SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ કાપિલીય ૨૩૭. અધ્યયન-૮: શ્લોક ૧૦-૧૧ ટિ ૧૭-૧૯ ૧૭. દૂર થઈ જાય છે (નિઝાડુ) ચૂર્ણિમાં આનો અર્થધો ગતિ–નીચે જાય છે એવો કર્યો છે.' વૃત્તિમાં આનો મૂળ અર્થ નીકળી જવું. વૃત્તિકારે પાઠાંતરના રૂપમાં દેશી શબ્દ ‘fMUMારું પ્રસ્તુત કરી તેનો અર્થ–અધો નચ્છતિ–નીચે જાય છે–કર્યો છે. ૨ ૧૮. (શ્લોક ૧૦) ચૂર્ણિકારે પ્રસ્તુત શ્લોકમાં પ્રયુક્ત હિંારના વિષયની ચર્ચા કરી છે–fહંજાનો પ્રયોગ સન્નિધાન અને કારણ—આ બે અર્થોમાં થાય છે. કારણના અર્થમાં “fહંકારનો પ્રયોગ બહુવચનમાં જ થાય છે, જેમ કે–તેહિં ક્યું સન્નિધાનના અર્થમાં ‘હિં'નો પ્રયોગ એકવચનમાં જ થશે, જેમ કે–હિં તો સિ? દં ર તે સદ્ધા? આ શ્લોકમાં પ્રાણાતિપાત વિરમણનો સ્પષ્ટ નિર્દેશ છે. મુનિ મનસા, વાચા, કર્મણા (મન-વચન-કાર્યથી) કોઈપણ પ્રાણી પ્રત્યે સાનો પ્રયોગ ન કરે, ભલેને પોતાને કેટલીયે યાતના સહન કરવી કેમ ન પડે. ઉજ્જયિની નગરીમાં એક શ્રાવક હતો. તેનો પુત્ર પૂરેપૂરો સંસ્કારી હતો. એકવાર ચોરો તેનું અપહરણ કરી માલવ પ્રદેશમાં લઈ ગયા અને ત્યાં તેને એક રસોઈયાના હાથમાં વેચી માર્યો. રસોઈયાએ તેને એક દિવસ કહ્યું–‘બેટા ! તું જંગલમાં જા અને ત્યાંથી બાજોને મારીને લઈ આવ. હું તેમને ભોજન માટે પકાવીશ.' તે બોલ્યો- હું એક શ્રાવકનો પુત્ર છું. હું અહિંસામાં માનું છું. હું આવું કામ કદી કરી શકે નહિ.” રસોઈયાએ કહ્યું–‘હવે તને મેં ખરીદી લીધેલો છે. મારી આજ્ઞાનું પાલન કરવું જ પડશે.' છોકરાએ આજ્ઞા માનવાનો ઇન્કાર કર્યો ત્યારે રસોઈયો બોલ્યો-“મારી આજ્ઞા ન માનવાના ભયંકર પરિણામ ભોગવવા પડશે. હું તને હાથીના પગ નીચે કચડાવી દઈશ. હું તારા મસ્તક ઉપર ભીનું ચામડું બાંધીને મારી નાખીશ.' બાળકે કહ્યું–‘ગમે તે થાય, હું પ્રાણવધનું આ કાર્ય ન કરી શકું. ત્યારે રસોઈયાએ તેને હાથીના પગતળે કચડાવીને મારી નાખ્યો. અહિંસાના ક્ષેત્રમાં સત્યાગ્રહની આ મહત્ત્વપૂર્ણ ઘટના છે. ૧૯. યાત્રા (સંયમ-નિર્વાહ) માટે ભોજનની એષણા કરે (નાથ પાસપેસેન્ના) સંયમ-જીવનની યાત્રા માટે ભોજનની શોધ કરે–આ પ્રસંગમાં શાજ્યાચાર્ય અને નેમિચન્દ્ર એક શ્લોક ઉદ્ધત કર્યો છે– जह सगडक्खोवंगो कीरइ भरवहणकारणा णवरं । तह गुणभरवहणत्थं आहारो बंभयारीणं ॥ –જેમ ગાડીના પૈડાંની ધરીને ભારવહનની દૃષ્ટિએ તેલ ચોપડવામાં આવે છે, તેવી જ રીતે ગુણભારના વહનની દૃષ્ટિએ બ્રહ્મચારી આહાર કરે, શરીરને પોષણ આપે.૫ પ્રસ્તુત શ્લોકમાં “ગાયા ધામેસેજ્ઞા’ વડે એષણાશુદ્ધિનો અને “સદ્ધ મિયા માઈ' વડે પરિભોગેષણાશુદ્ધિનો વિવેક દર્શાવવામાં આવ્યો છે. १. उत्तराध्ययन चूर्णि, पृ. १७३,१७४ : निज्जाइ नाम अधो हिंकरणस्य, तथा-तेहिं कयं, सन्निधाने तु एकवचन एव ત્તિા हिंकारोपयोगः,तं जहा-कहिं गतो आसि ? कहिं च ते २. बृहद्वृत्ति, पत्र २९३ : निर्याति-निर्गच्छति, पठन्ति च સત્તા ? ___णिण्णाइं त्ति अत्र देशीपदत्वादधोगच्छति । ૪. (ક) ૩ત્તરાધ્યયન , g. ૨૭૪ 3. उत्तराध्ययन चूर्णि, पृ. १७४ : हिंकारस्य सन्निधानत्वात् (ખ) વૃત્તિ , પત્ર ૨૬૪ कारणत्वाच्च , तत्र कारणे बहुवचन एव उपयोगो ૫. (ક) વૃત્તિ , પત્ર ૨૨૪ I (ખ) સુવોથા, પત્ર ૨૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy