SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ અધ્યયન-૨: શ્લોક ૪૫ ટિ ૮૨ જયારે તેનું મન સંશયથી ભરાઈ જાય છે કે પરલોક કોણે જોયો છે? તેનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય? ત્યારે તેને બધી ક્રિયાઓ નિરર્થક, કષ્ટ-સહન વ્યર્થ લાગવા માંડે છે. તે પોતાની કઠોર ચર્યામાંથી છટકવા લાગે છે. સાધક તપસ્યા કરે છે અને જાણે છે કે તેને ઋદ્ધિઓ–યોગજ વિશેષતા પ્રાપ્ત થશે, પણ જયારે ઋદ્ધિપ્રાપ્તિમાં વિલંબ થાય છે ત્યારે તે તપસ્યાથી મોં ફેરવી લે છે. તેની ધીરજ ડગમગી જાય છે. બે તપસ્વીઓ તપસ્યા કરી રહ્યા હતા. નારદજી ત્યાંથી પસાર થયા. એકે પૂછ્યું-–ઋષિવર ! ક્યાં જઈ રહ્યા છો ? નારદે કહ્યું –ભગવાન પાસે. તપસ્વીએ કહ્યું–‘મારું એક કામ કરો. ભગવાનને પૂછજો કે મારી મુક્તિ ક્યારે થશે ?' નારદ આગળ વધ્યા. બીજા તપસ્વીએ પણ આ જ વાત કરી. નારદજી પાછા ફરતાં તે જ રસ્તેથી નીકળ્યા અને પહેલા તપસ્વીને કહ્યું – ભગવાને કહ્યું છે કે તારી મુક્તિ ત્રણ જન્મ પછી થશે. તપસ્વીએ આ સાંભળ્યું. મનમાં ઉથલ-પાથલ મચી ગઈ. વિચાર્યું–અરે! આ શું? હું સાઠ હજાર વર્ષથી તપ તપી રહ્યો છું, છતાં પણ મારે ત્રણ જન્મ બીજા લેવા પડશે? આ કેવો ન્યાય ? તેણે તે જ સમયે તપસ્યાને તિલાંજલિ દીધી અને પોતાના ગામ જવા રવાના થયો. નારદજી બીજા તપસ્વીની પાસે પહોંચ્યા અને બોલ્યા-ઋષિવર ! ભગવાને કહ્યું છે કે તમારી મુક્તિ થશે જરૂર, પણ જે વૃક્ષની નીચે તમે તપસ્યા કરી રહ્યા છો તે વૃક્ષના જેટલાં પાંદડાં છે તેટલાં વર્ષ હજુ લાગશે. તપસ્વીએ સાંભળ્યું. તેનું મન આનંદથી ભરાઈ ગયું. તે નાચતા નાચતો ગણગણવા લાગ્યો–“મારી મુક્તિ થઈ જશે, મારી મુક્તિ થઈ જશે.' આ છે ધૃતિ અને અધૃતિનો ખેલ, સાધનામાં ધૃતિ રાખવાની હોય છે. જયારે સાધકને વીતરાગ કે આપ્તપુરુષના અસ્તિત્વમાં સંદેહ પેદા થાય છે ત્યારે તે તેમના વચનો પ્રત્યે પણ સંદેહશીલ બની જાય છે. ‘જિન’ સદા બધાને પ્રત્યક્ષ હોતા નથી. વ્યક્તિએ વિશ્વાસ પર વ્યવહાર કરવાનો હોય છે. જે શાસ્ત્રો છે, તે વીતરાગની વાણીના આધારે સંગૃહીત છે, એવું માનનાર સાધક જ તેમના વચનોના આધારે પોતાની સાધનાનો યાત્રાપથ નક્કી કરી શકે છે, અન્યથા નહિ. વિના વિશ્વાસ એક ડગલું પણ ચાલી શકાતું નથી. - વર્તમાનમાં ભગવાન મહાવીરનું શાસન ચાલી રહ્યું છે. તેઓ ચોવીસમા તીર્થંકર હતા. તેમની પહેલાં ત્રેવીસ તીર્થંકરો થઈ ચૂક્યા હતા. એટલા માટે કહેવામાં આવ્યું–‘અમૂન'–જિનો થયા હતા. ‘સ્થિ નિ'–જિનો છે–આ કથન તીર્થકર મહાવીરની સૂચના આપે છે. વૃત્તિકારે લખ્યું છે કે આ અધ્યયન કર્મપ્રવાદ-પૂર્વના સત્તરમા પ્રાભૃતમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું છે અને સુધર્માસ્વામીએ પ્રત્યક્ષ જંબુસ્વામીને આ કહ્યું છે. એટલે વીતરાગની ઉપસ્થિતિનો ઉલ્લેખ છે અથવા મહાવિદેહ આદિ ક્ષેત્રોની અપેક્ષાએ પણ આ કથન યથાર્થ છે. ત્યાં તીર્થકરો સદા રહે છે. ચુમ્માલીસમા શ્લોકના ‘ન0િ –ાં પરે તોgને આધાર માનીને વ્યાખ્યાકારોએ આચાર્ય આષાઢનું કથાનક પ્રસ્તુત કર્યું છે, તે આ પ્રમાણે છે વત્સભૂમિમાં આષાઢ વિચરણ કરી રહ્યા હતા. તેઓ એક ગણના આચાર્ય હતા. તેઓ બહુશ્રુત અને અનેક શિષ્યોના આચાર્ય હતા. તે ગણમાં જે જે મુનિ દિવંગત થતા, તેઓ તેમને અનશન કરાવતા અને કહેતા-જ્યારે તમે દેવ બની ત્યારે જરૂર મને દર્શન દેજો. વર્ષો વીતી ગયાં. અનેક સંથારા થયા, પરંતુ કોઈ પાછું ફરીને આવ્યું નહિ. એકવાર એક અત્યન્ત પ્રિય શિષ્ય મૃત્યુશધ્યા પર હતો. આચાર્યે તેને ભક્ત-પ્રત્યાખ્યાન કરાવતાં કહ્યું –દેવરૂપમાં ઉત્પન્ન થતાં જ તરત અહીં આવી દર્શન દેજે, પ્રમાદ ન કરીશ. મુનિનું મૃત્યુ થયું. પણ તે પણ ન આવ્યો. આચાર્ય વિચાર્યું–ચોક્કસ પરલોક છે જ નહિ. અનેક ગયા, પણ કોઈ આવ્યું નહિ. આથી આ વ્રતચર્યા નિરર્થક છે. મેં નકામો જ ભોગોનો ત્યાગ કર્યો. આચાર્ય ડામાડોળ બની ગયા. તે જ મુનિવેશમાં તેઓ ગણનો ત્યાગ કરી ચાલ્યા ગયા. એટલામાં જ તેમના એક દિવંગત શિખે જોયું. તેમને પ્રતિબોધ આપવા માટે તેણે માર્ગમાં એક ગામની રચના કરી અને ત્યાં નૃત્યનું આયોજન કર્યું. આચાર્ય ત્યાં છ મહિના સુધી રહ્યા. ન તેમને ભૂખ સતાવતી હતી, ને તરસ કે ન શ્રમ. છ મહિનાનો કાળ વીતી ગયો તે પણ તેમણે ન જાણું. દેવતાએ પોતાની માયા સમેટી લીધી, આચાર્ય ત્યાંથી આગળ ચાલ્યા. દેવતાએ તેમના સંયમના પરિણામોની પરીક્ષા કરવા માટે છ બાળકોની વિકર્વણા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy