SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ આ અધ્યયનનું નામ મોવાડું—“મોક્ષ-મા-ત્તિ છે. મોક્ષ પ્રાપ્ય છે અને માર્ગ છે તેની પ્રાપ્તિનો ઉપાય. ગતિ વ્યક્તિનો પોતાનો પુરુષાર્થ છે. પ્રાપ્ય હોય અને પ્રાપ્તિનો ઉપાય ન મળે તો તે પ્રાપ્ત થતું નથી. તે જ રીતે પ્રાપ્ય પણ હોય અને પ્રાપ્તિનો ઉપાય પણ હોય પરંતુ તેની તરફ ગતિ હોય નહિ તો તે પ્રાપ્ત થતું નથી. માર્ગ અને ગતિ–આ બંને પ્રાપ્ત થાય ત્યારે જ પ્રાપ્ય પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ત–આ ચારે દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલા માટે તેમના સમવાયને મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો છે. જૈન દર્શન જ્ઞાનયોગ, ભક્તિ-યોગ (શ્રદ્ધા) અને કર્મ-યોગ (ચારિત્ર અને તપ)–આ ત્રણેને સંયુક્ત રૂપે મોક્ષનો માર્ગ માને છે, કોઈ એકને નહિ (શ્લો. ૨). આ ચતુરંગ-માર્ગને પ્રાપ્ત કરનારા જીવો જ મોક્ષ પ્રાપ્ત કરે છે. ચોથાથી ચૌદમા શ્લોક સુધી જ્ઞાન-યોગનું નિરૂપણ છે–જ્ઞાન અને શેયનું પ્રતિપાદન છે. પંદરમાથી એકત્રીસમા શ્લોક સુધી શ્રદ્ધા-યોગનું નિરૂપણ છે. બત્રીસમાથી ચોત્રીસમા શ્લોક સુધી કર્મ-યોગનું નિરૂપણ છે. પાંત્રીસમા શ્લોકમાં આ યોગોનાં પરિણામ બતાવવામાં આવ્યાં છે. મોક્ષ-પ્રાપ્તિનું પહેલું સાધન જ્ઞાન છે. જ્ઞાન પાંચ છેમતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ. જ્ઞાનના વિષયો છે– દ્રવ્ય, ગુણ અને પર્યાય. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ–આ છ દ્રવ્યો છે. ગુણ અને પર્યાય અનંત છે. મોક્ષ-પ્રાપ્તિનું બીજું સાધન દર્શન છે. તેનો વિષય છે તથ્યની ઉપલબ્ધિ. તે નવ છે–જીવ, અજીવ, પુષ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ. દર્શનને દસ રુચિઓમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ વિભાગો સ્થાનાંગ (૧ળ ૧૦૪) અને પ્રજ્ઞાપના (પ્રથમ પદ)માં પણ મળે છે. તે વિભાગો આ પ્રમાણે છે૧. નિસર્ગરુચિ ૬. અભિગમરુચિ ૨. ઉપદેશરુચિ ૭. વિસ્તારરુચિ ૩. આજ્ઞારુચિ ૮. ક્રિયારુચિ ૪. સૂત્રરુચિ ૯. સંક્ષેપરુચિ ૫. બીજરુચિ ૧૦. ધર્મરુચિ મોક્ષ-પ્રાપ્તિનું ત્રીજું સાધન ચારિત્ર–આચાર છે. તે પાંચ છે ૧. સામાયિક ચારિત્ર ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર ૩. પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર ૪. સૂક્ષ્મ-સંપાય ચારિત્ર ૫. યથાખ્યાત ચારિત્ર મોક્ષ-પ્રાપ્તિનું ચોથું સાધન તપ છે. તે બે પ્રકારનું છે–બાહ્ય અને આભ્યન્તર. પ્રત્યેકના છ-છ વિભાગો છે. દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્ર આવતું નથી. ચારિત્ર વિના મોક્ષ નથી થતો અને મોક્ષ વિના નિર્વાણ થતું નથી. (શ્લોક ૩૦) જ્ઞાનથી તત્ત્વો જાણવામાં આવે છે. દર્શનથી તેમના પર શ્રદ્ધા થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy