SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ હિર ને લઈ વિચાર કર્યો હવામાં આવે તે જ કવિ તીર્થ ના લેખ ન. ૪પ૧પ૩ ] ( ૩૨૮) અવલોકન. સ્વીકાર કર્યો હતે અને પૂર્વને પોતાનો મિથ્યા મત છોડી દીધે હતો. આવી રીતે તે પરમ શ્રાવક છે, અને સાધમિક ભાઈઓને તેમજ મુમુક્ષુ વર્ગને દાન આપી, સ્વજનોને સન્માન આપી અને દીનજનના દુઃખ દૂર કરી, પિતાની સંપત્તિને સફળ કરતે હતે. શત્રુંજય તીર્થની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીર્થના ચૈત્ય (મંદિર) ને લાકડા અને ઈંટથી બનેલું જોઈ તે બાહુઆ ગાંધિએ એક વખતે મનમાં વિચાર કર્યો કે જે આ મંદિરને પાકે અંધાવી સદાના માટે દઢ (મજબૂત) બનાવવામાં આવે તે મહાન પુણ્યની સાથે હારી લક્ષ્મી પણ સફળ થાય. આ વિચારથી પ્રેરાઈ તેણે સંવત્ ૧૬૪માં આખું મંદિર નવું તૈયાર કરાવ્યું, અને પછી વિજ્યસેનસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. છેવટના બે પમાં, આ પર દેવકુલિકાયુકત પુણ્યના સત્રરૂપ યુગાદિ જિનના મંદિરનું સ્થાયિત્વ ધરછી આશીર્વાદ આપવામાં આવ્યું છે, અને લેખ સમાપ્ત કરવામાં આવ્યું છે. આ નંબરને લેખ પણ એજ મંદિરમાં કોતરેલે છે (સ્થળની નેધ મળી શકી નથી). એમાં પણ સંક્ષેપમાં ગદ્યમાં ઉપરની જ હકીત નોંધેલી છે. નવીન કાંઈ નથી. (૪૫૩) આ લેખ, ધર્મનાથ મંદિરમાં આવેલ છે. હકીકત આ પ્રમાણે – બાદશાહ અકબર જલાલુદ્દીનના વિજયરાજ્યમાં, ગરાસિયા રાઠેડ પ્રતાપસિંહના અધિકાર વખતે, ખંભાત વાસ્તવ્ય લઘુનાગર જ્ઞાતિના ગાંધી બહુઆના પુત્ર વીરજીએ, સંવત્ ૧૬૫૪ માં કાવીતીર્થમાં, પિતાના પુણ્ય આ ધર્મનાથ તીર્થ કરનું “રત્નતિલક” નામે બાવન જિનાલયવાળું મંદિર બંધાવ્યું છે. સેઠ પીતાંબર વીરા તથા સેઠ શિવજી બોઘા તેમજ રાજનગર (અમદાબાદ)ના રહેવાસી ગજવર વિશ્વકર્મા જ્ઞાતિના ૭૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy