SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખે. ન. ૩૧૮ ] (૨૦૧૬) અવલોકન આ પછી એક પંક્તિ ગદ્યમાં લખેલી છે અને તેમાં પ્રતિષ્ઠાની મિતિ વગેરે જણાવી છે. જેમકે, સંવત્ ૧૫૩ ના માઘ સુદી ૧૩ રવિવાર અને પુષ્ય નક્ષત્રના દિવસે–પ્રો. કલહેર્નની ગણત્રી પ્રમાણે ઈ. સ. ૯૯૭ના જાનુઆરી માસની ૨૪ મી તારીખે–ષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તથા મંદિરના શિખર ઉપર વજારેપણ કર્યું. આ મૂળનાયક આદિનાથની પ્રતિમા, નાહક, જિંદ, જસ, સંપ, પૂરભદ્ર અને ગમી નામના શ્રાવકોએ, કર્મબંધનના નાશને અર્થે અને સંસાર સમુદ્રથી પાર થવાના અથે પોતાના ન્યાયપાજિત દ્રવ્ય વડે કરાવી છે. ” આના પછી બીજે લેખ પ્રારંભ થાય છે. આ લેખનાં એકંદર ૨૧ પદ્ય છે. આ લેખ ઉપરના લેખને મળજ છે. કારણ કે ઉપરના લેખમાં ઉક્ત મંદિર અને આચાર્યને રાજ્ય તરફથી જે ભેટ આપ્યાનું જણાવ્યું છે તેમનું જ આ લેખમાં જરાક વધારે સ્પષ્ટીકરણ કરેલું જેવામાં આવે છે. પહેલા લેકમાં જૈન ધર્મની પ્રશંસા કરેલી છે. ૨ જા પદ્યમાં હરિવર્મ રાજાનું, ૩ જામાં વિદગ્ધ રાજાનું અને ૪ થામાં મંમટ રાજાનું વર્ણન છે. મંમટ રાજાએ પોતાના પિતાના દાનપત્રમાં પિતા તરફથી વળી કાંઈક વધારે ઉમેરો કરી, તેનું યથાવતું પાલન કરવા માટે ફરી નવું શાસન (આજ્ઞાપત્ર) કાઢયું હતું. બલભદ્ર આચાર્યની આજ્ઞાથી–ઉપદેશથી વિદગ્ધરાજે હસ્તિકુડીમાં એક મનહર મંદિર બનાવ્યું હતું. તે મંદિરમાં નાના દેશમાંથી આવેલા લોકોને બેલાવીને તેણે આ પ્રમાણે શાસનપત્ર કરી આપ્યું હતું (પ-૭) –(૧) વેચવા માટે માલ ભરી લાવ-જાવ કરનારા દરેક વીસ પિઠિયા દીઠ ૧ રૂપિઓ; (૨) માલ ભરેલી આવતી-જતી દરેક ગાડા દીઠ ૧ રૂપિઓ; (૩) તેલની ઘાણી ઉપર દર ઘડા દીઠ એક કર્મ, (૪) ભાટ પાસેથી પાન (નાગરવેલ) ની ૧૩ ચેલિકા; (૫) સરિઆ-જુગારિઓ ૬૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy