SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયણાણિ ૩૯૮ અધ્યયન ૧૫: શ્લોક ૮ ટિ ૧૭ પ્રસ્તુત શ્લોકમાં વ્યંજનનો ઉલ્લેખ નથી. વસ્ત્ર, શસ્ત્ર, કાઠ, આસન, શયન વગેરેમાં ઉંદર, શસ્ત્ર, કાંટા વગેરેથી થયેલા છેદ વડે શુભાશુભનું જ્ઞાન કરવું તે છિન્નનિમિત્ત છે. સ્વરોને સાંભળી શુભાશુભનું જ્ઞાન કરવું તે સ્વર-નિમિત્ત છે. સ્વરના ત્રણ અર્થ કરી શકાય છે–(૧) સતસ્વર-વિદ્યા (૨) સ્વરોદયના આધારે શુભાશુભ ફળનો નિર્દેશ કરવો અને (૩). અક્ષરાત્મક શબ્દ અથવા પશુ-પક્ષીઓના અનક્ષરાત્મક શબ્દોના આધારે શુભાશુભનો નિર્દેશ કરવો. તત્ત્વાર્થ-રાજવાર્તિકમાં સ્વરનો આ અર્થ મળે છે." ભૂકંપ વગેરે દ્વારા અથવા દુષ્કાળમાં થનારા પુષ્પ-ફળ, સ્થિર વસ્તુઓનાં હલન-ચલન અને પ્રતિમાઓનાં બોલવાથી ભૂમિની સ્નિગ્ધ-રૂક્ષ વગેરે અવસ્થાઓ વડે શુભાશુભનું જ્ઞાન કરવું અથવા ભૂમિગત ધન આદિ દ્રવ્યોનું જ્ઞાન કરવું તે ભીમનિમિત્ત છે. આકાશમાં દેખાદેતાં ગંધર્વનગર, દિગ્દાહ, ધૂળની વૃષ્ટિ વગેરે દ્વારા અથવા ગ્રહોનાં યુદ્ધ તથા ઉદય-અસ્ત દ્વારા શુભાશુભનું જ્ઞાન કરવું તે અંતરિક્ષ-નિમિત્ત છે. સ્વપ્ર દ્વારા શુભાશુભનું જ્ઞાન કરવું તે સ્વપ-નિમિત્ત છે. શરીરનાં લક્ષણો દ્વારા શુભાશુભનું જ્ઞાન કરવું તે લક્ષણ-નિમિત્ત છે. શિરઃ-ફુરણ વગેરે દ્વારા શુભાશુભનું જ્ઞાન કરવું તે અંગવિકાર-નિમિત્ત છે. યષ્ટિનાં વિવિધ રૂપો દ્વારા શુભાશુભનું જ્ઞાન કરવું તે યષ્ટિ-વિદ્યા છે. પ્રાસાદ વગેરે આવાસોનાં શુભાશુભ લક્ષણોનું જ્ઞાન કરવું તે વાસ્તુ-વિદ્યા છે. પજ, ઋષભ વગેરે સાત સ્વરો વડે શુભાશુભ નિરૂપણનો અભ્યાસ કરવો તે સ્વર-વિચય છે. ચૂર્ણિમાં જે વ્યાખ્યા ‘સ્વર'ની છે, તે બૃહવૃત્તિમાં ‘સ્વર-વિચય'ની છે અને જે ‘સ્વર-વિચયની છે તે ‘સ્વર'ની છે. નિમિત્ત કે વિદ્યા દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે ‘ઉત્પાદના' નામક એક દોષ છે, એટલા માટે કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાઓ દ્વારા જીવન-નિર્વાહ નથી કરતો તે ભિક્ષુ છે. ૧૭. મંત્ર (1) જે દેવાધિષ્ઠિત હોય છે. જેમના આદિમાં ‘ અને અંતમાં “સ્વાહા' હોય છે. જે “હ્રીં' વગેરે વર્ણવિન્યાસાત્મક હોય છે. તેને મંત્ર” કહેવામાં આવે છે. ૧. તત્ત્વાર્થરાનવર્તિા રૂા રૂદ્દ : ૩જીનક્ષ ગુમાસુમશત્ર "सज्जण लहइ विति, कयं च न विणस्सई । श्रवणेनेष्टानिष्टफलाविर्भावनं महानिमित्तं स्वरम् । गावो पुत्ता य मित्ता य, नारीणं होइ वल्लहो ॥ ૨. (ક) ૩ત્તરાધ્યયન 1િ, પૃ. રરૂદ્ : પુરુષ: કુંબિસ્વરા रिसहेण उईसरियं, सेणावच्चं धणाणि य।" काकस्वरो वा एवमादिस्वरव्याकरणम् । (ઘ) એજન, પત્ર ૪૨૭: સ્વર:-પોલીશિવાતિ(ખ) એજન, પૃ. રરૂદ્દ : મચારીના વરાછri रूपस्तस्य विषयः-तत्सम्बन्धी शुभाशुभनिरूपणाविजय: अभ्यासः । ગામ:, યથા(ગ) વૃવૃત્તિ, પત્ર ૪૨૬ : સર' તિ સ્વરસ્વરૂપfuથાને, गतिस्तारा स्वरो वामः, पोदक्याः शुभदः स्मृतः । “સ રવ મયૂરી, ડો રિપં સti विपरीतः प्रवेशे तु, स एवाभीष्टदायकः ॥ हंसो रवति गंधारं, मज्झिमं तु गवेलए॥" 3. बृहद्वृत्ति, पत्र ४१७ : 'मन्त्रम्' ॐकारादिस्वाहापर्यन्तो રૂરિ, તથા– ह्रींकारादिवर्णविन्यासात्मकस्तम्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy