SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ આ અધ્યયનનું નામ અમમરનિં–‘બામ-મરણીય છે. નિર્યુક્તિમાં તેનું બીજું નામ “અરવિમત્તી’–‘મરવિપ$િ' પણ મળે છે.' જીવનયાત્રાના બે વિશ્રામ-સ્થાન છે–જન્મ અને મૃત્યુ. જીવન કળા છે તો મૃત્યુ પણ તેનાથી કમ કળા નથી. જે જીવવાની કળા જાણે છે અને મૃત્યુની કળા નથી જાણતા, તેઓ સદા માટે પોતાની પાછળ દૂષિત વાતાવરણ છોડી જાય છે. વ્યક્તિએ કેવું મરણ ન પામવું જોઈએ તેનો વિવેક આવશ્યક છે. મરણના વિવિધ પ્રકારોના ઉલ્લેખો આ પ્રમાણે મળે છે– મરણના ચૌદ પ્રકાર ભગવતી સૂત્રમાં મરણના બે ભેદ–બાલ અને પંડિત-કરવામાં આવ્યા છે. બાલ-મરણના બાર પ્રકાર છે અને પંડિતમરણના બે પ્રકાર. કુલ મળીને ચૌદ પ્રકાર ત્યાં મળે છે– બાલ-મરણના બાર પ્રકાર(૧) વલય (૭) જલ-પ્રવેશ (૨) વશા (૮) અગ્નિ-પ્રવેશ (૩) અંતઃશલ્ય (૯) વિષ-ભક્ષણ (૪) તદૂભવ (૧૦) શસ્ત્રાવપાટન (૫) ગિરિ-પતન (૧૧) વૈહાયસ (૬) તરુ-પતને (૧૨) વૃદ્ધપૃષ્ઠ પંડિત-મરણના બે પ્રકાર છે– (૧) પ્રાયોપગમન (ર) ભક્ત-પ્રત્યાખ્યાન. મરણના સત્તર પ્રકાર સમવાયાંગમાં મરણના સત્તર પ્રકાર બતાવવામાં આવ્યા છે. મૂલારાધનામાં પણ મરણના સત્તર પ્રકારોનો ઉલ્લેખ છે અને તેમનો વિસ્તાર વિજયોદયાવૃત્તિમાં મળે છે. ઉક્ત પરંપરાઓ અનુસાર મરણના સત્તર પ્રકાર આ રીતે છેસમવાયાંગ મૂલારાધના (વિજયોદયાવૃત્તિ) ૧. આવીચિ-મરણ ૧. આવીચિ-મરણ ૨. અવધિ-મરણ ૨. તભવ-મરણ ૩. આત્તિક-મરણ ૩. અવધિ-મરણ ૪. વડન્મરણ ૪. આદિ-અંત-મરણ ૫. વશા-મરણ ૫. બાલ-મરણ ૬. અંતઃશલ્ય-મરણ ૬. પંડિત-મરણ १. उत्तराध्ययन नियुक्ति, गाथा २३३ : सव्वे एए दारा मरणविभत्तीइ वण्णिआ कमसो। २. भगवई २ । ४९ : दुविहे मरणे पण्णत्ते, तं जहा-बालमरणे य पंडियमरणे य । से किं तं बालमरणे ? बालमरणे दुवालसविहे पण्णत्ते तं जहा -वलयमरणे, वसट्टमरणे, अंतोसल्लमरणे, तब्भवमरणे, गिरिपडणे, तरुपडणे, जलप्पवेसे, जलणप्पवेसे, विसभक्खणे, सत्थोवाडणे, वेहाणसे, गद्धपढे। ૩. એજન, રા ૪૨ : તે લિંતં પંડિયાર ? પંડિયાર વિદેપUOT, નહીં.પામોવ મને ય મત્તષ્યિવસ્થાને યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy