SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૧૯૮ અધ્યયન-૬: શ્લોક ૧૭ ટિ ૩૫-૩૭ ૩૫. અનુત્તર જ્ઞાનદર્શનધારી (મજુત્તરનાક્ષા ) પ્રસ્તુત શ્લોકમાં આ પદ પૂર્વે ‘પુત્તરાળી મજુત્તરવંશી—એ બે વિશેષણો આવી ગયા છે. એટલા માટે આ પ્રશ્ન અસ્વાભાવિક નથી કે ફરી આ જ બે વિશેષણોની શું જરૂર છે ? શું આ પુનરુક્તિદોષ નથી ? સમાધાનમાં વૃત્તિકારે કહ્યું છે કે અનુત્તરજ્ઞાન અને દર્શન લબ્ધિરૂપમાં એકસાથે રહે છે, પરંતુ તેમનો ઉપયોગ યુગપતુએકસાથે હોતો નથી. જ્ઞાન અને દર્શનની ભિન્નકાળતા અનુત્તરજ્ઞાની અને અનુત્તરદર્શી—આ બે પદોના જુદા કથનથી સ્પષ્ટ છે. આમ ઉપયોગની દૃષ્ટિથી પ્રતિપાદિત થયેલ છે. લબ્ધિરૂપમાં આ બંનેની યુગપત અવસ્થિતિમાં ભિન્નકાળતા સ્વીકૃત નથી. આ જ વ્યામોહ દૂર કરવા માટે આ વિશે પણ “મજુત્તરનારંગધરે પુનરુક્ત નથી, એક વિશેષ અવસ્થાનું સૂચક છે.' ૩૬. જ્ઞાતપુત્ર (નાથપુ) ચૂર્ણિમાં “રાયપુ'નો અર્થ–સ્નાતકુળમાં પ્રસૂત સિદ્ધાર્થ ક્ષત્રિયનો પુત્ર–છે. વૃત્તિઓમાં જ્ઞાતનો અર્થ ઉદાર ક્ષત્રિય, પ્રકરણવશ સિદ્ધાર્થ એવો કરવામાં આવ્યો છે. જ્ઞાતપુત્ર અર્થાત્ સિદ્ધાર્થપુત્ર. આચારાંગમાં ભગવાનના પિતાને કાશ્યપગોત્રીય કહેવામાં આવ્યા છે. ભગવાન ઇક્વાકુ વંશમાં જન્મ્યા હતા એમ પણ માનવામાં આવે છે. ભગવાન ઋષભ ઇક્વાકુવંશીય અને કાશ્યપગોત્રીય હતા. એટલા માટે તેઓ આદિ-કાશ્યપ કહેવાય છે. ભગવાન મહાવીર પણ ઇક્વાકુવંશીય અને કાશ્યપગોત્રીય હતા. ‘જ્ઞાત’ કાશ્યપગોત્રીયોનો કોઈ પેટાભેદ હતો અથવા સિદ્ધાર્થનું જ કોઈ બીજું નામ હતું અથવા ‘નાય'નો મૂળ અર્થ સમજવામાં ભ્રમ થયો છે. સંભવ છે કે તેનો અર્થ ‘નાગ’ હોય અને ‘જ્ઞાત’ સમજી લેવામાં આવ્યો હોય. વજી દેશના શાસક લિચ્છવીઓના નવ ગણ હતા. જ્ઞાત અથવા નાગ તેમાંનો જ એક ભેદ હતો. જુઓ-દશવૈકાલિક ૬/૨૦નું ટિપ્પણ. ૩૭. વૈશાલિક (વૈક્ષત્રિા ) ચૂર્ણિકારે વૈશાલિકના ઘણા અર્થ આપ્યા છે–જેના ગુણ વિશાળ હોય, જેમનું શાસન વિશાળ હોય, જે વિશાળ ઇક્વાકુ વંશમાં જન્મ્યા હોય, જેની માતા વૈશાલી હોય, જેનું કુળ વિશાળ હોય તેને વૈશાલિક કહેવાય છે. આના સંસ્કૃત રૂપો વૈશાતીય, વૈજ્ઞાનિ:, વિશનિ: વિશાની અને વૈજ્ઞાનિક છે. જૈનાગમમાં સ્થાને સ્થાને ભગવાન મહાવીરને ‘વેસતી' નામે સંબોધિત કરવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે ભગવાનનું જન્મસ્થાન કુંડગ્રામ હતું. તે વૈશાલીની પાસે હતું. જન્મસ્થાનના વિષયમાં શ્વેતાંબરો અને દિગંબરો એકમત નથી. પરંતુ ‘વેસાલિય’ શબ્દ પર નજર પડતાં જ વૈશાલીની યાદ આવી જાય છે. ભગવાનની માતા ત્રિશલા વૈશાલીના ગણરાજય-અધિપતિ ચેટકની બહેન હતી. તે અનુસાર ચૂર્ણિકારનો આ અર્થ– વૈશાલી જેની માતા છે–વધારે સંગત લાગે છે. ૧, વૃત્તિ , પત્ર ર૭૦ | ૨, ૩જરાધ્યયન પૂf, પુષ્ટ ૨૧૬ : તિનપૂF (H) सिद्धत्थखत्तियपुत्ते। ૩. (ક) વૃત્તિ , પત્ર ૨૭૦ : સાત -૩/ક્ષત્રિા : મ વેદ प्रस्तावात् सिद्धार्थः तस्य पुत्रो ज्ञातपुत्र:-वर्तमान तीर्थाधिपतिर्महावीर इति यावत् । (ખ) ઉવધા, પન્ન ૨૨૬ ४. आयारचूला १५ । १७:समणस्स णं भगवओ महावीरस्स પિમ વાસવો ૫. પધાન વિજ્ઞાન, ૬. સત્તાધ્યયન ચૂળ, પૃ. ૬, ૭: વેણાસ્ત્રી' f, TET अस्य विशाला इति वैशालीयः, विशालं शासनं वा वीशाले वा इक्ष्वाकुर्श भवा वैशालिया, "वैशाली जननी यस्य, विशालं कुलमेव च । વિશાનં પ્રવઘ વા, તેન વૈજ્ઞાતિજો નિનઃ ” . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy