SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહ-પ્રવિભક્તિ ૮૯ અધ્યયન ૨: શ્લોક ૪૩ ટિ ૭૭-૮૦ (૩) એવાં કયાં કર્મ છે કે જેમનું ફળ કલ્યાણકારી હોય છે અને એવાં કયાં કર્મ છે કે જેમનું ફળ પાપકારી હોય છે? બૃહવૃત્તિમાં બે વિકલ્પો પ્રસ્તુત છે"(૧) શુભ કર્મ કર્યું છે અને અશુભ કર્મ કયું છે? (૨) મુક્તિના કારણરૂપ ધર્મ ક્યો છે અને નરક આદિના કારણરૂપ ધર્મ કયો છે? પ્રસ્તુત ચરણમાં પ્રયુક્ત ‘વષ્ણુનો અર્થ છે–સાક્ષાતુ. આ જ શબ્દ ૧૨૩૭માં આ જ અર્થમાં પ્રયુક્ત થયો છે. ચૂર્ણિકારે ‘સમવવું પાઠ માનીને તેનો અર્થ સાક્ષાત્ એવો કર્યો છે. ૭૭. તપસ્યા અને ઉપધાનને (તવોવાળ) તપ અને ઉપધાન—આ બે શબ્દો છે. તપનો અર્થ છે-ભદ્ર, મહાભદ્ર વગેરે તપોનુષ્ઠાન. ઉપધાન શબ્દ જૈન પરંપરાનો પારિભાષિક શબ્દ છે. પ્રત્યેક આગમનું અધ્યયન શરૂ કરતાં પહેલાં સાધકે કેટલીક નિશ્ચિત તપસ્યા કરવાની હોય છે. તે તપસ્યાઓ ઉપધાન કહેવાય છે. તેમાં આચાર્લી તપની પ્રધાનતા રહે છે.* આગમોના અધ્યયનકાળમાં આચાર્મ્સ (આયંબિલ) વગેરે તપસ્યા કરવાની પરંપરા રહી છે. પ્રત્યેક આગમ માટે તપસ્યાના દિવસો નિશ્ચિત કરેલા છે. વિશેષ જાણકારી માટે જુઓ-આચાર દિનકર વિભાગ ૧; યોગોદૃવહનવિધિ પત્ર ૮૬-૧૧). પ્રસ્તુત આગમના ૧૧૧૪માં ઉપધાન કરનાર માટે “વહાણવં' (STધનવાનોનો પ્રયોગ મળે છે. ૭૮. પ્રતિમાનો (પfi) પ્રતિમાનો અર્થ કાયોત્સર્ગ છે. " ચૂર્ણિ અને બ્રહવૃત્તિમાં તેનો અર્થ માસિક વગેરે ભિક્ષુ-પ્રતિમા કરવામાં આવ્યો છે." પરંતુ આ શબ્દ સાંકેતિક છે. વસ્તુતઃ પ્રતિમા શબ્દ સ્થાન-મુદ્રાનો સૂચક છે. બેઠી કે ઊભી પ્રતિમાની જેમ સ્થિરતાથી બેસવાને અથવા ઊભા રહેવાને પ્રતિમા કહેવામાં આવેલ છે. પ્રતિમાઓમાં ઉપવાસ વગેરેની અપેક્ષાએ કાયોત્સર્ગ અને આસનોની પ્રધાનતા હોય છે. એટલા માટે તેમનાં નામ ઉપવાસપ્રધાન ન હોતાં કાયોત્સર્ગપ્રધાન છે. તે બાર છે. વિશેષ જાણકારી માટે જુઓ-દશાશ્રુતસ્કંધ, દશા ૭. ૭૯. છઘ (E) જે આચ્છાદિત કરે છે, તે છ% છે. આત્મગુણોને આચ્છાદિત કરનાર—ઢાંકી દેનાર ચાર કર્મો છે–જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. તેમની વિદ્યમાનતામાં છદ્મસ્થતા બની રહે છે. પ્રસ્તુત શ્લોકના પ્રસંગમાં અહીં માત્ર જ્ઞાનાવરણીય કર્મ ગૃહિત છે. ૮૦. (શ્લોક ૪૨-૪૩) સત્યનો સાક્ષાત્કાર ન હોવાને કારણે હીન ભાવનાથી ગ્રસ્ત થવું તે અજ્ઞાન-પરીષહ છે. પ્રજ્ઞા-પરીષહ અને અજ્ઞાનપરીષહમાં શું અંતર છે–આ પ્રશ્ન સ્વાભાવિક જ ઊઠે. રાજવાર્તિકમાં તેનું સમાધાન આ રીતે કરવામાં આવેલું મળે છે–પ્રજ્ઞા ૧. વૃદત્ત, પત્ર ૨૨૮ | (ખ) એજન, રૂ ૪૭ : ૩પઘાન માનધ્યયનાસો ૨. વૃવૃત્તિ, પત્ર ૨૨૮ : સમવું સાક્ષાત્ यथायोगमाचाम्लादि तपो विशेषः। 3. उत्तराध्ययन चूर्णि, पृ०८४ : समक्खं णाम सहसाक्षिभ्यां साक्षात् ।। :HTTખ્ય સાક્ષાત્ ૫. મૂનારાધના , દા૨૦૭૬: દિમા ક્રાયોત્સર: 1 समक्षं तो साक्षात् । ૬, (ક) રૂત્તરાધ્યયન ચૂળ, પૃ. ૮ : પદમાં નામ પાલિવાહિતા ! ૪. (ક) વૃત્તિ , પત્ર ૨૨૮ : તપ- દાદ્રર, | (ખો : (ખ) વૃત્તિ , પત્ર ૨૨૮ उपधानम्-आगमोपचाररूपमाचाम्लादि । ७. बृहद्वृत्ति, पत्र १२८ : छादयतीति छद्म-ज्ञानावरणादिकर्म । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy