________________
મોક્ષમાર્ગ-ગતિ
૬૮૭
અધ્યયન-૨૮: ટિ. ૧૭
વૈષ્ણવ તંત્ર
મોક્ષ પ્રાપ્તિને માટે જીવે ભગવદ્-ભક્તિ દ્વારા શરણાગતિ પ્રાપ્ત કરવી જોઈએ. મુક્ત-દશામાં જીવ બ્રહ્મ સાથે એકાકાર બની જાય છે અને તેનું પુનરાવર્તન નથી થતું. ‘બ્રહ્મભાવાપત્તિ' મુક્તિનું બીજું નામ છે. શૈવ તંત્ર
‘ક્રિયા’ મુક્તિનું સાધન છે, ‘જ્ઞાન નહિ. અનુગ્રહ-શક્તિ દ્વારા જીવ સંસારના બંધનોમાંથી છૂટી શકે છે.? શાક્ત તંત્ર
‘ભોગાત્મક-સાધન’ વડે મુક્તિ પ્રાપ્ત થાય છે. ભોગ અને મોક્ષમાં કોઈ અંતર નથી. આ મતમાં માતા, બહેન અને પુત્રીનો ભોગ કરનારાઓને પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે, એવું વિધાન છે." વિશેષિક
દ્રવ્ય, ગુણ વગેરે પર્ પદાર્થોના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મ મોક્ષનું સાધન છે, તેનાથી તત્ત્વ-જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ન્યાય-દર્શન
પ્રમાણ-પ્રમેય વગેરે સોળ પદાર્થોના જ્ઞાન વડે મિથ્યા-જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તદનંતર રાગ-દ્વેષ અને મોહનો નાશ થાય છે. આનાથી ધર્મ-અધર્મ રૂપ પ્રવૃત્તિનો નાશ થાય છે. આનાથી જન્મનો ક્ષય થાય છે અને આનાથી દુ:ખનો ક્ષય થાય છે. દુઃખનો અત્યંત ક્ષય જ મુક્તિ છે–અપવર્ગ છે. મુક્તાવસ્થામાં બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ તથા. સંસ્કારનો મૂલોછેદ થઈ જાય છે,
આ રીતે ભારતીય તત્ત્વચિતનમાં મોક્ષ-વિષયક અનેક માન્યતાઓ મળે છે. ૧૭. (શ્લોક ૧૬)
આ શ્લોકમાં દસ રુચિઓનો ઉલ્લેખ થયો છે. રુચિનો અર્થ છે–સત્યની શ્રદ્ધા, અભિલાષા. આ દસ રુચિઓમાં વિભિન્ન અપેક્ષાએ થનાર સભ્યત્ત્વના વિભિન્ન રૂપોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સ્થાનાંગમાં તેને ‘સરાગ સમ્યગુ-દર્શન’ કહ્યું છે.૧૧ તત્ત્વાર્થ રાજવાર્તિકમાં દસ પ્રકારના દર્શન-આર્ય બતાવવામાં આવ્યા છે. ૧૨ આ દસ દર્શન-આર્યો દસ રૂચિઓની સાથે કંઈક સમાન અને કંઈક ભિન્ન છે–
ઉત્તરાધ્યયન તત્ત્વાર્થ રાજવાર્તિક (૧) નિસર્ગચિ આજ્ઞારુચિ દર્શન-આર્ય
વીતરાગની આજ્ઞામાં વિશ્વાસ હોવાને કારણે જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. (૨) ઉપદેશરુચિ માર્ગરુચિ દર્શન-આર્ય
મોક્ષમાર્ગ સાંભળવાથી જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. अहिर्बुध्न्यसंहिता, ३७ । २७-३१ ।
૬, વૈશેષિક સૂત્ર, ૨૨૪T એજન, ૬ / ૨૭-૨૮ :
૭. વૈપિ સૂત્ર, ૨ ૨ ૨ | સર્વવનસંપ્રદ, g. ૨૭૪-૨૮૧ /
ચાસૂત્ર, ? ? ૨૨. શ્રી જુદા સમનતંત્ર, પૃ. ૨૭;
નતિ ચાવંગરી, પૃ. ૧૦૮ दुष्करैर्नियमैस्तीत्रैः, सेव्यमानो न सिद्ध्यति । ૧૦. વૃત્તિ , પત્ર ૬૩ /
सर्वकामोपभोगैस्तु, सेवयंश्चाशु सिद्ध्यति । ૧૧. ટાઇ, ૨૦ ૨૦૪ . ૫. શ્રી ગુરૂમ નતંત્ર, અધ્યાય - I
૧૨. તત્ત્વાર્થ રાનવાલ, રૂ૩૬, પૃ. ૨૦૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org