SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૩ ) | કવિ તીર્થના લખે ને, ૪પ૪પ ટ સૂત્રધાર સતાનો પુત્ર વીરપાલ તથા સલાટ સૂત્રભાણ, ગોરા અને દેવજી વિગેરેએ આ મંદિરની મુખ્ય દેખરેખ રાખી હતી. (૪૫૪) આ લેખ પણ એજ મંદિરમાં આવેલી આદિનાથની પાદુકા ઉપર કોતરેલો છે. મિતિ સં. ૧૯૫૬ના વૈશાખ સુદી ૭ બુધવારની છે. ઉપરના લેખમાં જણાવેલા ગાંધી વીરદાસ તથા તેના ભાઈ ગાંધી કુંવરજી અને ધર્મદાસે મળીને આ પાદુકા કરાવી અને વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી, આ હકીકત ને ધેલી છે. (૪૫૫) આ લેખનું અવલોકન, ઉપર નં. ૨૧ વાળા લેખના અવલોકન ભેગું જ (જુઓ, ઉપર પૃ. ૩૮) આપી દેવામાં આવ્યું છે તેથી આના સંબંધમાં ત્યાંજ જોઈ લેવું. (૪૫૬-૫૯) આ નંબરવાળા ચાર લેખો ગંધાર નામના ગામના મંદિરમાં આવેલી પ્રતિમાઓ ઉપર કરેલા છે. લેખોમાંની હકીકત સ્પષ્ટ જ છે. આ ગંધાર ગામ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. એના આસપાસના પ્રદેશમાં એ પણ એક તીર્થ સ્થાન જેવું ગણાય છે. ઉપર વર્ણવામાં આવેલું કાવતીર્થ અને આ તીર્થ, “કાવી–ગંધાર” આમ સાથે જેડક રૂપે જ કહેવાય છે. આ ગંધાર ગામ તે સત્તરમા સૈકાનું પ્રસિદ્ધ ગંધાર બંદરજ છે જેને ઉલલેખ લિયા, વાયકાત, વિનય વે માર અને વિજય શાહ વિગેરે માં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સંવત ૧૯૩૮ ની સાલમાં હીરવિજય રસૂરિને આગ્રા તરફ આવવાનું આમંત્રણ આવ્યું હતું તે વખતે એ આચાર્ય પર્ય આજ ગામમાં ચાતુર્માસ રહેતા હતા. હીરવિજય સૂરિ અને વિજયદેવ સૂરિ વિગેરે એ એકાના તપાગચ્છના સમર્થ આચાર્યો -તિઓ ઘણી વખતે આ ગામમાં આવેલા અને સેંકડો યતિઓની સાથે ચાતુર્માસ ૭૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy