SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનનલેખસગ્રહ ( ૩૧૬ ) [ સ્તંભનપુરના લેખ નં. ૪૪૮ સંઘ સાથે યાત્રા કરી હતી. પાટણમાં તેણે શાંતિનાથ દેવનુ વિધિચૈત્ય બંધાવ્યું હતું અને તેની સાથે પાષધશાલા પણ બંધાવી હતી. તેના પિતાનું નામ સાહ કેશવ હતું અને તેણે જેસલમેરમાં પાર્શ્વનાથ તીર્થંકરનુ સંમેતશિખર એવા નામે વિધિચૈત્ય કરાખ્યું હતું. સાહ જેસલને, સાહ માત્રુદેવ, સાહુ વાલીય, સાહ જેડ, સાહુ લખપતિ અને સાહ ગુણધર એટલા ભાઇઓ હતા; અને સાહ જયસિ ંહ, સાહ જગધર, સાહુ સલષણ, સાહ રત્નસિ’હ આદિ પુત્ર હતા. આ લેખમાં જણાવેલા બાદશાહ અલાવદીન તે સુપ્રસિદ્ધ બાદશાહ અલાઉદ્દીન ખિલજી છે જેણે સાથી પ્રથમ ગુજરાતને મુસલમાની સત્તા તળે આણ્યુ હતું અને સ સાધારણમાં તે અલાઉદ્દીન ખુનીના નામે ઓળખાય છે. લેખમાં બીજું નામ અલ્પખાનનું છે, તે તવારીખેા પ્રમાણે અલાઉદ્દીન બાદશાહના સાળા થતા હતા અને ગુજરાતને પ્રથમ સુખ મનાય છે. (જુએ, ગુજરાતના અર્વાચીન ઇતિહાસ, પુર.) (૪૪૮ ) આ લેખ, ખંભાતમાં આવેલા કુંથુનાથના મદિરમાંથી મળી આવ્યેા છે અને ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત થએલ ડે પ્રાકૃત અને સંસ્કૃત શિલાલેખાના સંગ્રહ ” એ નામના ઈંગ્રેજી પુસ્તકમાં એ મુદ્રિત થએલા છે. એ લેખ ૩૧ ઇંચ લાંખા અને ૧૬ ઇંચ પહેાળા ધેાળા આરસ પહાણ ઉપર કાતરેલો છે. લેખ અપૂર્ણ છે તેથી તેની સાલ વિગેરે કાંઈ જણાતી નથી. ઉપલબ્ધ ભાગમાં ૧૯ પદ્યો છે અને તેમાં નીચે પ્રમાણેની મમતાના ઉલ્લેખ છે. ૧ લા કાવ્યમાં પ્રથમ તીર્થંકર રૂષભદેવની સ્તવના છે. રજા અને ૩જા કાવ્યમાં ૨૩ મા તીર્થંકર પાર્થનાથની સ્તુતિ છે. ૪થા પદ્યમાં સામાન્યરીતે સ તીર્થંકરાની પ્રશ‘સા છે. ૫ માં અને ૬ ઠા કાવ્યમાં ચાલુકયવ શની ઉત્પત્તિનું સૂચન છે. છ મા અને ૮ મા પદ્યમાં એ વંશમાં પાછળથી થએલા અર્ણોરાજ નામના રાજાની પ્રશંસા છે. ૯ મા લેકમાં એ અણ્વરાજની સલક્ષણદેવી નામે રાણીનું સૂચન છે. Jain Education International ૭૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy