________________
તીર્થના લેખે. ન. ૩૧૮ ]
(૨૦૨).
અવલોકન.
આવેલ ન હોવાથી, અને લેખની ઉપગિતા તરફ લક્ષ્ય કરતાં આ લેખ ફરીથી, મૂળ શિલાલેખની સાથે, જે હાલમાં જેધપુર મહારાજાની પરવાનગીથી અજમેરના સંગ્રહસ્થાન (મ્યુઝીયમ) માં મેકલી આપવામાં આવે છે, મેળવી, બની શકે ત્યાં સુધી એની પૂર્ણ અને શુદ્ધ નકલ તૈયાર કરવા માટે શ્રીયુત ડી. આર. ભાંડારકરે મહને લલચાવ્યું છે. .
પ્રારંભમાં આ શિલાલેખ કૅપ્ટન બટે, ઉદયપુર (મેવાડ) થી આબુ પર્વતની નજીકમાં આવેલા શીહી સહેર જતાં, રસ્તામાં, જોધપુર રાજ્યના વાલી પરગણુ (ગેડવાડ પ્રાંત) ના બીજાપુર નામના ગામથી બે માઈલ દૂર આવેલા એક જૈન મંદિરના અંદરના દરવાજા પાસેથી ખોળી કાઢયે હતો. પછી એ લેખ ત્યાંથી બીજાપુરના જૈન મહાજનની ધર્મશાલામાં લઈ જવામાં આવ્યું અને ત્યાંથી રાજ્યના ઐતિહાસિક શોધખેળ કરનાર અધિકાર વિભાગમાં આણવામાં આવ્યો. ત્યાંથી છેવટે ઉપર જણાવ્યા પ્રમાણે અજમેરના સંગ્રહસ્થાનમાં મેકલી દેવામાં આવ્યું છે.
આ લેખની એકંદર ૩૨ પંક્તિઓ છે, અને લગભગ ૨ કુટ ૮ ઇંચ પહોળી અને ૧ ફુટ ૪ ઈંચ ઉંચી એટલી જગ્યામાં એ લખાયેલું છે. લેખ જો કે ઘણું સારી રીતે સચવાયેલું છે તે પણ કાળની અસરના લીધે કેટલાક ભાગ ખવાઈઘસાઈ ગએલે છે અને પહેલી અને બીજી પંક્તિઓ વધારે ખરાબ થએલી છે. તથા કેટલાક બીજા પણ અક્ષરે આમતેમ છેકાઈ ગએલા છે. અક્ષરને માપ સરાસરી રૂ” છે, અને લિપિ નાગરી હેઈ છે. કલહેર્નના બતાવ્યા પ્રમાણે વિક્રમ સંવત્ ૧૦૮૦ ના વિગ્રહરાજના હર્ષલેખને મળતી છે. ૨૨ મી અને ૩૨ મી પંક્તિમાંના થોડાક ભાગ શિવાય બધો લેખ સંસ્કૃત પદ્યમાં છે.
ખરી રીતે જોતાં આ એક જ પત્થર ઉપર બે જુદા જુદા લેખ કેરેલા છે. પહેલે લેખ જે ૪૦ પદ્યમાં પૂરું થયું છે, તે વિકમ
૬૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org