________________
મોક્ષમાર્ગ-ગતિ
૬૭૭.
અધ્યયન-૨૮: ટિ. ૯-૧૦
૯. (શ્લોક ૮)
સંખ્યાની દષ્ટિએ દ્રવ્યોના બે વર્ગીકરણ થાય છે–(૧) એક સંખ્યાવાળું અને (૨) અનેક સંખ્યાવાળું. ધર્મ, અધર્મ અને આકાશ સંખ્યામાં એક છે અને પુદ્ગલ તથા જીવ સંખ્યામાં અનેક. આ વિભાગ નિષ્કારણ નથી. જે વ્યાપક હોય છે તે એક જ હોય છે, તેમાં વિભાગ નથી હોતા. “ વૃદ્ધ માનનારાઓ બ્રહ્મને વ્યાપક માને છે. તે જ રીતે ધર્મ-અધર્મ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે તથા આકાશ લોક અને અલોક બંનેમાં, આથી કરીને વ્યક્તિરૂપે તે એક દ્રવ્ય છે. ૧૦. કાળ (શત્નો)
કાળ છ દ્રવ્યોમાં એક દ્રવ્ય પણ છે અને જીવ-અજીવનો પર્યાય પણ છે. આ બંને કથનો સાપેક્ષ છે, વિરોધી નથી. નિશ્ચય દષ્ટિએ કાળ જીવ-અજીવનો પર્યાય છે અને વ્યવહાર દષ્ટિએ તે દ્રવ્ય છે. તેને દ્રવ્ય માનવાના કારણે તેની ઉપયોગિતા છે. તે પરિણામનો હેતુ છે, એ જ તેનો ઉપકાર છે. એ જ કારણે તેને દ્રવ્ય માનવામાં આવે છે. કાળના સમય (અવિભાજય-વિભાગ) અનંત છે.
કાળને જીવ-અજીવનો પર્યાય અથવા સ્વતંત્ર દ્રવ્ય રૂપે માનવો–આ બંને મતો આગમગ્રંથોમાં તથા ઉત્તરવર્તી સાહિત્યમાં મળે છે. પ્રસ્તુત શ્લોક અનુસાર કાળનું લક્ષણ વર્તના છે–‘વત્તાdવવો તો 'ઉમાસ્વાતિએ કાળનું લક્ષણ–“વર્તનાપUિTH: શિયા પરત્વ પરત્વે વ નર્સ’ (તત્ત્વાર્થ પાર) આપ્યું છે. આની આંશિક તુલના વૈશેષિક દર્શનના ‘પરમિશ્નર, યુપન્વર fક્ષતિ તાનિ' (રારાર૬)-આ સુત્ર સાથે કરી શકાય.
શ્વેતાંબર પરંપરા અનુસાર વ્યાવહારિક-કાળ મનુષ્ય-ક્ષેત્ર પ્રમાણ છે અને ઔપચારિક દ્રવ્ય છે. નૈયિક-કાળ લોકઅલોક પ્રમાણ છે. દિગંબર પરંપરા અનુસાર ‘કાળ' લોકવ્યાપી અને અણુરૂપ છે. કાળને સ્વતંત્ર ન માનવાની પરંપરા પ્રાચીન જણાય છે. કેમ કે લોક શું છે? એ પ્રશ્નનો ઉત્તર શ્વેતાંબર અને દિગંબર ગ્રંથોમાં એક જેવો જ છે કે “લોક પંચાસ્તિકાયમય છે. જૈનેતર દર્શનોમાં કાળસંબંધમાં નૈઋયિક અને વ્યાવહારિક બંને પક્ષો મળે છે. નૈયાયિક અને વૈશેષિક કાળને સર્વવ્યાપી અને સ્વતંત્ર દ્રવ્ય માને છે. "સાંખ્ય યોગ તથા વેદાંગ વગેરે દર્શનો કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનતાં તેને પ્રકૃતિ-પુરુષનું જ રૂપ માને છે. પ્રથમ પક્ષ વ્યવહારમૂલક છે અને બીજો નિશ્ચયષ્ટિમૂલક.
શ્વેતાંબર પરંપરાની દષ્ટિએ ઔપચારિક અને દિગંબર પરંપરાની દૃષ્ટિએ વાસ્તવિક કાળના ઉપકાર કે લિંગ પાંચ છે–(૧) વર્તના, (૨) પરિણામ, (૩) ક્રિયા, (૪) પરત્વ અને (૫) અપરત્વ.”
નૈયાયિકો અનુસાર પરત્વ, અપરત્વ વગેરે કાળના લિંગ છે અને તેઓ વૈશેષિકો દ્વારા પ્રસ્તુત કાળ સંબંધી વર્ણનને માન્ય રાખે છે. વૈશેષિક દર્શનમાં પૂર્વ, અપર, યુગપત, ચીર અને ક્ષિપ્ર–ને કાળના લિગો માનવામાં આવે છે. કાળસંબંધી આ પહેલું સૂત્ર છે. તેના દ્વારા તેઓ કાળ-તત્ત્વને સ્વતંત્ર સ્થાપિત કરે છે અને આગળના ત્રણ સૂત્રો વડે તેને દ્રવ્ય, નિત્ય, એક અને સમસ્ત કાર્યોના નિમિત્તરૂપે વર્ણિત કરે છે. ૧. avi, Rા રૂ૮૭ : સયાતિ વા, માવત્તિયાતિ વા, ૫. (ક) ચાયaihi, ૪પ : जीवाति वा, अजीवाति वा पवुच्चति ।
जन्यानां जनकः कालो, जगतामाश्रयो मतः । तत्त्वार्थ सूत्र, ५ । ४० : सोऽनन्तसमयः ।
(ખ) વૈશેષિલન, રા રા ૬-૧૦ | દ્રવ્યસંદ, ૨૨ :
૬. તત્ત્વાર્થ સૂત્ર, ૧ / ૨૨ / लोगागासपदेसे, एक्कक्के जे ठिया हु एक्केक्का ।
૭. ચાયરિવા, ૪૬ : रयणाणं रासी इव, ते कालाणू असंखदव्वाणि ॥
परापरत्वधीहेतुः क्षणादिः स्यादुपाधितः । ૪. (ક) માવ, ૨૩ પી.
૮. 'રંવાધ્યાયી, પૃ. ૨૪ : શિવના -વ્યર્થ પ્રસં. (ખ) પંચાસ્તિકાય, નાથા રૂ.
૯. વૈષિા , મૂત્ર ૨ા ૨ાદ્દા (ગ) તત્ત્વાર્થ, મણ રૂ.૬ .
૧૦. એજન, સૂત્ર ૨૪૨ ૭, ૮,૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org