SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ ૬૯૪ અધ્યયન-૨૮: ટિ.૨૫ છે–ચારિત્રથી નિગ્રહ થાય છે. ખાલી કરવું અને નિગ્રહ કરવો વસ્તુતઃ એક નથી. પ્રશ્ન થાય છે કે આ ભેદ શા માટે? શાન્તાચાર્યે આના સમાધાનમાં લખ્યું છેૉપસ્યા પણ ચારિત્રની અંતર્ગત છે, એટલા માટે ચારિત્રના બે કાર્ય હોય છે– (૧) કર્મનો નિગ્રહ અને (૨) કર્મચયનું ખાલી કરવું." (૧) સામાયિક અને (૨) છેદોપસ્થાપનીય ચારિત્રના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે–સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાવાત. વાસ્તવિક રીતે તે એક જ છે. આ ભેદો વિશેષ દૃષ્ટિથી કરવામાં આવ્યા છે. સર્વસાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ જેમાં કરવામાં આવે છે તે સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રો આના જ વિશેષ રૂપો છે. જે બાવીસ તીર્થકરોએ સામાયિક ચારિત્રનો ઉપદેશ આપ્યો હતો. છેદોપસ્થાપનીયનો ઉપદેશ ભગવાન ઋષભ અને ભગવાન મહાવીરે આપ્યો હતો. સામાયિક ચારિત્ર બે પ્રકારનું હોય છે– (૧) ઈતર–ભગવાન ઋષભ અને ભગવાન મહાવીરના શિષ્યોને આ ઈવર-અલ્પકાળ માટે હોય છે. આની સ્થિતિ સાત દિવસ, ચાર માસ કે છ માસ છે. ત્યાર પછી તેના સ્થાને છેદોપસ્થાપનીય ચારિત્ર સ્વીકારવામાં આવે છે. (૨) યાવત્રુથિક–બાકીના બાવીસ તીર્થકરોના શિષ્યોને સામાયિક-ચારિત્ર યાવજીવન માટે હોય છે." શ્રુતસાગરસૂરિએ તત્ત્વાર્થવૃત્તિમાં સામાયિકના બે ભેદ–પરિમિત-કાલ અને અપરિમિત-કાલ–કર્યા છે. સ્વાધ્યાય વગેરેના સમયે જે સામાયિક કરવામાં આવે છે તે પરિમિત-કાલ-સામાયિક હોય છે. ઈર્યાપથ આદિમાં અપરિમિત-કાલ-સામાયિક હોય છે.' પૂર્વ પર્યાય (સામાયિક-ચારિત્ર)નો છેદ કરી મહાવ્રતોમાં ઉપસ્થિત કરવાને છેદો પસ્થાપનીય' કહેવામાં આવે છે." સામાયિક-ચારિત્ર સ્વીકાર કરતી વેળાએ સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરવામાં આવે છે, સાવદ્ય યોગનો વિભાગવાર ત્યાગ નથી કરવામાં આવતો. છેદોપસ્થાપનીયમાં વિભાગવાર ત્યાગ કરવામાં આવે છે. પાંચ મહાવ્રતોનો જુદો-જુદો ત્યાગ કરવા આવે છે, એટલા માટે આચાર્યવીરનંદીએ છેદનો અર્થ ભેદ અથવા વિભાગ એવો કર્યો છે. પૂજ્યપાદ અનુસાર ત્રણ ગુતિઓ १. बृहद्वृत्ति, पत्र ५६९ : 'एतद्' अनन्तरोक्तं सामायिकादि चयस्य-राशेः प्रस्तावात्कर्मणां रिक्तं-विरेकोऽभाव इति यावत् तत्करोतीत्येवंशीलं चयरिक्तकरं चारित्रमिति नैरुक्तो विधिः आह-वक्ष्यति-"चरित्तेण णिगिण्हाति तवेण य वि (ર) અતિ ઉત્ત' વાર્થ તેનાથ વિરોધ: ૨, ૩ષ્યતે, तपसोऽपि तत्त्वश्चारित्रान्तर्गतत्वात् । ૨. તત્ત્વાર્થ Tનવર્તિ ૧ | ૨૮ : સર્વસાવાનિવૃત્તિ लक्षणसामायिकापेक्षया एकं व्रतं, भेदपरतंत्रच्छेदोप स्थापनापेक्षया पंचविधं व्रतम्। ૩. (ક) મૂતાવાર, ૭ ૩૬ : बावीसं तित्थयरा, सामाइयं संजमं उवदिसंति । छेदोवट्ठावणियं पुण, भयवं उसहो य वीरो य।। (ખ) નવનિયુક્તિ, ફ૨૪૬ / बृहद्वृत्ति, पत्र ५६८ : एतच्च द्विधा-इत्वरं यावत्कथिकं च, तत्रेत्वरं भरतैरावतयोः प्रथमचरमतीर्थकरतीर्थयोरुपस्थापनायां छेदोपस्थापनीयचारित्रभावेन तत्र तद्व्यपदेशा भावात, यावत्कथिकं च तयोरेव मध्यमतीर्थकरतीर्थेषु महाविदेहेषु चोपस्थापनाया अभावेन तद्व्यपदेशस्य यावज्जीवमपि सम्भवात्। तत्त्वार्थ, ९ । १८ वृत्ति : तत्र सामायिकं द्विप्रकारम्परिमितकालमपरिमितकालञ्चेति । स्वाध्यायादौ सामयिकग्रहणं परिमितकालम् । ईर्यापथादावपरिमितकालं वेदितव्यम् । बृहद्वृत्ति, पत्र ५६८। વારસાર, લા ૬-૭ : વ્રત-તિ-TH:, પંર પંa fafd: I छेदैर्भेदैरुपेत्यार्थं , स्थापनं स्वस्थितिक्रिया ।। छेदोपस्थापनं प्रोक्तं, सर्वसावद्यवर्जने। व्रतं हिंसाऽनुतस्तेयाऽब्रह्मसंगेष्वसंगमः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy