SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર×યણાણિ ૩૩૮ અધ્યયન ૧૨ શ્લોક ૩૩, ૩૫, ૩૭ ટિ ૩૬-૪) ૩૬. ( નિર) નિરિય–આ દેશી શબ્દ છે. ચૂર્ણિકારે આનો અર્થ નિત’–‘બહાર નીકળેલું અને વૃત્તિકારે ‘પ્રસારિત’ એવો કર્યો છે. ૩૭. અર્થ (સત્ય) | ‘અર્થ શબ્દના અનેક અર્થો છે–પ્રયોજન, અધ્યાત્મશાસ્ત્રનું પ્રતિપાદ્ય અથવા અભિધેય વસ્તુ, સત્ય, ધન વગેરે. વૃત્તિમાં બે અર્થો મળે છે–વસ્તુ અને અભિધેય. અર્થ રોય હોય છે, એટલા માટે તેનો એક અર્થ–બધી વસ્તુઓ થઈ શકે છે. પરંતુ અહીં પ્રકરણવશ શુભ-અશુભ કર્યો કે રાગ-દ્વેષના ફળને “અર્થ' કહેવામાં આવેલ છે. અથવા શાસ્ત્રોનું પ્રતિપાદ્ય–આ અર્થમાં પણ તે પ્રયુક્ત થઈ શકે છે. અહીં ‘અર્થ’ શબ્દ ‘સત્ય'ના અર્થમાં પ્રયુક્ત છે. ૩૮. ભૂતિપ્રજ્ઞ (ભૂપત્ર) ભૂતિના ત્રણ અર્થ કરવામાં આવ્યા છે–મંગળ, વૃત્તિ અને રક્ષા. પ્રજ્ઞાનો અર્થ છે તે બુદ્ધિ જેના વડે પહેલાંથી જ જાણી લેવાય છે. જેની બુદ્ધિ સર્વોત્તમ મંગળ, સર્વશ્રેષ્ઠ વૃદ્ધિ અથવા સર્વભૂત-હિત માટે પ્રવૃત્ત હોય, તે “પૂતિપ્રજ્ઞ' કહેવાય છે.” ૩૯. પ્રચુર ભોજન (મૂયમન્ન) અહીં પ્રચુર અન્ન વડે યજ્ઞમાં બનેલા પૂડલા, ખાજા વગેરે બધા ખાદ્ય પદાર્થો લેવાનો મુનિને અનુરોધ કરવામાં આવ્યો છે. ચોખાના બનેલા ભોજનને સૌમાં મુખ્ય માનવામાં આવતું હતું. એટલા માટે પાછળના શ્લોકમાં તેને માટે જુદો જ અનુરોધ કરવામાં આવ્યો છે." ૪૦. જાતિનો કોઈ મહિમા નથી ( વીસ નાવિલ ) જૈન-દર્શન અનુસાર જાતિવાદ અતાત્ત્વિક છે. ભગવાન મહાવીરે કહ્યું -એક જીવ અનેક વાર ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થયો અને અનેક વાર નીચ ગોત્રમાં જન્મ્યો, એટલા માટે ન કોઈ નાનો છે અને ન કોઈ મોટો. મનુષ્ય પોતાનાં કર્મો વડે બ્રાહ્મણ બને છે, કર્મો વડે ક્ષત્રિય, કર્મોથી વૈશ્ય થાય છે અને કર્મોથી જ શૂદ્ર મનુષ્યની સુરક્ષા તેનાં જ્ઞાન અને આચાર વડે થાય છે, જાતિ અને કુળ વડે નહિ. ભગવાન મહાવીરે એવું ક્યારેય સ્વીકાર્યું નથી કે બ્રાહ્મણ જાતિમાં ઉત્પન્ન વ્યક્તિ ભલેને ગમે તેટલી ૧. ઉત્તરાધ્યયન ચૂળ, . ર૦૧ : fમત્તિ-નિતિમત્યર્થ: I ૨. વૃત્તિ , પત્ર રૂદ્૭: નિરિવત્તિ પ્રસારિત.... / उ. बृहद्वृत्ति, पत्र ३६८ : अर्यत इत्यर्थो-ज्ञेयत्त्वात्सव्वमेव वस्तु, इह तु प्रक्रमाच्छुभाशुभकर्मविभागो रागद्वेषविपाको वा परिगृह्यते, यद्वा अर्थ:-अभिधेयः स चार्थाच्छास्त्राणामेव तम् । ૪. (ક) ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૨૨૦ : પૂર્તિ મંજનં વૃદ્ધિઃ રક્ષા, પ્રાર(વ) સાથ મનતિ પ્રજ્ઞા, તત્ર મંડાત્રે सर्वमंगलोत्तमाऽस्य प्रज्ञा, अनन्तज्ञानवानित्यर्थः, रक्षायां तु रक्षाभूताऽस्य प्रज्ञा सर्वलोकस्य सर्वसत्त्वानां વી. (५) बृहद्वृत्ति, पत्र ३६८ : भूतिर्मंगलं वृद्धि रक्षा चेति वृद्धाः, प्रज्ञायतेऽनया वस्तुतत्त्वमिति प्रज्ञा, ततश्च : भूतिः - मंगलं सर्वमंगलोत्तमत्वेन वृद्धिर्वा वृद्धि विशिष्टत्वेन रक्षा वा प्राणिरक्षकत्वेन प्रज्ञा-बुद्धिरस्येति મૂતિપ્રા: ૫. વૃવૃત્તિ, પત્ર રૂદ્દર : ભૂત' પ્રપુરમન્ન-મU - खण्डखाद्यादि समस्तमपि भोजनं, यत्प्राक् पृथगोदनग्रहणं तत्तस्य सर्वान्नप्रधानत्वख्यापनार्थम् । ६. आयारो २१४९ : से असइं उच्चागोए । असई णीआगोए : નો રીર્ણ, ળ અરિજો...! ૭. ઉત્તરાધ્યયન, રારૂ?. सूत्रकृतांग, १।१३।११ : न तस्य जाई व कुलं व ताणं, नन्नत्थ विज्जाचरणं सुचिण्णं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy