________________
તીર્થના લેખે. નં. ૩૩૪-૩૩પ ] (૨૨૪)
અવલેક્સ,
લેખના પ્રારંભમાં “ સંવત ૧૨૦૨ આસે વદિ ૫ શુક્રવાર ની મિતિ આપેલી છે. તે વખતે રાયપાલદેવ મહારાજાધિરાજ હતું અને રાઉત રાજદેવ નલડાગિકા (નાડલાઈ)ને ઠાકુર હતા આ લેખને હેતુ એ છે કે અભિનવપુરી, બદારી અને નાડલાઈના વણજાર કે (વણજારા)ની “ દેશી ” ની સમક્ષમાં રાજદેવે મહાવીરના દેવાલયના પૂજારી અને યતિઓના માટે બળદે ઉપર ભરીને લઈ જતા દરેક વીસ પાઈલા ઉપર બે રૂપીઆ તથા “ કિરાણા ” થી ભરેલા દરેક ગાડા ઉપર એક રૂપીઓ એમ બક્ષીસ આપી. “ બદારી ” કદાચ નાડલાઈની ઉત્તરમાં આઠ માઈલે આવેલું બેરલી હોઈ શકે. અભિનવપુરીની નિશાની મળી શકી નથી.
(૩૩૫) આ લેખ, નાડલાઈથી અગ્નિકેણમાં આવેલી ટેકરી ઉપરના નેમિનાથ ઉફે “ જાદવા ના દેવાલયમાં એક સ્તંભ ઉપર કોતરેલ છે. લેખની એકંદર ૧૬ પંકિતઓ છે, અને તેની પહોળાઈ ” અને લંબાઈ ૧ર” છે. તે નાગરિલિપિમાં લખેલે હોઈ સંસ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે-દરેક પતિને આરંભ ઉભી બે રેખાઓથી અંકિત છે. વિશેષમાં રૂની પછી આવેલા વ્યંજને બેવડાએલાં છે. તથા બે વખત ૩ ના બદલે ટુ વાપરે છે, જેમ કે,
મન્ના બદલે કીમ (પંકિત ૭) અને નાના બદલે સાવ (પકિત ૧૫). - પ્રારંભમાં મિતિ આપી છે તે નીચે પ્રમાણે –-વિ. સં. ૧૪૪૩ ના કાતિક વદિ ૧૪ ને શુક્રવાર. તેની આગળ એમ કહેવામાં આવ્યું છે કે, ચાહમાનવંશના મહારાજાધિરાજ વણવીર દેવના પુત્ર રાજા રણવીરદેવના રાજ્યમાં આ લેખ કરવામાં આવ્યો છે. બૃહદગચ્છના આચાર્ય માનતંગસૂરિની વંશપરંપરામાં થએલા ધર્મચંદ્રસૂરિના શિષ્ય વિનય ચંદ્રસૂરિએ યદુવંશવિભૂષણ શ્રી નેમિનાથના આ મંદિરને જીર્ણોદ્ધાર
કરાવ્યું.
૬૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org