SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૩૩૪ અધ્યયન ૧૨ : શ્લોક ૧૨-૧૪ ટિ ૨૦-૨૪ ૨૦. પાન (પvi) આ શબ્દ સામાન્ય પાણીના અર્થમાં વપરાયો નથી. તેનો અર્થ છે-દ્રાક્ષાપાન વગેરે પાનક (પીણું). સોળમા શ્લોકમાં પ્રયુક્ત “પાન'નો અર્થ છે કાંજી વગેરે. જુઓ-દશવૈકાલિક પાલીક૭ નું ટિપ્પણ. ૨૧. આશાથી (માણસાઈ) જો અધિક વરસાદ થશે તો ઊંચી ભૂમિમાં સારી ઉપજ થશે અને ઓછો વરસાદ થશે તો નીચી ભૂમિમાં સારી ઉપજ થશેઆવી આશાથી ખેડૂત ઊંચી અને નીચી ભૂમિમાં બીજ વાવે છે." ૨૨. જાતિ અને વિદ્યાથી યુક્ત (નાવિન્નોવવેયા) ચૂર્ણિકારે “વિજ્ઞા'નો અર્થ વેદ કર્યો છે. તેનો મત છે કે અહીં છંદરચનાની દષ્ટિએ વેદના સ્થાને વિના’નો પ્રયોગ કરવામાં આવ્યો છે. ૨૩. પુણ્ય-ક્ષેત્ર છે (સુપેસારું) સુપેશતનો અર્થ શ્રેષ્ઠ અથવા પ્રીતિકર કરવામાં આવ્યો છે. પરંતુ આ ‘સુપાવવું (શ્લોક ૧૪)નું પ્રતિપક્ષી છે, એટલા માટે અમે તેનો અનુવાદ “પુણ્ય કર્યો છે. યજ્ઞવાટના બ્રાહ્મણોએ મુનિ હરિકેશને કહ્યું-બ્રાહ્મણ જ શ્રેષ્ઠ ક્ષેત્ર છે. તે શૂદ્ર જાતિનો છે, એટલા માટે વેદ વગેરે ચૌદ વિદ્યાઓથી બહિષ્કૃત છે. તું દાનપાત્ર બની શકે નહિ. કહ્યું છે કે – 'सममब्राह्मणे दानं, द्विगुणं बहाबन्धुषु । सहस्रगुणमाचार्ये, अनन्तं वेदपारगे ॥' -અબ્રાહ્મણને આપવામાં આવેલ દાન સમફળવાળું, બ્રાહ્મણને આપવામાં આવેલું દાન બેગણા ફળવાળું, આચાર્યને આપવામાં આવેલું દાન હજારગણા ફળવાળું અને વેદના પારગામી વિદ્વાનને આપવામાં આવેલું દાન અનંતગણ ફળવાળું હોય છે. બૃહદ્રવૃત્તિમાં આ જ શ્લોક થોડાક પાઠભેદ સાથે મળે છે." ૨૪. ઉચ્ચ અને નીચ ઘરોમાં (કથ્થાવાડું) વ્યવિચારનાં સંસ્કૃત રૂપો બે બની શકે છે-“વાવન’ અને ‘વૈદ્રતન’. ‘૩વાવવ’નો અર્થ-ઊંચ-નીચ ઘર १. बृहद्वृत्ति, पत्र ३६१:'आससाए'त्ति आशंसया-यद्यत्यन्तप्रवर्षणं भावि तदा स्थलेषु फलावाप्तिरथान्यथा तदा निम्नेष्वित्येवमभिलाषात्मिकया। २. उत्तराध्ययन चूर्णि, पृ. २०६ : जननं जायते वा जातिः, वेद्यतेऽनेनेति वेदः, वेदउपवेत्ता, बन्धानुलोम्यात् विज्जोववेया। ૩. (ક) ૩ત્તરાધ્યયન ચૂળ, પૃ. ૨૦૬ : સુભાળિ....મને प्रीतिकरं वा। (ખ) વૃદુવૃત્તિ, પત્ર ૩૬૦ | ૪. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૦૬ ! ૫. વૃત્તિ , પત્ર રૂદ્દશ: सममश्रोत्रिये दानं, द्विगुणं ब्राह्मणब्रुवे । सहस्त्रगुणमाचार्ये अनन्तं वेदपारगे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy