SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખે. નં. ૩૦૭ ].(૧૯) અવલોકન, - ત્યાંની પ્રચલિત વાતો તથા લેખેની હકીકતને જે આપણે સરખાવીએ તો માલુમ પડશે કે તે બંને મળે છે. લેકિક વાત પ્રમાણે બાંધનારાનાં નામ ધન્ના અને રત્ના છે. લેખમાં ધનાને બદલે ધરણુક આપ્યું છે અને રત્નાનું નામ એજ છે. લૈકિક વાતો પ્રમાણે ધન્ના રત્નાનો નાનો ભાઈ હતો અને લેખમાં પણ તેમજ છે. વાતે પ્રમાણે મૂળ તેઓ સિહના નાજિઆના રહેવાસી હતા. લેખમાં આના વિષે કાંઈ ઉલ્લેખ છેજ નહિ, પરંતુ લેખમાં બીજી એક સૂચના આપી છે કે ધરણાએ (ધન્નાએ) અજહરી, પિંડરવાટક, સાલેર વિગેરે સ્થળોએ દેવાલયોને પુનરૂદ્ધાર કર્યો છે અજાહરી અને સાલેર એ નામો હાલ પણ એજ પ્રમાણે બોલાય છે અને હાલનું પિંડવાડા તેજ પિંડરવાટક હોવું જોઈએ. આ બધાં સ્થળો સિરોહી સ્ટેટમાં હેઈનાન્દિઆની પાસે જ છે. તેથી કદાચ તેઓ નાન્ટિઆના રહેવાસી હોઈ શકે. ત્યાંના લેકે કહે છે કે તેઓ પિરવાડ વાણીઆ હતા અને પોરવાડ એ પ્રાગ્વાટનું પ્રાકૃત રૂપ છે. લેખમાં પણ કહ્યું છે કે તેઓ પ્રાગ્વાટ જ્ઞાતિના હતા. લૈકિક વાતમાં કહ્યા પ્રમાણે દેવાલયના લાને કરનાર દીપા હતા જે પાકનું ટુંકું રૂપ છે. માત્ર એકજ ભેદ પડે છે કિક વૃત્તાંત પ્રમાણે ધન્ના ને ફરજન હતું નહિ પણ લેખમાં તેના બે પુત્ર નામે જાજ્ઞા અને જાવડ કહ્યા છે. બાકી બીજી બધી રીતે આ બન્ને હકીકત બરાબર મળી રહે છે. આ દેવાલયની મુલાકાત લેનાર માત્ર એકજ યુરોપીયન ગૃહસ્થ છે જેમનું નામ સર જેમ્સ ફર્ગ્યુસન છે. આશ્ચર્યની વાત છે કે ટેડે (Tod) તેની મુલાકાત લીધી નહિ. તો પણ “એનાલ્સ એન્ડ એન્ટીકવીટીઝ ઓફ રાજસ્થાન” (Annals and Antiquities of Rajasthana) ન મના પોતાના પુસ્તકમાં કુંભારાણાના વર્ણનમાં તેમણે તેને ટુંક વૃત્તાંત આપે છે. તે કહે છે કે જે તેની પ્રતિભાને આ નમુનાઓ ઉપરાંત બે ધાર્મિક મકાને રહેવા પામ્યાં છે એક આબુ ઉપરનું “ કુમ્ભ શામ” જે ત્યાં બીજાં વધારે ઉપયોગી મકાનોને લીધે ઢંકાઈ ગયું છે પણ બીજે સ્થળે જાણવાલાયક થઇ પડત. બીજુ જે ઘણુંજ મોટું છે. અને લાખો રૂપિઆની કિંમતનું છે અને જેનાં ખર્ચમાં કુંભાએ ૮૦૦૦૦ પાઉંડ આપ્યા છે, તે મેવાડની ઉંચી ભૂમિના પશ્ચિમ ઉતારથી જતા સાદરી ઘાટ (Sadripass) માં બાંધેલું છે અને તે ઋષભ દેવને અર્પણ કરેલું છે. તે ઘણું એકાંત સ્થાળમાં આવેલું છે તેથી જુલમમાંથી બચ્યું ૫૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy