SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝર્ષણાણિ ૭૩૬ અધ્યયન-૨૯: ટિપ્પણ ૩૧-૩૫ સત્યની વ્યાખ્યા કરનારા અનેક મતવાદ છે. તેમની જાળમાં ફસાઈને મનુષ્ય મિથ્યા દૃષ્ટિકોણો તરફ ઢળી જાય છે. આ રીતે ઢળવાનું મુખ્ય કારણ કાંક્ષા-મોહનીય કર્મ હોય છે. વિશદ જાણકારી માટે જુઓ–ભગવતી, ૧૩. ૩૧. વ્યંજનલબ્ધિને (વંનપદ્ધ) બૃહદુવૃત્તિમાં વ્યંજન-લબ્ધિની કોઈ વ્યાખ્યા નથી. “વંગM-દ્ધિ વ–આમાનાં ૨ કારને ત્યાં “પદાનુસારિતા-લબ્ધિ'નો સૂચક દર્શાવવામાં આવ્યો છે. એક પદ અનુસાર બાકીના પદોની પ્રાપ્તિ થઈ જાય તેવી શક્તિનું નામ “પદાનુસારિતા-લબ્ધિ છે. એ રીતે એક વ્યંજનના આધારે બાકીના વ્યંજનો મેળવી શકવાની ક્ષમતાનું નામ “વ્યંજન-લબ્ધિ હોવું જોઈએ. ૩૨. અનુપ્રેક્ષા (અર્થ-ચિન્તન)થી (મધુપ્રેરા) અનુપ્રેક્ષાના અનેક અર્થો છે–(૧) તત્ત્વનું ચિંતન કરવું, (૨) જ્ઞાત અર્થનો અભ્યાસ કરવો, (૩) અર્થનું ચિંતન કરવું, (૪) વસ્તુના સ્વભાવનું વારંવાર ચિંતન કરવું. વૃત્તિકારે અનુપ્રેક્ષાનો અર્થ આ પ્રમાણે કર્યો છે – અર્થનું વિસ્મરણ ન થઈ જાય એટલા માટે અર્થનું વારંવાર ચિંતન કરવું. અનુપ્રેક્ષાના છ લાભો દર્શાવાયા છે– ૧. કર્મના ગાઢ બંધનનું શિથિલીકરણ. ૪. પ્રદેશ-પરિમાણનું અલ્પીકરણ. ૨. દીર્ધકાલીન સ્થિતિનું અલ્પીકરણ. ૫. આગત વેદનીય કર્મનો ઉપચય ન થવો. ૩. તીવ્ર વિપાકનું મંદીકરણ. ૬. સંસારનું અલ્પીકરણ. અસાતવેદનીય કર્મના બંધનું કારણ છે–બીજાઓને દુઃખ આપવું, સતાવવા અથવા બીજાઓની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવો. તત્ત્વ, પદાર્થના સ્વભાવ અને અનિત્યત્વ વગેરેની અનુપ્રેક્ષા કરવાથી કરુણાની ચેતના જાગે છે, આત્મોપમ્ય દષ્ટિનું નિર્માણ થાય છે, કોઈ પણ પ્રાણીને દુઃખ આપવાની વૃત્તિ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે અનુપ્રેક્ષા કરનાર વ્યક્તિને અસાતવેદનીય કર્મને બંધ ફરી-ફરી થતો નથી. ૩૩. લાંબા માર્ગવાળી (ટીમ દ્ધ) અહીં “' કાર અલાક્ષણિક છે. મૂળ શબ્દ છે--તીરદ્ધતીઠું. તેના બે અર્થ છે–દીર્ઘ કાળ અને લાંબો માર્ગ ૬ આગમોમાં ‘મા’ શબ્દના બંને અર્થો મળે છે–કાળ અને માર્ગ. ૩૪. ચાર અંતવાળી (વાત) વૃત્તિકારે “અંત’નો અર્થ ‘અવયવ’ કર્યો છે. સંસારરૂપી અટવીના ચાર અવયવો છે–નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ." ૩૫. પ્રવચન (પ ). પ્રવચનનો અર્થ છે–આગમ. સંઘ અથવા તીર્થ આગમના આલંબનથી ચાલે છે, એટલા માટે ઉપચારથી આગમને પણ પ્રવચન કહેવામાં આવેલ છે. વિશેષ વિવરણ માટે જુઓ-૨૮૩૧નું ટિપ્પણ. १. बृहद्वृत्ति, पत्र ५८४ : चशब्दाव्यञ्जनसमुदायात्मकत्वाद्वा पदस्य तल्लब्धि च पदानुसारितालक्षणामुत्पादयति । એજન, પત્ર ૬૮૪ : મૂત્રવર્ધfપ સંમત વિસ્મરામત: सोऽपि परिभावनीय इत्यनुप्रेक्षा। ૩. પવ, ૮૧૪૨૩ ४. बृहद्वृत्ति, पत्र ५८५ : दीहमद्धं ति मकारोऽलाक्षणिकः दीर्घाद्धं दीर्घकालं, दीर्घोवाऽध्वा-तत्परिभ्रमणहेतुः कर्मरूपो मार्गो यस्मिन्। ૫. એજન, પત્ર ૧૮૬ : રત્વીર–ચતુતિન્નક્ષામતા-ઝવવા यस्मिंस्तच्चतुरन्तं संसारकांतारम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy