________________
ઉરભીય
૨૦૩
મનુષ્ય-ભવ મૂળ મૂડી છે. દેવગતિ તેનો નફો છે અને નરકગતિ મૂળ મૂડીનો નાશ.
આ અધ્યયનમાં પાંચ દૃષ્ટાંતોનું નિરૂપણ થયું છે.' તેમાં પ્રતિપાદ્ય વિષયો ભિન્ન-ભિન્ન છે. પહેલું (ઉરભ્ર) દૃષ્ટાંત વિષયભોગોના કટુ વિપાકનું દર્શન છે (શ્લોક ૧થી લઈ ૧૦ સુધી). બીજા અને ત્રીજા (કાકિણી અને આમ્રફળ) દૃષ્ટાંતોનો વિષય દેવભોગોની સામે માનવીય ભોગોની તુચ્છતાનું દર્શન છે (શ્લોક ૧૧થી લઈ ૧૩ સુધી). ચોથા (વ્યવહાર) દષ્ટાંતનો વિષય આવક-ખર્ચ વિષયમાં કુશળતાનું દર્શન છે (શ્લોક ૧૪થી ૨૨ સુધી). પાંચમા (સાગર) દૃષ્ટાંતનો વિષય આવકખર્ચની તુલનાનું દર્શન છે (શ્લોક ૨૩થી ૨૪ સુધી).
આ રીતે આ અધ્યયનમાં દૃષ્ટાંત શૈલીથી ગહન તત્ત્વની ઘણી સરસ અભિવ્યક્તિ થઈ છે.
૧. ઉત્તરાધ્યયન નિયંત્તિ, ગાથા ૨૪૭ : ઓમે ઞ શિળી, સંવત્ ગ વવહાર મારે ઘેવ । पंचेए दिट्टंता, उरभिज्जमि अज्झयणे ॥
Jain Education International
અધ્યયન-૭ : આમુખ
For Private & Personal Use Only
www.jainelibrary.org