SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષુલ્લક-નિગ્રન્થીય ૧૯૭ અધ્યયન-૬ શ્લોક ૧૬ ટિ ૩૧-૩૪ લેપ માત્રનો અર્થ છે–જેટલી વસ્તુ વડે પાત્ર ઉપર લેપ લાગે તેટલી માત્રા. માત્રા શબ્દના અનેક અર્થો થાય છે– ईषदर्थे क्रियायोगे, मर्यादायां परिच्छदे । परिमाणे धने चेति, नात्रा शब्दः प्रकीर्तितः ॥ અહીં “માત્રા' શબ્દ પરિણામના અર્થમાં છે." શાન્તાચાર્ય તેને મર્યાદાના અર્થમાં પણ માન્યો છે. તેમના મતાનુસાર તેનો અર્થ થશે–મુનિ પોતાના કાઇ-પાત્ર ઉપર ઘટ્ટ તેલ કે રોગાન વગેરેનો લેપ લગાવે તે ઉપરાંત કોઈપણ પ્રકારની સંનિધિ ન રાખે. ૨ ૩૧. (વી પરં સમાવાય નિવેમg up) અહીં ‘પા' શબ્દમાં શ્લેષ છે. તેના બે અર્થ થાય છે–પત્ર (પાંખ) અને મિક્ષા-પત્ર. ચૂર્ણિકારે આનો અર્થ કર્યો છે–જેવી રીતે પક્ષી પોતાની પાંખો સાથે લઈને ઊડે છે, એટલા માટે તેને પાછળની કોઈ અપેક્ષા–ચિંતા હોતી નથી, તેવી જ રીતે ભિક્ષ. પોતાના પાત્રો વગેરે ઉપકરણો જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય, સંગ્રહ કરીને ક્યાંય રાખે નહિ, અર્થાત્ પાછળની ચિંતામાંથી મુક્ત બનીને–નિરપેક્ષ થઈને વિહાર કરે. વૃત્તિકારોએ આનો તાત્પર્યાર્થ એવો કર્યો છે કે સંયમોપકારી પાત્રો વગેરે ઉપકરણોની સંનિધિ કરવામાં દોષ નથી.' શાત્યાચાર્યે વૈકલ્પિક અર્થમાં ‘પત્તીને પાત્ર માની વ્યાખ્યા કરી છે. અમારો અનુવાદ તેના પર જ આધારિત છે." ૩૨. લજ્જાવાન મુનિ (q) ચૂર્ણિમાં આનો અર્થ લજજાવાન છે." વૃત્તિકારે આને આર્ષપ્રયોગ માનીને આનો અર્થ યતિ-મુનિ એવો કર્યો છે. લજ્જાનો અર્થ છે–સંયમ. સંયમ પ્રતિ અનન્ય ઉપયોગવાળો હોવાને કારણે યતિ ‘નq કહેવાય છે. સુખબોધામાં આનો અર્થ ‘સંયમી' છે. ૩૩. અપ્રમત્ત રહીને ગૃહસ્થોથી (મમરો પમત્તેટિં) અહીં અપ્રમત્ત અને પ્રમત્ત–બંને શબ્દો સાપેક્ષ છે. અપ્રમત્તનો પ્રયોગ અપ્રમત્ત-સંયતી (સપ્તમ-ગુણસ્થાનવર્સી)ના અર્થમાં નથી, પરંતુ પ્રમાદ-રહિત જાગરુક સંયતીના અર્થમાં છે. પ્રમત્ત શબ્દનો પ્રયોગ ગૃહસ્થના અર્થમાં કરવામાં આવ્યો છે." ૩૪. (શ્લોક ૧૬) પ્રસ્તુત શ્લોકમાં મુનિની નિરપેક્ષતાનો નિર્દેશ છે. તેનાં કારણો આ છે–૧. એષણા સમિતિમાં ઉપયુક્ત હોવું. ૨. ગામ, નગર વગેરેમાં અનિયત ચર્ચા કરવી, ૩. અપ્રમત્ત રહેવું. १. सुखबोधा, पत्र ११४ : 'लेपमात्रया' यावतापात्रमुपलिप्यते तावत्परिमाणमपि। ૨. શૂદવુત્તિ, પત્ર ૨૬૧ : નેપ:–રાક્ષનાવત: पात्रगतः परिगृह्यते, तस्य मात्रा-मर्यादा, मात्राशब्दस्य मर्यादावाचित्वेनापि रूढत्वात्.....लेपमात्रतया, किमुक्तं भवति ?-लेपमेकं मर्यादीकृत्य न स्वल्पमप्यन्यत् ક્ષત્તિ થતા 3. उत्तराध्ययन चूर्णि, पृ. १५६ : यथाऽसौ पक्षी तं पत्रभारं समादाय गच्छति एवमुपकरणं भिक्षुरादाय णिरवेक्खी (ખ) goથા, પન્ન ??, ५. बृहवृत्ति, पत्र २६९ : पक्षीव निरपेक्षः, पात्रं पतद्ग्रहादि भाजनमर्थात्तन्निर्योगं च समादाय व्रजेद्-भिक्षार्थं पर्यटेद्, इदमुक्तं भवति-मधुकरवृत्या हि तस्य निर्वहणं, तत्कि तस्य सन्निधिना? ૬. Tધ્યયન ન્યૂઝિ, પૃ. ૬ I ७. बृहद्वृत्ति, पत्र २६९ : लज्जा-संयमस्तदुपयोगानन्यतया ___ यतिरपि तथोक्तः, आर्षत्वाच्चैवं निर्देशः । ૮. સુ થા , પત્ર ૨૬ ! ८. बृहवृत्ति, पत्र २६९ : पमत्तेहिं त्ति प्रमत्तेभ्यो गृहस्थेभ्यः, ते हि विषयादि प्रमादसेवनात् प्रमत्ता उच्यन्ते। ४. (४) बृहद्वृत्ति, पत्र २६९ : तथा च प्रतिदिनमसंयमपलि मन्थभीरुतया पात्राद्युपकरणसन्निधिकरणेऽपि न दोषः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy