SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અકામ-મરણીય ૧૭૩ અધ્યયન-૫: શ્લોક ૨૩ ટિ ૩૬-૩૭ પ્રસ્તુત પ્રસંગમાં દેવલોકગમનની જે વાત કહેવામાં આવી છે, તે વ્રત-પાલનનું જઘન્ય પરિણામ છે. વ્રતોના પાલનની તરતમતા અનુસાર ફલ-પ્રાપ્તિ થાય છે. વ્રત-પાલનનું ઉત્કૃષ્ટ પરિણામ છે–મોક્ષ અને જઘન્ય પરિણામ છે–દેવલોકની પ્રાપ્તિ. પ્રાચીન શ્લોક છે – 'अविराहियसामण्णस्स साहुणो, सावगस्स य जहण्णो । उववातो सोहम्मे भणितो तेलोक्कदंसीहि ॥' –જે વ્યક્તિ પોતાના શ્રાપ્ય કે શ્રાવકત્વનું અવિરાધિત રૂપે પાલન કરે છે, તેની જઘન્ય પરિણતિ સૌધર્મ દેવલોક હોય છે. આ તીર્થકરોનું વચન છે. આ વૃત્તિકારનો મત છે. ઠાણં સૂત્રમાં સ્વર્ગપ્રાપ્તિના ચાર કારણો બતાવવામાં આવ્યા છે -(૧) સરાગ-સંયમ (ર) સંયમસંયમ (૩) બાલ તપકર્મ અને (૪) અકામ-નિર્જરા. વ્રત અને સંયમ–આ સ્વર્ગના સાક્ષાત્ કારણો નથી. સૂત્રનો આશય એવો છે કે વ્રતી અને સંયમીની સુગતિ થાય છે. તેનું સાક્ષાત કારણ પુણ્યબંધ છે. વ્રતની સાથે નિર્જરા થાય છે અને પુણ્યબંધ તેનું પ્રાસંગિક ફળ છે. ૩૬. ગૃહસ્થ-સામાયિકના અંગોનું (મારિ-સામારૂયંnj) સામાયિક શબ્દનો અર્થ છે–સમ્યફ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફચારિત્ર. તેના બે પ્રકાર છે—અગારી (ગૃહસ્થોનું સામાયિક અને અનગારનું સામાયિક. ચૂર્ણિકારે અગારિ-સામાયિકનાં બાર અંગ બતાવ્યાં છે. તે શ્રાવકના બાર વ્રતો કહેવાય છે. શાન્તાચાર્ય અંગારિ-સામાયિકના ત્રણ અંગોનો ઉલ્લેખ કર્યો છે–નિઃશંકભાવ, સ્વાધ્યાય અને અણુવ્રત.? વિશેષાવશ્યક-ભાષ્યકારે સામાયિકનાં ચાર અંગો બતાવ્યાં છે– (૧) સમ્યક્ દષ્ટિ સામાયિક (૩) દેશવ્રત (અણુવ્રત) સામાયિક (૨) શ્રુતસામાયિક | (૪) સર્વવ્રત (મહાવ્રત) સામાયિક આમાં પ્રથમ ત્રણ અગારિ સામાયિકનાં અંગો હોઈ શકે છે. ૩૭. પોષધને (પ ) આને શ્વેતાંબર સાહિત્યમાં ‘પષધ' અથવા પધ” (ઉત્તરાધ્યયન ચૂર્ણિ, પૃ. ૧૭૯), દિગંબર સાહિત્યમાં ‘પધ” અને બૌદ્ધ સાહિત્યમાં “પોસથ’ કહેવામાં આવે છે. આ શ્રાવકના બાર વ્રતોમાં અગિયારમું વ્રત છે. આમાં અસન, પાન, ખાદ્ય, સ્વાદ્યનું તથા મણિ, સુવર્ણ, માળા, ઉબટન, વિલેપન, શસ્ત્ર-પ્રયોગનું પ્રત્યાખ્યાન તથા બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે.” તેની આરાધના અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા–આ પર્વ-તિથિઓમાં કરવામાં આવે છે. શંખ શ્રાવકના વર્ણન પરથી એમ જાણવા મળે છે કે અશન, પાન વગેરેનો ત્યાગ કર્યા વિના પણ પોષધ કરવામાં આવતો હતો. ૧. વૃત્તિ , પત્ર ર૧૨ / ૪. દવૃત્તિ, પત્ર ર૧ : HTTvrો-શિT: સામયિ૨. તાપ ૪ ૬૩૬.. सम्यक्त्वश्रुतदेशविरतिरूपं तस्याङ्गानि-निःशंकताकाला૩. ઉત્તરાધ્યયન વૂff, પૃ. ૨૨ : TIREDાસ્તતિ મારી, ध्ययनाणुव्रतादिरूपाणि अगारिसामायिकाङ्गानि । अगारसामाइयस्स वा अंगाणि आगारिसामाईयंगाणि, समय ५. विशेषावश्यकभाष्य, गाथा ११९६ : सम्मसुयदेससव्ववयाण, एव सामाइयं, अङ्गयतेऽनेनेति अंगं तस्स अंगाणि बारसविधो સામાયા મેઘપ | सावगधम्मो, तान्यगारसामाइयंगाणि, अगारिसामाइस्स वा ६. भगवई, १२।६। ૭. ટા, ૪ ૫ રૂદ્રા ૮. માવઠું, ૨૨ ૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy