનાં પરિણામ છે. જુઓ– સૂત્ર ૬૮-૭૧. જેનામાં માર્દવનો વિકાસ થાય છે તે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય– આ આઠ મદ-હેતુઓ પર વિજય મેળવી લે છે. ૬૩. (સૂત્ર ૫૧-૫૩) ભાવ-સત્યનો અર્થ અંતરાત્મા સચ્ચાઈ છે. સત્ય અને શુદ્ધિમાં કાર્ય-કારણ-ભાવ છે. ભાવની સચ્ચાઈથી ભાવની વિશુદ્ધિ થાય છે. ત્રેપનમા સૂત્રમયોગ-સત્યનો ઉલ્લેખ છે. તેનો એક પ્રકાર મનઃસત્ય છે. સ્વાભાવિક જ ભાવ અને મનનો ભેદ સમજવાની જિજ્ઞાસા થાય છે. ઈન્દ્રિયથી સૂક્ષ્મ મન અને મનથી સુક્ષ્મ ભાવ (આત્માનો આંતરિક અધ્યવસાય) હોય છે. મનનાં પરિણામને પણ ભાવ કહેવામાં આવે છે, પરંતુ પ્રકરણ અનુસાર અહીં તેનો અર્થ અંતરાત્મા જ સંગત છે. કરણ-સત્યનો સંબંધ પણ યોગ-સત્ય સાથે છે. કરવાનો અર્થ છે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, છતાં પણ કરવાની વિશેષ સ્થિતિને લક્ષ્યમાં રાખી તેને યોગ-સત્યથી અલગ દર્શાવવામાં આવેલ છે. કરણ-સત્યનો અર્થ છે–વિહિત કાર્યને સમ્યક પ્રકારે અને તન્મય બનીને કરવું. યોગ-સત્યનો અર્થ છે–મન, વચન અને કાયાને અવિતથ સ્થિતિમાં રાખવાં. આ ત્રણ સૂત્રોમાં વિશેષ વિચારણીય પદ ‘પરત્નો ધમસ્ત કારઅને ‘રત્તિ છે. પરલોક-ધર્મની આરાધનાનો અર્થ એવો છે કે ભાવ-સત્ય વડે આગામી જન્મમાં પણ ધર્મની પ્રાપ્તિ સુલભ બને છે. કરણ-શક્તિનો અર્થ છે તેવું કાર્ય કરવાનું સામર્થ્ય કે જેનો પહેલાં ક્યારેય અધ્યવસાય કે પ્રયત્ન પણ ન કરવામાં આવ્યો હોય. કરણ-સત્યતા અને કરણ-શક્તિના અભાવમાં જ કથની અને કરણીમાં અંતર પેદા થાય છે. તે બંનેનાં વિકસિત થવાથી વ્યક્તિ “યથાવાદી તથાકારી' બની જાય છે. ૬૪. (સૂત્ર ૫૪-૫૬). આ ત્રણ સૂત્રોમાં ગુણિનાં પરિણામોનું નિરૂપણ છે. ગુતિઓ ત્રણ છે–(૧) મન-ગુપ્તિ, (૨) વચન-ગુતિ અને (૩) કાયગુપ્તિ. જે સમિત (સમ્યક-પ્રવૃત્ત) હોય છે, તે નિયમથી જ ગુપ્ત હોય છે અને જે ગુપ્ત હોય છે તે સમિત હોઈ પણ શકે છે અને નહિ પણ અકુશળ મનનો વિરોધ કરનારો મનોગુપ્ત જ હોય છે અને કુશળ મનની પ્રવૃત્તિ કરનારો મનોગુપ્ત પણ હોય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy