________________
સ્વાનપુરના લેખા. નં ૪૫૦ ] ( ૩૨ )
અવલાન.
આ લેખના એક’દર ૬૨ પદ્યા છે. તેમાં પ્રારંભના બે પદ્યામાં ક્રમથી પાર્શ્વનાથ અને મહાવીર દેવની સ્તુતિ કરવામાં આવી છે. ૩ જા કાવ્યમાં ભગવાન્ શ્રીમહાવીરદેવના સુધમ ગણધર, જેમની શિષ્યસ'તિએ આ કાળમાં જૈન ધર્મનુ સંરક્ષણ કર્યું' છે તેમની પ્રશંસા છે. ૪થા શ્લોકમાં સવત્ ૧૨૮૫ માં તપાબિરૂદ પ્રાપ્ત કરનાર જગચંદ્રસૂરિને ઉલ્લેખ છે. એ જગચ્ચંદ્રસૂરિની કેટલીક પેઢીએ હૅવિમલસૂરિ થયા અને તેમના શિષ્ય આનદવિમલસૂરિ થયા. ( ૫ ) પોતાના સમયમાં સાધુસમુદાયને પેાતાના આચારમાં શિથિલ થએલે જોઇ, સવત્ ૧૫૮૨ માં તેમણે ક્રિયેદ્ધાર કર્યાં, ( ૬ ) એ આનદ વિમલસૂરિના શિષ્ય વિજયદાનસૂરિ થયા ( ૭ ) અને તેમના પર આચાય સુપ્રસિદ્ધ શ્રીહીરવિજયસૂરિ થયા. (૮) પછીના પ શ્લોકોમાં હીરવિજયસૂરિના પૂણ્યાવદાતાનુ સક્ષિપ્ત સૂચન કરેલુ' છે, તે આ પ્રમાણેઃસ’વત્ ૧૬૩૯ માં તેમને અકબર માદશાહે ફતેપુર (શિકરી) માં આદરપૂર્વક લાવ્યા હતા. બાદશાહે તેમના કથનથી પોતાના સમગ્ર દેશોમાં છ માસ સુધી જીવહિંસા થતી અટકાવી હતી, વળી તેણે પેતાના રાજ્યમાં જે ‘જીજીઆ વેરા’ લેવામાં આવતા હતા તેમજ મરેલા મનુષ્યાની સંપત્તિ સરકારમાં જમા કરવામાં આવી હતી તે, એ આચા ના ઉપદેશથી અંધ કરાવી હતી. શત્રુ’જય નામનુ જાનુ' પવિત્ર થળ બાદશાહે જૈનસમાજને સ્વાધીન ર્યું હતુ. અને તેની યાત્રા કરનાર યાત્રી પાસેથી જે મુંડકા વેશ’ લેવાતા હતા. તે બંધ કરવામાં આન્યા હતા. મેઘજી નામના એક લંકા મતના પ્રસિદ્ધ અને આગેવાન સાધુ, પોતાના અનુયાયી એવા કેટલાક બીજા સાધુએ સાથે, સ્લમતનેા આગ્રહ છેડી હીરવિજયસૂરિના શિષ્ય થયા હતા. ૧૪ માં પદ્મથી તે ૨૨ માં સુધીમાં એ હીરવિજયસૂરિના મુખ્ય શિષ્ય આચાય વિજયસેનસૂરિના ગુણાનું સંક્ષિપ્ત વર્ણન આપવામાં આવ્યુ` છે. હીરવિજયસૂરિની માફક એમને પણ અકબર બાદશાહે ઘણા આદરપૂર્ણ ક પેાતાની પાસે લાહાર મુકામે મુલાખાત લેવા ખેાલાવ્યા હતા. ત્યાં બાદશાહની સભામાંજ કેટલાક ખીજા વિદ્વાનેા સાથે એમણે શાસ્ત્રચર્ચા
૪૧
Jain Education International
૭૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org