SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૩૬૨ અધ્યયન ૧૩: શ્લોક ૨૫-૨૬, ૩૧, ૩૩-૩પ ટિ ૨૦-૨૪ આ પઘાંશ પ્રાચીન કૌટુંબિક પરંપરાનો દ્યોતક છે. તે સમયે ઘરનો મોવડી મરી જતાં, બીજાને મોવડી બનાવી લેવામાં આવતો હતો. ઘરનું સ્વામિત્વ તેનું જ થઈ જતું હતું. વ્યક્તિ જ્યારે મરી જાય છે ત્યારે જ્ઞાતિજનો તેને વહેલામાં વહેલી તકે સ્મશાનઘાટે લઈ જવા ઈચ્છે છે. તેઓ તેના શબને સ્મશાનમાં લઈ જઈ લોકલાજથી તેને સળગાવી રાખ કરી નાખે છે. પછી તેઓ કેટલાંક લૌકિક કૃત્યો કરે છે, રડે છે, વિલાપ કરે છે, પછી તેને ભૂલી જઈ પોતાના સ્વાર્થ-સંપાદન માટે આજીવિકા આપનાર બીજા દાતાનો આશ્રય લઈ લે છે. પછી તેઓ ક્યારેય પેલાનું અનુશમન તો દૂર રહ્યું, તેની વાત પણ કરતા નથી. ૨૧. પ્રચુર કર્મ (મારૂં મહાયાર્ડ) ચૂર્ણિકાર અનુસાર તેનો અર્થ છે—અનંત અને દીર્ઘ સ્થિતિવાળા કર્યો. તેમને ક્ષીણ કરવાનું કષ્ટસાધ્ય હોય છે, એટલા માટે તેમને દીર્ઘકાળ સુધી ભોગવવી પડે છે.' વૃત્તિમાં આનો મુખ્ય અર્થ પ્રચુર કે અનંત છે અને વૈકલ્પિક અર્થ છે–અત્યંત ચીકણાં ક, એવા કર્મો કે જેમનો અનુભાગભોગવટો બહુ સઘન હોય. ૨૨. (4) á' અર્થમાં ચાર અવ્યય પ્રયુક્ત થાય છે– ઉપવ', “નિવ’, ‘વિવ’ અને ‘વ'. અહીં ‘વ’ ‘'ના અર્થમાં પ્રયોજાયેલ છે. ૨૩. આરંભ અને પરિગ્રહમાં (પ રિટે) આરંભ અને પરિગ્રહ–આ એક યુગલ છે. આરંભનો અર્થ છે–હિંસા અને પરિગ્રહનો અર્થ છે–પદાર્થનો સંગ્રહ. બંને અન્યોન્યાશ્રિત છે. પરિગ્રહ હિંસામૂલક હોય છે. હિંસા માટે પરિગ્રહ નથી થતો, પરિગ્રહ માટે હિંસા થાય છે. એટલા માટે હિંસા અને પરિગ્રહ સાથે-સાથે ચાલે છે–હિંસા + પરિગ્રહ, હિંસા + પરિગ્રહ, સ્થાનાંગ સૂત્રમાં જીવને અનેક વસ્તુઓની અનુપલબ્ધિમાં આરંભ અને પરિગ્રહને મુખ્ય હેતુ માન્યો છે–સામે વેવ परिग्गहे चेव। ૨૪. (શ્લોક ૩૪-૩૫) ‘અનુત્તર–અનુત્તર શબ્દ બે શ્લોકોમાં ચાર વાર પ્રયોજાયો છે. ચોત્રીસમા શ્લોકમાં તે કામ-ભોગ અને નરકનું વિશેષણ છે. પાંત્રીસમામાં તે સંયમ અને સિદ્ધિ-ગતિનું વિશેષણ છે. અનુત્તરનો અર્થ છે--મકૃષ્ટ. બ્રહ્મદત્તના કામ-ભોગો પ્રકૃષ્ટ હતા, એટલા માટે તે મરીને પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) નરકમાં ઉત્પન્ન થયો. સ્થાનાંગમાં બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મદત્ત ચક્રવર્તી મરીને સાતમી પૃથ્વી અપ્રતિષ્ઠાન નામે નરકમાં ગયો.' ચિત્રનો સંયમ પ્રકૃષ્ટ હતો, એટલા માટે તે પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) સુખમય સિદ્ધિ-ગતિમાં ગયો. ૧. સત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૨૧ : મારૂં મહાત્મારૂં.... अनन्तानीत्यर्थः, दुर्मोचकत्वाच्च चिरस्थितिकानि । २. बृहद्वृत्ति, पत्र ३९० : महालयाणि त्ति अतिशयमहान्ति, महान् वा लय:-कर्माश्लेषो येषु तानि । ૩. ટાઇi રા ૪૨-૬૨ માં ४. ठाणं २।४४८ : दो चक्कवट्टी अपरिचत्तकामभोगा कालमासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए अपइट्ठाणे णरए नेरइत्ताए उववन्ना तं जहा-सुभूमे चेव बंभदत्ते चेव। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy