SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયીય ૪૪૯ અધ્યયન ૧૮: શ્લોક ૧૬, ૧૮, ૨૦-૨૨ ટિ ૭-૧૧ ૭. હૃષ્ટ-તુષ્ટ (તુટ્ટ) બહારથી પુલકિત હોવાને ‘હૃષ્ટ’ અને માનસિક પ્રીતિનો અનુભવ કરવાને ‘તુષ્ટ' કહેવામાં આવે છે.' ૮. મહાન આદર સાથે (દયા) વૃત્તિકારને અહીં ‘પદયા’ શબ્દના બંને અર્થો અભિપ્રેત છે. આનો અર્થ થશે–મહાન આદર સાથે. વિભક્તિ વ્યત્યય દ્વારા તૃતીયાના સ્થાને પ્રથમ વિભક્તિ માની લેવામાં આવે તો આનું સંસ્કૃત રૂ૫ ‘મહતું' થાય છે. ત્યારે તે ધર્મનું વિશેષણ બને છે. ‘મહતા' એ સાધન બને છે. ૯. રાષ્ટ્રને (૬) રાષ્ટ્રનો અર્થ ‘ગ્રામ, નગર વગેરેનો સમુદાય અથવા ‘મંડલ' છે. પ્રાચીનકાળમાં ‘રાષ્ટ્ર’ શબ્દ આજ જેટલા વ્યાપક અર્થમાં પ્રયોજાતો નહિ, વર્તમાનકાળમાં રાષ્ટ્રનો અર્થ છે–પૂર્ણ પ્રભુસત્તા ધારણ કરનાર દેશ. પ્રાચીનકાળમાં એક જ દેશમાં અનેક રાષ્ટ્ર સમાઈ જતા. તેમની સરખામણી આજના પ્રાંતો કે રાજય-સરકારો સાથે કરી શકાય છે. મનુસ્મૃતિમાં રાષ્ટ્રનો પ્રયોગ કંઈક વ્યાપક અર્થમાં પણ થયેલો જણાય છે. ૧૦. તે ક્ષત્રિય (ત્તિ) અહીં ક્ષત્રિયનું નામ બતાવવામાં આવ્યું નથી. પરંપરા અનુસાર આ વ્યક્તિ પૂર્વજન્મમાં વૈમાનિક દેવ હતો. ત્યાંથી શ્રુત થઈ તે ક્ષત્રિયકુળમાં જન્મ્યો. યોગ્ય બાહ્ય નિમિત્તો મળતાં વિરક્ત બન્યો અને રાષ્ટ્ર છોડીને પ્રવ્રજિત બની ગયો. તે જનપદવિહાર કરતાં-કરતો સંજય મુનિને મળ્યો અને અનેક જિજ્ઞાસાઓ દર્શાવી. ૧૧. (શ્લોક ૨૧, ૨૨) અહીં ક્ષત્રિયે પાંચ પ્રશ્નો પૂછવા(૧) તમારું નામ શું છે? (૨) તમારું ગોત્ર કયું છે? (૩) તમે માહણ શા માટે બન્યા છો? (૪) તમે આચાર્યોની સેવા કઈ રીતે કરો છો ? ૧. વૃક્રવૃત્તિ, પત્ર ૪૪૨ : રા: વદિ પુત્રવામિન્ત:, તુE: आन्तरप्रीतिभाजः। વૃત્તિ , પત્ર ૪૪૨ : ‘મદા' ત્તિ બદતા મોતિષ:, सुब्ब्यत्ययेन वा महत्। 3. बृहद्वृत्ति, पत्र ४४२ : 'राष्ट्र ग्रामनगरादिसमुदायम् । ૪. એજન, પત્ર ૪૨૨ : “રાષ્ટ્ર'મvઉત્નમ્ | ૫. રાનપ્રશ્ની વૃત્તિ, પૃ. ર૭૬ : રાષ્ટ્રલિમુદાય त्मकम् । राष्ट्रं च जनपदं च। ૬. નુસ્મૃતિ, ૨૦ દ૬ : यत्र त्वेते परिध्वंसाज्जायन्ते वर्णदूषका । राष्ट्रिकैः सह तद्राष्ट्र क्षिप्रमेव विनश्यति ॥ ७. बृहद्वृत्ति, पत्र ४४२ : 'क्षत्रियः' क्षत्रजातिरनिर्दिष्टनामा परिभाषते, संजयमुनिमित्युपस्कारः, स हि पूर्वजन्मनि वैमानिक आसीत्, ततश्च्युतः क्षत्रियकुलेऽजनि, तत्र च कुतश्चित्तथाविधनिमित्ततः स्मृतपूर्वजन्मा तत एव चोत्पन्नवैराग्यः प्रव्रज्यां गृहीतवान्, गृहीतप्रव्रज्यश्च विहरन् संजयमुनि दृष्टवा तद्विमार्थमिदमुक्तवान्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy