SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૬૩) | મુંડસ્થલ વણિ , એ સહક ભાવ એ કવિ ( ર૭૧ ) ' આબુ દેલવાડા ઉપર વિમલસાહના મંદિરના મુખ્ય રંગમંડપમાં આવેલા એક સ્તંભની પછવાડે એક ગ્રહસ્થની મૂતિ કતરેલી છે તેની નીચે ૮–૧૦ પંક્તિમાં આ નબર ર૭૧ વાળે લેખ કેત છે. લેખ પદ્યમાં છે પરંતુ મહને જે આની નકલ (પ્રતિકૃતિ–રબીંગ) મળી છે તે એટલી બધી અસ્પષ્ટ છે કે પૂરેપૂરી વાંચી શકાતી નથી. પ્રારંભની પંક્તિઓ ઘણી મહેનતે વાંચી શકાણું છે. આ લેખ ઉપયેગી છે. કારણ કે આમાં તે શ્રીપાલકવિની હકીક્ત છે જે ગુર્જર પતિ સિદ્ધરાજ સિંહને મિત્ર (ભાઈબંધ) હતે. તે જાતિએ પ્રાગ્વાટ વણિગ હતું અને આ લેખમાં જણાવ્યા પ્રમાણે તેના પિતાનું નામ લક્ષમણ હતું. એ મહાકવિ હતું અને “કવિરાજ” એવું એનું ઉપનામ હતું. પ્રભાચંદ્રના રચેલા પ્રમાવેરિતના “દેવસૂરિ પ્રબંધ” અને હેમચંદ્રપ્રબંધ” માં અનેક સ્થળે એ કવિનું વર્ણન આવેલું છે. એને પુત્ર સિદ્ધપાલ હતું તે પણ મહાકવિ હતો. તેને પણ વિજયપાલ નામે પુત્ર હતો અને તે પણ કવિ હતે. વિજયપાલનું બનાવેલું દ્રોપદ્દી સ્વયંવર નામનું નાટક હાલમાં મળ્યું છે જે હે પ્રકટ કયુ છે. તેની પ્રસ્તાવનામાં આ કવિવંશનું વિસ્તૃત વર્ણન આપ્યું છે તેથી જીજ્ઞાસુએ વિશેષ ત્યાં જોઈ લેવું. આ લેખ ઉપર જે ગ્રહસ્થની મૂર્તિ છે તે ઘણા ભાગે કવિરાજ શ્રીપાલની જ હોય તેમ જણાય છે. એ લેખને ફરી તપાસવાની આવશ્યકતા છે અને એની સંપૂર્ણ નકલ લેવાની ખાસ જરૂરત છે. મહારી પાસે જે આની પ્રતિકૃતિ છે તેમાં અસ્પષ્ટ જણાતા નીચેના ભાગમાં જે કેટલાક અક્ષરે જણાય છે તેમનાથી અનુમાન થાય છે કે એ ભાગમાં એના પુત્રનાં નામે આપેલાં હોવાં જોઈએ. ( ર૭ર-ર૭૬) આબુ પર્વતની નીચે, ખરાડીથી લગભગ ૪ માઈલ પશ્ચિમે તેને બનાવેલું ૫૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy