________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ, ( ૩૧૮ ) [ સ્તંભનપુરના લેખન. ૪૪ લેકને ઉત્તરાર્ધ નષ્ટ થઈ જવાથી સ્પષ્ટ થતું નથી. આ લેખની સાત તે આગળ ઉપર જણાવ્યા પ્રમાણે સંવત્ ૧૩૫૨ ની છે. કદાચિત આ પ્રથમની મિતિ મંદિર બંધાવ્યાની સાલ હશે.
૬ઠા થી ૧૦ મા કલેક સુધીના ભાગમાં ગુજરાતના રાજકર્તા ચાલુક્ય વંશના છેવટના રાજાઓની વંશાવલી છે જે ઈતિહાસમાં વાઘેલવંશ તરીકે પ્રસિધ્ધ છે. ૬ ઠા કલેકને જે ભાગ જતું રહ્યું છે તેમાં આ વંશના મુખ્ય પુરૂષનું એટલે અર્ણોરાજનું નામ હોય તેમ જણાય છે. તેને પુત્ર ભૂણિગ એટલે લવણ પ્રસાદ છે. તેને પુત્ર વિરધવલ થયે. ઇતિહાસે તેમજ બીજા લેખના અનુસન્ધાને પ્રમાણે વરધવલને વિરમ, વિસલ અને પ્રતાપમલ એમ ત્રણ પુત્રે હતા, તેમાં છેલ્લા પુત્ર એટલે પ્રતાપમાનું જ નામ આ લેખમાં આપવામાં આવ્યું છે. એ પ્રતાપમલને પુત્ર અર્જુન એટલે અર્જુનદેવ નામે રાજા થયે. તેને બે પુત્ર થયા જેમાં મોટાનું નામ રામ એટલે સમદેવ હતું. ન્હાનાનું નામ ઉપલબ્ધ નથી પરંતુ તે સારંગદેવ હશે જેને ઉલ્લેખ આ લેખમાં આગળ ઉપર ૪૬ મા લેકમાં કરવામાં આવ્યો છે. " આ પછી પાર્શ્વનાથમંદિર નિર્માતાના વંશનું વર્ણન આવે છે. સ્તંભતીર્થ પુર એટલે ખંભાત (?) માં રાજમાન્ય એવા મેઢવંશમાં ખેલાનામે કરી એક પ્રસિદ્ધ મહેટે ધનવાન અને ધર્મી પુરૂષ થયે. તેને સર્વગુણસંપન્ન એવી બાદડા નામે સ્ત્રી હતી. તેણે પાર્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું. તેને પુત્ર વિકલ થયે પુણ્યવાન અને સર્વ લકમાં માનિતે હતો. તેણે સૂર્યના મંદિરની આગળ એક મંડપ બંધાવ્યું. તેને એક રત્ના નામે બહેન હતી જે ધનસિંહ સાથે પરણી હતી અને ભીમડ, જામ્હણ, કાકલ, વયજલ, ખીમડ આદિ વંશના ઉદ્ધારક એવા તેને પુત્રો થયા હતા. ૧૮ મા શ્લોકમાં કઈ યશવીરને ઉલ્લેખ છે જે પોતાના પિતરાઈ ભાઈઓ સાથે જૈન અને શિવ બંને ધર્મોનું પાલન કરતે હતે. ૧૯મા અને ૨૦ મા કલેકમાં આસ્વડ અને તેની સ્ત્રી જાહૂણદેવીને બે પુત્રોને ઉલ્લેખ છે જેમાં એકનું નામ મદનપાલ હતું. બીજાનું નામ જતું રહ્યું છે.
૭૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org